World Cup 2023: અમદાવાદમાં રમાશે ફાઈનલ મેચ! ક્યારે શરુ થશે અને ક્યારે સમાપન, કેટલા દિવસ ચાલશે વિશ્વકપ? જાણો સંપૂર્ણ વિગત

World Cup 2023 ની ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે એવા મીડિયા રિપોર્ટ્સ સામે આવ્યા છે. જ્યારે ગુજરાતમાં આ સિવાય રાજકોટને ઓક્ટોબર અને નવેમ્બરમાં રમાનાર વનડે વિશ્વકપની મેચના આયોજનનો લાભ મળશે.

World Cup 2023: અમદાવાદમાં રમાશે ફાઈનલ મેચ! ક્યારે શરુ થશે અને ક્યારે સમાપન, કેટલા દિવસ ચાલશે વિશ્વકપ? જાણો સંપૂર્ણ વિગત
World Cup 2023 shedule BCCI finalize the dates and venues
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 22, 2023 | 8:56 AM

આગામી વનડે વિશ્વકપ 2023 ભારતમાં આયોજીત થનાર છે. આ માટેની તૈયારીઓ શરુ કરી દેવાામાં આવી છે. ઓક્ટોબર અને નવેમ્બરમાં રમાનાર વનડે વિશ્વકપને લઈ ફાઈનલ મેચની સંભવિત તારીખ સામે આવી ચુકી છે. જોકે હજુ સુધી વિશ્વકપની તારીખોનુ એલાન ICC દ્વારા સત્તાવાર રીતે કરવામાં આવ્યુ નથી. જોકે વિશ્વકપની શરુઆત ઓક્ટોબરની 5 તારીખથી શરુ થઈ શકે છે અને ફાઈનલ મેચ 19 ઓક્ટોબરે રમાઈ શકે છે. આ માટે BCCI એ વનડે વિશ્વકપની મેચોના આયાજન માટે કેટલાક સ્થળ પસંદ કરી લીધા હોવાના અહેવાલ છે. જે મુજબ ફાઈનલ મેચ અમદાવાદમાં આવેલા વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં રમાઈ શકે છે. એટલે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઈનલ મેચનુ આયોજન થઈ શકે છે.

BCCI દ્વારા જે સ્થળો પસંદ કરવામાં આવ્યા છે, જેમાં અમદાવાદ સિવાય દિલ્હી, મુંબઈ, બેંગ્લુરુ, ચેન્નાઈ, કોલકાતા, હૈદરાબાદ, ધર્મશાળા, ગુવાહાટી, લખનૌ, ઇન્દોર અને રાજકોટનો સમાવેશ માનવામાં આવી રહ્યો છે. વનડે વિશ્વકપ 2023માં કુલ 48 મેચોનુ આયોજન કરવામાં આવશે. જેમાંથી 3 મેચો નોકઆઉટ રહેશે. વિશ્વકપ 46 દિવસો સુધી ચાલશે. આ માટે અત્યારથી જ ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા આયોજન શરુ કરી દેવામાં આવ્યા છે.

ક્યારે અને ક્યાં રમાશે મેચ? હજુ નિર્ણય બાકી

બોર્ડ દ્વારા સ્થળની પસંદ કરવામાં આવી ચુકી છે, જેમાં ફાઈનલ મેચ પણ ક્યાં રમાશે એ નિશ્ચિત કરી લેવામાં આવ્યુ હોવાના મીડિયા અહેવાાલો સામે આવી રહ્યા છે. જે મેદાન પસંદ કરવામાં આવ્યા છે, ત્યા કઈ મેચ ક્યારે રમાશે એ તારીખ કે શેડ્યૂલ હજુ નક્કી નથી. આ અંગેનો નિર્ણય પણ હજુ કરવામાં આવ્યો નથી. આ માટેનુ કારણ ચોમાસાનુ માનવામાં આવી રહ્યુ છે. આ દિવસો દરમિયાન કેટલાક સ્થળો પર વરસાદના સંકટ રહી શકે છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

પાકિસ્તાની ખેલાડીઓને લઈ સ્થિતી સ્પષ્ટ

વિશ્વકપ 2023 નુ શેડ્યૂલ હજુ સુધી જાહેર થયુ નથી. અગાઉ આ શેડ્યૂલ એકાદ વર્ષ પહેલાથી જ સામે આવી જતા હતા. આ માટે બે મુદ્દાઓ માનવામાં આવી રહ્યા છે. એક તો પાકિસ્તાની ખેલાડીઓને ભારત આવવાને લઈ વિઝા અને બીજો ટેક્સની બાબત. આ બંને મુદ્દે ભારત સરકાર પાસેથી ગ્રીન સિગ્નલ મેળવવા જરુરી છે. આ કાર્યવાહી માટે લાંબો સમય રહ્યો છે. જોકે હવે પાકિસ્તાની ખેલાડીઓને વિઝા આપવાને લઈ ભારતે સ્પષ્ટતા કરી દીધી છે.

ગત સપ્તાહે દુબઈમાં આઈસીસીની બેઠક મળી હતી. જેમાં BCCI દ્વારા બતાવવામાં આવ્યુ હતુ કે, પાકિસ્તાની ખેલાડીઓને ભારતના વિઝા મળવામાં કોઈ પરેશાની નહીં આવે. આમ પાકિસ્તાની ખેલાડીઓ ભારતમાં વનડે વિશ્વકપ રમતા જોવા મળવા સાથે લાંબા સમય બાદ તેઓ ભારતમાં ક્રિકેટ રમતા જોવા મળશે.

ટેક્સનો મુદ્દો રહ્યો ચર્ચામાં

આઈસીસી દ્વારા 2014માં ભારતીય ક્રિકેટ બોર્ડને ટી20 વિશ્વકપ 2016 અને 2021 તેમજ વનડે વિશ્વકપ 2023નુ આયોજન સોંપવામાં આવ્યુ હતુ. જોકે 2014માં આઈસીસીને એ વખતે કરારમાં ભારત સરકાર પાસેથી ટેક્સમાં છૂટછાટ અપવાનની વાત રાખી હતી. જોકે બાદમાં આઈસીસીને ભારતીય અધિકારીઓએ 20 ટકા ટેક્સ આપવાનુ બતાવ્યુ હતુ. જોકે આ બાબતે હાલમાં અંતિમ સ્થિતી શુ છે એ અંગેની જાણ બીસીસીઆઈ દ્વારા આઈસીસીને કરવામાં આવશે.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">