ENG vs IND: વિરાટ, પંત અને બુમરાહ બર્મિંગહામમાં રોકાશે, પ્રથમ T20માં ન રમવાનું આ કારણ છે
Cricket: ભારત અને ઈંગ્લેન્ડ (ENG vs IND) વચ્ચે 7 જુલાઈથી ત્રણ મેચની T20 સીરીઝ શરૂ થઈ રહી છે. પહેલી ટી20 મેચથી જ રોહિત શર્મા ટીમ ઇન્ડિયામાં પાછો ફરી શકે છે.
ભારત અને ઈંગ્લેન્ડ (ENG vs IND) વચ્ચે 7 જુલાઈથી ત્રણ મેચની T20 સીરીઝ શરૂ થઈ રહી છે. પરંતુ પ્રથમ મેચમાં વિરાટ કોહલી (Virat Kohli) સહિત ટીમ ઈન્ડિયા (Team India) ના ઘણા મહત્વના ખેલાડીઓ રમતા જોવા મળશે નહીં. વિરાટ કોહલી, રિષભ પંત, જસપ્રિત બુમરાહ અને શ્રેયસ અય્યરે બીજી T20I માટે બર્મિંગહામમાં જ રહેવાનો નિર્ણય કર્યો છે.
એ પહેલાથી જ સ્પષ્ટ હતું કે એજબેસ્ટન ટેસ્ટ રમી રહેલા ખેલાડીઓ પ્રથમ T20માં ટીમ ઈન્ડિયાનો ભાગ નહીં હોય. ટેસ્ટ રમી રહેલા ખેલાડીઓને આરામ મળે તે માટે આવો નિર્ણય લેવામાં આવ્યો હતો. જો BCCI એ આ નિર્ણય ન લીધો હોત તો આ ખેલાડીઓએ એજબેસ્ટન ટેસ્ટ રમ્યા બાદ તરત જ સાઉથમ્પટન જવા રવાના થઈ ગયા હોત અને પછી બીજી T20I માટે બર્મિંગહામ પરત ફરવું પડત.
ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) જોકે પ્રથમ ટી20માં ટીમ ઈન્ડિયાની આગેવાની કરતો જોવા મળશે. રોહિત શર્મા મંગળવારે એજબેસ્ટનમાં ટીમ ઈન્ડિયા સાથે હતો. ટીમ ઈન્ડિયાના કોચ રાહુલ દ્રવિડના બર્મિંગહામમાં રોકાણને લઈને હજુ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. એવી સંભાવના છે કે VVS લક્ષ્મણ પ્રથમ T20માં મુખ્ય કોચની ભૂમિકા ભજવતો જોવા મળે.
.@BCCI have arrived at The Ageas Bowl ahead of the first T20 international against @englandcricket on Thursday 🙌
Go behind the scenes as the team began preparations for what should be a mouth-watering contest 😮💨#ENGvIND@hardikpandya7 | @IamSanjuSamson pic.twitter.com/Xax1xSfWr6
— The Ageas Bowl (@TheAgeasBowl) July 5, 2022
આ ખેલાડીઓની થશે વાપસી
ટેસ્ટ ટીમમાં સામેલ ચેતેશ્વર પૂજારા (Cheteshwar Pujara) હવે ભારત માટે પરત ફરશે. તેમના સિવાય હનુમા વિહારી, મયંક અગ્રવાલ અને આર અશ્વિન પણ ભારત પરત ફરશે. આટલું જ નહીં પ્રથમ T20 મેચ બાદ વેંકટેશ અય્યર, રાહુલ ત્રિપાઠી, સંજુ સેમસન અને ઋતુરાજ ગાયકવાડ પણ ભારત પરત ફરશે.
તો બીજી તરફ ઉમરાન મલિક (Umran Malik) ODI શ્રેણીના અંત સુધી નેટ બોલર તરીકે ઈંગ્લેન્ડમાં રહી શકે છે. મહત્વનું છે કે ઉમરાન મલિક ઇંગ્લેન્ડમાં પ્રેક્ટિસ મેચ દરમ્યાન ટીમ ઇન્ડિયાનો ભાગ બન્યો હતો. તો આયરલેન્ડ સામેની સીરિઝ દરમ્યાન ટીમ ઇન્ડિયા માટે ડેબ્યુ કરી ચુક્યો છે. બીજી તરફ અર્શદીપ સિંહ વનડે શ્રેણીનો ભાગ હોવાને કારણે ત્યાં જ રહેશે.