AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પાકિસ્તાનના પૂર્વ ખેલાડીએ અર્શદીપ સિંહ પર વિવાદિત ટિપ્પણી કરી, હરભજન સિંહ ગુસ્સે થયો

ભારત-પાકિસ્તાનની મેચ દરમિયાન પૂર્વ ક્રિકેટર કામરાન અકમલે અર્શદીપ સિંહની મજાક ઉડાડતા શિખ ધર્મ પર સવાલો ઉભા કર્યા બાદ હરભજન સિંહે પૂર્વ પાકિસ્તાની ક્રિકેટરને જવાબ આપ્યો છે. કામરાનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

પાકિસ્તાનના પૂર્વ ખેલાડીએ અર્શદીપ સિંહ પર વિવાદિત ટિપ્પણી કરી, હરભજન સિંહ ગુસ્સે થયો
| Updated on: Jun 11, 2024 | 11:10 AM
Share

ટી20 વર્લ્ડકપ 2024માં પાકિસ્તાનની ભારત સામે હાર થઈ છે. પાકિસ્તાનની ટીમ તો હારી પરંતુ પૂર્વ ક્રિકેટરે પોતાનો રંગ દેખાડ્યો હતો. ન્યુયોર્કમાં ભારત-પાકિસ્તાનની મેચ ચાલી રહી હતી તો પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર અને બાબર આઝમનો કઝિન ભાઈ કામરાન અકમલે શીખ ધર્મ પર વિવાદિત ટિપ્પણી કરી હતી. ત્યારબાદ હરભજન સિંહે તેમને જવાબ પણ આપ્યો છે.

હરભજન સિંહે કામરાનને આપ્યો જવાબ

કામરાન અકમલ એક શોમાં ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી છેલ્લી ઓવર પહેલા અર્શદીપ સિંહ પર કોમેન્ટ કરી રહ્યો હતો. તેમણે કહ્યું કે, અર્શદીપ સિંહ 20મી ઓવર નાંખશે અને તે રન આપી પણ શકે છે. આટલું કહેતા કહેતા તેમણે શીખ ધર્મનું અપમાન કરવાનો પ્રયત્ન કર્યો હતો. હવે હરભજન સિંહે કામરાન અકમલને જવાબ આપ્યો છે.

હરભજ સિંહે ટ્વિટ કરી લખ્યું કામરાન અકમલ તારે તારું મોઢું ખોલતા પહેલા શિખ ધર્મના ઈતિહાસ વિશે જાણવાની જરુર હતી. અમે શીખોએ તમારી માતા અને બહેનોને ઘૂસણખોરોથી બચાવ્યા છે. તે સમયે 12 વાગ્યા હતા. તમને શરમ આવવી જોઈએ.

પૂર્વ ક્રિકેટરે માંગી માફી

અર્શદીપે 4 ઓવરમાં 31 રન આપી 1 વિકેટ લીધી હતી. પાકિસ્તાન 6 રનથી હારી ગયું હતુ. આ બધું થયા પછી કામરાન અકમલે માફી માગી છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી લખ્યું મારી કોમેન્ટ પર મને અફસોસ થયો છે અને હું હરભજન સિંહ અને શીખ સમુદાયની માફી માગુ છુ. મારા શબ્દો ખોટા અને અપમાનજનક હતા. હું તમામ શીખોનું સન્માન કરું છુ. મારો કોઈને દુખ પહોંચાડવાનો ઈરાદો ન હતો. હું માફી માંગુ છુ.

આ પણ વાંચો : T20 World Cup 2024 : અમદાવાદના ખેલાડીએ ટી20 વર્લ્ડકપની મેચ શરુ થયાના આટલા કલાક બાદ જીત અપાવી

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
ફરી એકસાથે દેખાયા ભાજપના જયેશ રાદડિયા અને AAPના ગોપાલ ઈટાલિયા
ફરી એકસાથે દેખાયા ભાજપના જયેશ રાદડિયા અને AAPના ગોપાલ ઈટાલિયા
ડુંગળી પકવતા ખેડૂતો માટે "પડ્યા પર પાટુ" જેવી સ્થિતિ સર્જાઈ
ડુંગળી પકવતા ખેડૂતો માટે
g clip-path="url(#clip0_868_265)">