AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICC Wolrd Cup 2023: વર્લ્ડ કપના શેડ્યૂલથી પંજાબ અને મધ્યપ્રદેશ ક્રિકેટ એસોસિયેશન નારાજ

આ વર્ષે ભારતમાં યોજાનાર ODI વર્લ્ડ કપનું મંગળવારે શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું હતું અને ભારતના 10 શહેરોની યજમાની માટે પસંદગી કરાઇ હતી. ત્યારે જે શહેરોને યજમાની ન મળી તેમના ક્રિકેટ બોર્ડ આનાથી નિરાશ થયા છે.

ICC Wolrd Cup 2023: વર્લ્ડ કપના શેડ્યૂલથી પંજાબ અને મધ્યપ્રદેશ ક્રિકેટ એસોસિયેશન નારાજ
ICC World Cup 2023
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 27, 2023 | 11:40 PM
Share

મંગળવારે ICC અને BCCIએ મળીને આ વર્ષે યોજાનાર ODI વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કર્યું હતું .આ વર્લ્ડ કપ ભારતના 10 શહેરોમાં 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર દરમિયાન યોજાશે. આ જાહેરાત બાદ BCCIના જ કેટલાક લોકો તેમનાથી નારાજ છે. જે રાજ્ય એસોસિએશને વર્લ્ડ કપની મેચોની યજમાની નથી મળી તે અંગે નિરાશા વ્યક્ત કરી છે.

માત્ર 10 શહેરોમાં થશે આયોજન

ODI વર્લ્ડ કપની મેચો અમદાવાદ, હૈદરાબાદ, ધર્મશાલા, દિલ્હી, ચેન્નાઈ, લખનૌ, પુણે, બેંગલુરુ, મુંબઈ, કોલકાતામાં રમાશે. મંગળવારે જાહેર કરવામાં આવેલ શેડ્યૂલ પહેલા તિરુવનંતપુરમ સહિત 12 શહેરોના નામ લિસ્ટમાં હતા, પરંતુ ICCએ માત્ર 10 શહેરોના નામને જ મંજૂરી આપી હતી. જેમાં મોહાલી, ઈન્દોર, રાંચી, નાગપુર સહિતના ભારતના ઘણા મોટા મેદાનો વર્લ્ડ કપની યજમાનીથી વંચિત રહ્યા હતા.

મધ્ય પ્રદેશ ક્રિકેટ એસોસિએશન થયું નિરાશ

વર્લ્ડ કપ 2023ના શેડ્યૂલની જાહેરાત બાદ મધ્ય પ્રદેશ ક્રિકેટ એસોસિએશન (MPCA)ના પ્રમુખ અભિલાષ ખાંડેકરે નિરાશા વ્યક્ત કરી હતી . ન્યુઝ એજન્સી PTI સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે, 1987ના વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચ ઈન્દોરમાં યોજાઈ હતી. તેમણે કહ્યું કે ઈન્દોરનો ક્રિકેટમાં સારો ઈતિહાસ છે, તેથી તેમને વર્લ્ડ કપની મેચોની યજમાની મળવાની અપેક્ષા હતી. ઈન્દોર એ શહેર છે જે સતત ODI, T20 અને ટેસ્ટ મેચનું આયોજન કરે છે.તાજેતરમાં આ સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ મેચ રમાઈ હતી.

આ પણ વાંચોઃ Pakistan Cricket Team: વિશ્વકપ નહીં રમવાની PCB ની વાતોની નિકળી ગઈ હવા, પાકિસ્તાન આવશે ભારત-ICC

પંજાબને પ્રેક્ટિસ મેચની પણ યજમાની ન મળી

ન્યૂઝ એજન્સી PTI સાથે વાતચીત દરમિયાન પંજાબ ક્રિકેટ એસોસિએશનના એક સૂત્રએ જણાવ્યું હતું કે માત્ર મેટ્રો શહેરો અને જ્યાંથી BCCIના અધિકારીઓ આવે છે તે શહેરોને જ વર્લ્ડ કપની મેચોનું આયોજન કરવાનો મોકો મળ્યો છે. તેમણે વધુ જણાવ્યું હતું કે, પંજાબને પ્રેક્ટિસ મેચની પણ યજમાની નથી મળી, જેના કારણે તેઓ ખૂબ નિરાશ છે.

BCCIએ કર્યો ખુલાસો

આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ICCએ હોસ્ટિંગને લઈને કોઈ પણ પ્રકારની મર્યાદા નક્કી કરી નથી, પરંતુ ઓછા સ્થળો પર વર્લ્ડ કપની મેચોનું આયોજન કરવાનું મુખ્ય કારણ ટીમ મેનેજમેન્ટ અને ખેલાડીઓને ટ્રાવેલ કરવામાં તકલીફ ન પડે એવું હતું. જેથી મેચ પહેલા ખેલાડીઓને પૂરતો આરામ મળી રહે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
g clip-path="url(#clip0_868_265)">