AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World Cup 2023: ફરીથી મેળવી શકાશે વિશ્વકપની ટિકિટ, હજારો ક્રિકેટ ચાહકોનુ ખુલ્યુ કિસ્મત, જાણો ક્યારથી શરુ થશે વેચાણ

વિશ્વ કપ 2023 ને આડે હવે માત્ર ગણતરીના દિવસો જ રહ્યા છે. આગામી 5મી ઓક્ટોબરે ભારતમાં ઘર આંગણે વનડે વિશ્વકપને લઈને ગજબનો ઉત્સાહ ભારતીય ક્રિકેટ ચાહકોમાં જોવા મળી રહ્યો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વિશ્વકપની શરુઆત થનારી છે. આ માટે ટિકિટો મેળવવા માટે શરુઆતથી જ ક્રિકેટ રસિયાઓમાં ઉત્સાહ જોવાઈ રહ્યો છે.

World Cup 2023: ફરીથી મેળવી શકાશે વિશ્વકપની ટિકિટ, હજારો ક્રિકેટ ચાહકોનુ ખુલ્યુ કિસ્મત, જાણો ક્યારથી શરુ થશે વેચાણ
જાણો ક્યારથી શરુ થશે વેચાણ
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 06, 2023 | 11:18 PM
Share

વિશ્વ કપ 2023 (World Cup 2023) ને આડે હવે માત્ર ગણતરીના દિવસો જ રહ્યા છે. આગામી 5મી ઓક્ટોબરે ભારતમાં ઘર આંગણે વનડે વિશ્વકપને લઈને ગજબનો ઉત્સાહ ભારતીય ક્રિકેટ ચાહકોમાં જોવા મળી રહ્યો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વિશ્વકપની શરુઆત થનારી છે. આ માટે ટિકિટો મેળવવા માટે શરુઆતથી જ ક્રિકેટ રસિયાઓમાં ઉત્સાહ જોવાઈ રહ્યો છે. શરુઆતમાં ટિકિટ વિતરણ શરુ થવા દરમિયાન લોટરી લાગવા જેવી સ્થિતિ સર્જાતા ક્રિકેટ રસિયાઓના રોષનો ભોગ ICC અને ભારતીય ક્રિકેટ બોર્ડે બનવુ પડ્યુ હતુ.

આ પણ વાંચોઃ Aravalli: અરવલ્લી જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદ વરસ્યો, મુરઝાતા પાકને રાહત, જુઓ Video 

સતત ક્રિકેટ ચાહકોએ આ માટે થઈને રોષ દર્શાવ્યો હતો. ક્રિકેટ ચાહકોએ સતત ICC  અને BCCI ને નિશાને લીધુ હતુ. આ દરમિયાન હવે ટિકિટનો વધુ એક રાઉન્ડ શરુ કરવાનુ એલાન કરવામાં આવ્યુ છે. જેમાં તમામ મેચની 4 લાખ જેટલી ટિકિટોનુ વેચાણ કરવામાં આવનાર છે. આમ ક્રિકેટ ચાહકો માટે મોટા સમાચાર BCCI તરફથી વિશ્વકપને લઈને સામે આવ્યા છે.

તમામ મેચોની ટિકિટ ખરીદી શકાશે

અગાઉ જ્યારે ટિકિટોનુ વેચાણ શરુ થયુ ત્યારે જાણે કે ગણતરીની મિનિટોમાં જ વેચાઈ ગઈ હતી. ચપોચપ ટિકિટો વેચાઈ જવા બાદ હવે ક્રિકેટ રસિયાઓએ રોષ ઠાલવવો શરુ કર્યો હતો. સોલ્ડ આઉટનો નિર્દેશ સ્ક્રિન પર જોવા મળતા જ ક્રિકેટ રસિકોએ સોશિયલ મીડિયા પર આઈસીસી અને બીસીસીઆઈ સામે રોષ દર્શાવ્યો હતો. બાદમાં બીસીસીઆઈએ ક્રિકેટ રસિયાઓના ઉત્સાહને ધ્યાને લઈને વધુ ટિકિટોને વેચાણ માટે મુકવાનો નિર્ણય કર્યો હતો.

જે માટે સ્ટેટ ક્રિકેટ એસોસિએશન સાથે ચર્ચા કરીને વધારે ટિકિટો ઉપલબ્ધ કરવામાં આવી છે. આમ હવે બીજા તબક્કામાં ટિકિટોનુ વેચાણ શરુ કરાશે. સ્ટેટ એસોસિએશન સાથે વાતચિત કરીને 4 લાખ ટિકિટના વેચાણ કરવાને લઈ સહમતી દર્શાવાઈ હતી. આમ હવે ક્રિકેટ રસિયાઓને માટે સારા સમાચાર બીસીસીઆઈએ આપ્યા છે.

8 સેપ્ટેમ્બરથી કરાશે વેચાણ

આગામી 8મી સપ્ટેમ્બરથી ટિકિટોનુ વેચાણ શરુ કરવામાં આવનાર છે. રાત્રીના 8 કલાકે વિશ્વ કપની વેબસાઈટ પરથી આ ટિકિટોને ખરીદી શકાશે. આ માટે જલદીથી ટિકિટ ખરીદ કરવા માટે બોર્ડ દ્વારા અપીલ કરવામાં આવી છે. ત્યાર બાદ વધુ એક રાઉન્ડ ટિકિટનુ વેચાણ કરવામાં આવશે. જે અંગેની જાણકારી બાદમાં આપવામા આવશે એમ પણ બોર્ડ તરફથી જણાવ્યુ છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">