World Cup 2023: અમદાવાદમાં રમાશે ફાઈનલ મેચ! ક્યારે શરુ થશે અને ક્યારે સમાપન, કેટલા દિવસ ચાલશે વિશ્વકપ? જાણો સંપૂર્ણ વિગત

World Cup 2023 ની ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે એવા મીડિયા રિપોર્ટ્સ સામે આવ્યા છે. જ્યારે ગુજરાતમાં આ સિવાય રાજકોટને ઓક્ટોબર અને નવેમ્બરમાં રમાનાર વનડે વિશ્વકપની મેચના આયોજનનો લાભ મળશે.

World Cup 2023: અમદાવાદમાં રમાશે ફાઈનલ મેચ! ક્યારે શરુ થશે અને ક્યારે સમાપન, કેટલા દિવસ ચાલશે વિશ્વકપ? જાણો સંપૂર્ણ વિગત
World Cup 2023 shedule BCCI finalize the dates and venues
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 22, 2023 | 8:56 AM

આગામી વનડે વિશ્વકપ 2023 ભારતમાં આયોજીત થનાર છે. આ માટેની તૈયારીઓ શરુ કરી દેવાામાં આવી છે. ઓક્ટોબર અને નવેમ્બરમાં રમાનાર વનડે વિશ્વકપને લઈ ફાઈનલ મેચની સંભવિત તારીખ સામે આવી ચુકી છે. જોકે હજુ સુધી વિશ્વકપની તારીખોનુ એલાન ICC દ્વારા સત્તાવાર રીતે કરવામાં આવ્યુ નથી. જોકે વિશ્વકપની શરુઆત ઓક્ટોબરની 5 તારીખથી શરુ થઈ શકે છે અને ફાઈનલ મેચ 19 ઓક્ટોબરે રમાઈ શકે છે. આ માટે BCCI એ વનડે વિશ્વકપની મેચોના આયાજન માટે કેટલાક સ્થળ પસંદ કરી લીધા હોવાના અહેવાલ છે. જે મુજબ ફાઈનલ મેચ અમદાવાદમાં આવેલા વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં રમાઈ શકે છે. એટલે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઈનલ મેચનુ આયોજન થઈ શકે છે.

BCCI દ્વારા જે સ્થળો પસંદ કરવામાં આવ્યા છે, જેમાં અમદાવાદ સિવાય દિલ્હી, મુંબઈ, બેંગ્લુરુ, ચેન્નાઈ, કોલકાતા, હૈદરાબાદ, ધર્મશાળા, ગુવાહાટી, લખનૌ, ઇન્દોર અને રાજકોટનો સમાવેશ માનવામાં આવી રહ્યો છે. વનડે વિશ્વકપ 2023માં કુલ 48 મેચોનુ આયોજન કરવામાં આવશે. જેમાંથી 3 મેચો નોકઆઉટ રહેશે. વિશ્વકપ 46 દિવસો સુધી ચાલશે. આ માટે અત્યારથી જ ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા આયોજન શરુ કરી દેવામાં આવ્યા છે.

ક્યારે અને ક્યાં રમાશે મેચ? હજુ નિર્ણય બાકી

બોર્ડ દ્વારા સ્થળની પસંદ કરવામાં આવી ચુકી છે, જેમાં ફાઈનલ મેચ પણ ક્યાં રમાશે એ નિશ્ચિત કરી લેવામાં આવ્યુ હોવાના મીડિયા અહેવાાલો સામે આવી રહ્યા છે. જે મેદાન પસંદ કરવામાં આવ્યા છે, ત્યા કઈ મેચ ક્યારે રમાશે એ તારીખ કે શેડ્યૂલ હજુ નક્કી નથી. આ અંગેનો નિર્ણય પણ હજુ કરવામાં આવ્યો નથી. આ માટેનુ કારણ ચોમાસાનુ માનવામાં આવી રહ્યુ છે. આ દિવસો દરમિયાન કેટલાક સ્થળો પર વરસાદના સંકટ રહી શકે છે.

સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?
દિવાળી પર ગૃહિણીઓ આ કાર્યો દ્વારા કમાઈ શકો છો હજારો રુપિયા

પાકિસ્તાની ખેલાડીઓને લઈ સ્થિતી સ્પષ્ટ

વિશ્વકપ 2023 નુ શેડ્યૂલ હજુ સુધી જાહેર થયુ નથી. અગાઉ આ શેડ્યૂલ એકાદ વર્ષ પહેલાથી જ સામે આવી જતા હતા. આ માટે બે મુદ્દાઓ માનવામાં આવી રહ્યા છે. એક તો પાકિસ્તાની ખેલાડીઓને ભારત આવવાને લઈ વિઝા અને બીજો ટેક્સની બાબત. આ બંને મુદ્દે ભારત સરકાર પાસેથી ગ્રીન સિગ્નલ મેળવવા જરુરી છે. આ કાર્યવાહી માટે લાંબો સમય રહ્યો છે. જોકે હવે પાકિસ્તાની ખેલાડીઓને વિઝા આપવાને લઈ ભારતે સ્પષ્ટતા કરી દીધી છે.

ગત સપ્તાહે દુબઈમાં આઈસીસીની બેઠક મળી હતી. જેમાં BCCI દ્વારા બતાવવામાં આવ્યુ હતુ કે, પાકિસ્તાની ખેલાડીઓને ભારતના વિઝા મળવામાં કોઈ પરેશાની નહીં આવે. આમ પાકિસ્તાની ખેલાડીઓ ભારતમાં વનડે વિશ્વકપ રમતા જોવા મળવા સાથે લાંબા સમય બાદ તેઓ ભારતમાં ક્રિકેટ રમતા જોવા મળશે.

ટેક્સનો મુદ્દો રહ્યો ચર્ચામાં

આઈસીસી દ્વારા 2014માં ભારતીય ક્રિકેટ બોર્ડને ટી20 વિશ્વકપ 2016 અને 2021 તેમજ વનડે વિશ્વકપ 2023નુ આયોજન સોંપવામાં આવ્યુ હતુ. જોકે 2014માં આઈસીસીને એ વખતે કરારમાં ભારત સરકાર પાસેથી ટેક્સમાં છૂટછાટ અપવાનની વાત રાખી હતી. જોકે બાદમાં આઈસીસીને ભારતીય અધિકારીઓએ 20 ટકા ટેક્સ આપવાનુ બતાવ્યુ હતુ. જોકે આ બાબતે હાલમાં અંતિમ સ્થિતી શુ છે એ અંગેની જાણ બીસીસીઆઈ દ્વારા આઈસીસીને કરવામાં આવશે.

અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
g clip-path="url(#clip0_868_265)">