AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs PAK : ભારત-પાકિસ્તાન મેચની મંજૂરી પર 36 સદી ફટકારનાર ક્રિકેટ થયો ગુસ્સે, કહ્યું- જીવનની કોઈ કિંમત નથી

ભારત અને પાકિસ્તાન 14 સપ્ટેમ્બરે એશિયા કપમાં ટકરાશે. આ મેચને ભારત સરકારની મંજૂરી પણ મળી ગઈ છે. હવે ભૂતપૂર્વ ક્રિકેટરે આ નિર્ણય સામે મોરચો ખોલ્યો છે. તેણે કહ્યું કે આ નિર્ણય તેની સમજની બહાર છે.

IND vs PAK : ભારત-પાકિસ્તાન મેચની મંજૂરી પર 36 સદી ફટકારનાર ક્રિકેટ થયો ગુસ્સે, કહ્યું- જીવનની કોઈ કિંમત નથી
India vs PakistanImage Credit source: PTI
| Updated on: Sep 01, 2025 | 6:09 PM
Share

એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચને રમત મંત્રાલયે મંજૂરી આપી દીધી છે, જેના પછી ટીમ ઈન્ડિયાનો ભૂતપૂર્વ ક્રિકેટર મનોજ તિવારી ગુસ્સે થયો છે. મનોજ તિવારીએ કહ્યું છે કે તેને લાગે છે કે ભારતીય લોકોના જીવનનું કોઈ મૂલ્ય નથી અને તે વિશ્વાસ કરી શકતો નથી કે આ મેચ કેવી રીતે થશે. તેણે એમ પણ કહ્યું કે તે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ જોશે નહીં. મનોજ તિવારીએ કહ્યું કે જો પહેલગામ આતંકવાદી હુમલા છતાં આ મેચ થઈ રહી છે, તો તે ખરેખર આશ્ચર્યજનક છે.

ભારત-પાકિસ્તાન મેચથી મનોજ તિવારી નારાજ

ભારત-પાકિસ્તાન મેચ પર નારાજગી વ્યક્ત કરતા મનોજ તિવારીએ કહ્યું, ‘મને થોડું આશ્ચર્ય થાય છે કે આ મેચ થઈ રહી છે. પહેલગામ હુમલા પછી, જેમાં ઘણા નિર્દોષ લોકો માર્યા ગયા હતા, યુદ્ધ થયું હતું અને કહેવામાં આવી રહ્યું હતું કે હવે કડક જવાબ આપવામાં આવશે પરંતુ તેમ છતાં, થોડા મહિનાઓ પછી બધું ભુલાઈ ગયું છે. મને વિશ્વાસ નથી થઈ રહ્યો કે આ મેચ થઈ રહી છે, માનવ જીવનની કોઈ કિંમત નથી. પાકિસ્તાન સામે રમીને તમે શું પ્રાપ્ત કરશો? માનવ જીવન રમત કરતાં વધુ મૂલ્યવાન હોવું જોઈએ. મારા માટે આ મેચ જોવાનો કોઈ પ્રશ્ન જ નથી.’

મનોજ તિવારીની ક્રિકેટ કારકિર્દી

તમને જણાવી દઈએ કે મનોજ તિવારીએ ટીમ ઈન્ડિયા માટે 12 ODI અને 3 T20 મેચ રમી છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં મનોજ તિવારીના 10 હજારથી વધુ રન છે. મનોજ તિવારીએ પોતાની પ્રોફેશનલ ક્રિકેટ કારકિર્દીમાં કુલ 36 સદી ફટકારી છે.

ભારત-પાકિસ્તાન મેચને મંજૂરી

ભારત-પાકિસ્તાન મેચ 14 સપ્ટેમ્બરે દુબઈમાં યોજાશે. પહેલા આ મેચ પર સંકટના વાદળો હતા પરંતુ હવે રમત મંત્રાલયે પોતાની નવી નીતિ જાહેર કરી છે જેમાં સ્પષ્ટપણે લખ્યું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ ફક્ત મોટા આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં જ યોજાશે. પાકિસ્તાનનો કોઈપણ ખેલાડી કે ટીમ ભારત આવી શકશે નહીં અને ન તો કોઈ ભારતીય ટીમ કે ખેલાડી સરહદ પાર કરી શકશે.

આ પણ વાંચો: Video : અનાયા બાંગરનો વિરાટ કોહલી સાથેનો વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
g clip-path="url(#clip0_868_265)">