AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG : ગંભીરની કોચિંગમાં ગિલ અપનાવશે કોહલીની ફોર્મ્યુલા, ઈંગ્લેન્ડને હરાવવા રમશે મોટો ‘જુગાર’

રોહિત શર્માના ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ, ભારતીય ટેસ્ટ ટીમની કમાન શુભમન ગિલને સોંપવામાં આવી છે. કેપ્ટન તરીકે ગિલનો પહેલો પડકાર ઈંગ્લેન્ડમાં ટેસ્ટ શ્રેણી છે, જ્યાં જીત મેળવવી એટલી સરળ નથી. પરંતુ ગિલ આ માટે ભૂતપૂર્વ કેપ્ટન કોહલીની ફોર્મ્યુલા અપનાવવા તૈયાર છે.

IND vs ENG : ગંભીરની કોચિંગમાં ગિલ અપનાવશે કોહલીની ફોર્મ્યુલા, ઈંગ્લેન્ડને હરાવવા રમશે મોટો 'જુગાર'
Shubman Gill & Gautam GambhirImage Credit source: Getty Images
| Updated on: Jun 19, 2025 | 10:50 PM

રાહ જોવાનો સમય પૂરો થયો છે અને હવે એક્શનનો સમય આવી ગયો છે. ટીમ ઈન્ડિયા લીડ્સના હેડિંગ્લી મેદાન પર ઈંગ્લેન્ડ સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના અભિયાનની શરૂઆત કરશે. આ વખતે ટીમ ઈન્ડિયામાં સ્ટાર ખેલાડી વિરાટ કોહલી નથી. તે ટેસ્ટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે. પરંતુ તેમ છતાં નવા કેપ્ટન ગિલે પણ કોહલીના ફોર્મ્યુલાને અપનાવીને ટીમને જીત અપાવવાનું મન બનાવી લીધું છે અને આ માટે તે મોટો જુગાર રમવા માટે પણ તૈયાર છે.

નવો કેપ્ટન, જૂની ફોર્મુલા

ટીમ ઈન્ડિયાનો નવો કેપ્ટન શુભમન ગિલ અને કોચ ગૌતમ ગંભીર, બંને પહેલીવાર ઈંગ્લેન્ડમાં ટીમની કપ્તાની અને કોચિંગ કરી જઈ રહ્યા છે. આ શ્રેણી છેલ્લા બે પ્રવાસો કરતા વધુ મુશ્કેલ છે. આ વખતે ટીમ ઈન્ડિયા કોહલી, રોહિત , અશ્વિન, પૂજારા, રહાણે, ઈશાંત અને શમી જેવા અનુભવી ખેલાડીઓ વિના ઈંગ્લેન્ડમાં રમી રહી છે. ટીમમાં મોટાભાગના ખેલાડીઓ નવા અથવા ઓછા અનુભવી છે. આવી સ્થિતિમાં, ટીમ ઈન્ડિયાને જીતની દાવેદાર માનવામાં આવી રહી નથી.

કોહલીના ફોર્મ્યુલાથી જીતવાનો પ્રયાસ

આમ છતાં, ગિલ અને ગંભીરની જોડી જીત માટે તમામ પ્રયાસ કરવા તૈયાર છે. આ માટે, ગિલ એ જ ફોર્મ્યુલા અપનાવવા તૈયાર છે જે વિરાટ કોહલીએ ટીમ ઈન્ડિયાના કેપ્ટન બન્યા પછી અમલમાં મૂક્યો હતો અને જબરદસ્ત સફળતા મેળવી હતી. આ ફોર્મ્યુલા 20 વિકેટ લેવાનો છે અને તેના માટે બોલિંગ સાથે સમાધાન ન કરવાનો છે.

આજનું રાશિફળ તારીખ : 20-07-2025
પાણી પિતા જ પેશાબ લાગે છે ? તો આ ગંભીર બીમારી થી ચેતજો
ખાલી પેટ કેળું કેમ ન ખાવું જોઈએ?
ઘરમાં તુલસી હોય તો આ 5 વાતો આજે ગાંઠ બાંધી લેજો
LABUBU DOLL ઘરે રાખવી શુભ કે અશુભ?
Sawan 2025: શ્રાવણ મહિનામાં વાળ કાપવાથી શું થાય છે?

બોલરો પર દર્શાવ્યો વિશ્વાસ

ગિલે હેડિંગ્લી ટેસ્ટના એક દિવસ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં પણ આ જ વાતનો પુનરોચ્ચાર કર્યો હતો. તેણે કહ્યું, “તમે 20 વિકેટ લીધા વિના ટેસ્ટ મેચ જીતી શકતા નથી. તેથી જો આપણે મેઈન બોલરો સાથે જવું પડે, તો અમને કોઈ સમસ્યા નથી.”

શુભમન ગિલ રમશે મોટો જુગાર

એનો અર્થ એ થયો કે ભલે ગૌતમ ગંભીર હાલમાં કોચ છે, પણ વિરાટ કોહલીના કેપ્ટનશીપ દરમિયાન ટીમ ઈન્ડિયા દ્વારા અપનાવવામાં આવેલ જીતનો ફોર્મ્યુલા ભવિષ્યમાં પણ ચાલુ રહેશે. ગિલના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે તે ટીમને જીત અપાવવા માટે બેટિંગ ડેપ્થ સાથે સમાધાન કરવા જેવો જુગાર રમવા તૈયાર છે પરંતુ બોલિંગને ક્યારેય નબળી નહીં પડવા દે.

5 બોલરો સાથે રમવાની નીતિ

ટીમ ઈન્ડિયાએ વિરાટ કોહલી અને રવિ શાસ્ત્રીના કાર્યકાળ દરમિયાન પણ આ જ પદ્ધતિ અપનાવી હતી અને દરેક ટેસ્ટમાં 5 બોલરો સાથે રમવાની નીતિ જાળવી રાખી હતી, જેના આધારે તે ભારતનો સૌથી સફળ ટેસ્ટ કેપ્ટન બન્યો હતો.

આ પણ વાંચો: IND vs ENG : લીડ્સમાં કેવું રહેશે હવામાન, પિચનો કેવો છે મૂડ? જાણો 135 વર્ષ જૂના મેદાનમાં ભારતનો કેવો છે રેકોર્ડ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">