AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ENG vs IND : Team India ટી-20 સિરીઝ માટે Ageas Bowl માં પહોંચી, હાર્દિક-ચહલ અને કાર્તિક સહિત આ ખેલાડીઓએ શરૂ કરી પ્રેક્ટિસ

IND vs ENG T20I Series: વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ, રવિન્દ્ર જાડેજા, શ્રેયસ અય્યર અને ઋષભ પંત જેવા દિગ્ગજ ખેલાડીઓને પ્રથમ T20 માટે ટીમમાં સ્થાન મળ્યું નથી. આ બધા બીજી ટી-20થી જોવા મળશે.

ENG vs IND : Team India ટી-20 સિરીઝ માટે Ageas Bowl માં પહોંચી, હાર્દિક-ચહલ અને કાર્તિક સહિત આ ખેલાડીઓએ શરૂ કરી પ્રેક્ટિસ
Team India (PC: Twitter)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 06, 2022 | 10:26 AM
Share

ભારતીય ટીમ (Team India) આ દિવસોમાં ઈંગ્લેન્ડના પ્રવાસે છે. ટેસ્ટમાં હાર બાદ હવે ભારત અને ઈંગ્લેન્ડ (ENG vs IND) વચ્ચે 7 જુલાઈથી ટી-20 સિરીઝ શરૂ થવા જઈ રહી છે. સિરીઝની પ્રથમ મેચ સાઉથમ્પટનના ધ રોઝ બાઉલ ખાતે રાત્રે 10.30 કલાકે શરૂ થશે. આ મેચ માટે ભારતીય ટીમે પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. ટીમ ઈન્ડિયાની પ્રેક્ટિસનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ભારતીય ખેલાડીઓ નેટ પર પ્રેક્ટિસ કરતા જોવા મળે છે.

પહેલી ટી20માં આ ખેલાડીઓને આરામ મળશે

ઘણા ખેલાડીઓને પ્રથમ T20 માટે આરામ આપવામાં આવ્યો છે. આ ખેલાડીઓ બીજી T20થી ભારતીય ટીમનો ભાગ બનશે. વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ, રવિન્દ્ર જાડેજા, શ્રેયસ અય્યર અને રિષભ પંત જેવા દિગ્ગજ ખેલાડીઓને પ્રથમ T20 માટે ટીમમાં સ્થાન મળ્યું નથી. ઋતુરાજ ગાયકવાડ, સંજુ સેમસન, રાહુલ ત્રિપાઠી, વેંકેશ અય્યર અને અર્શદીપને પ્રથમ T20 માટે ટીમ ઈન્ડિયામાં જગ્યા મળી છે. તો રોહિત શર્મા, જેણે છેલ્લી ટેસ્ટમાં કોરોના પોઝિટિવ હોવાના કારણે કેપ્ટનશિપ કરી ન હતી. તે હવે કેપ્ટન તરીકે વાપસી કરી રહ્યો છે.

પાંચમી ટેસ્ટ મેચમાં ભારતની કારમી હાર થઇ હતી

ઈંગ્લેન્ડ સામે 2-1 થી આગળ હોવા છતાં ભારતીય ટીમ શ્રેણી જીતવામાં નિષ્ફળ રહી હતી. એજબેસ્ટન ખાતે રમાયેલી શ્રેણીની છેલ્લી ટેસ્ટમાં ઈંગ્લેન્ડ (England Cricket Team) ના બેટ્સમેનોએ ભારતના બોલરોની બીજી ઈનિંગમાં ખૂબ ધોલાઈ કરી હતી અને 378 રનનો રેકોર્ડ લક્ષ્યાંક હાંસલ કરી અને જીત નોંધાવી. આ રીતે પહેલીવાર ભારતીય ટીમની કેપ્ટનશીપ કરી રહેલા જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) ને ઐતિહાસિક શરૂઆતની તક મળી શકી નથી. સિરીઝમાં શાનદાર પ્રદર્શન કરનાર સ્ટાર ફાસ્ટ બોલરે ટીમ ઈન્ડિયાની બેટિંગને હારનું કારણ ગણાવ્યું અને કહ્યું કે ભારતે પ્રથમ ત્રણ દિવસનું વર્ચસ્વ સરળતાથી ગુમાવી દીધું.

પહેલી ટી20 મેચ માટે ભારતીય ટીમ

રાહુલ ત્રિપાઠી, રોહિત શર્મા ( સુકાની), ઋતુરાજ ગાયકવાડ, સૂર્યકુમાર યાદવ, અક્ષર પટેલ, દીપક હુડા, હાર્દિક પંડ્યા, વેંકટેશ અય્યર, દિનેશ કાર્તિક (વિકેટકીપર), ઈશાન કિશન, સંજુ સેમસન, અર્શદીપ સિંહ, અવેશ ખાન, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ , રવિ બિશ્નોઈ, ઉમરાન મલિક, યુઝવેન્દ્ર ચહલ.

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">