AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Duleep Trophy 2026: શુભમન ગિલની જગ્યાએ જમ્મુ અને કાશ્મીરનો આ ખેલાડી બન્યો ટીમનો કેપ્ટન

દુલીપ ટ્રોફી 2026 23 ઓગસ્ટથી શરૂ થવાની છે. આ ટુર્નામેન્ટ માટે નોર્થ ઝોન ટીમની જાહેરાત કરવામાં આવી છે. ટીમનું નેતૃત્વ શુભમન ગિલની જગ્યાએ જમ્મુ અને કાશ્મીરનો કન્હૈયા વાધવન કરશે. ચાલો જાણીએ કોણ છે ખેલાડી.

Duleep Trophy 2026: શુભમન ગિલની જગ્યાએ જમ્મુ અને કાશ્મીરનો આ ખેલાડી બન્યો ટીમનો કેપ્ટન
Kanhaiya WadhawanImage Credit source: X
| Updated on: Aug 03, 2026 | 5:45 PM
Share

નોર્થ ઝોને દુલીપ ટ્રોફી 2026 માટે તેની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. આ વખતે, ટીમનું નેતૃત્વ જમ્મુ અને કાશ્મીરના યુવા સ્ટાર 24 વર્ષીય કન્હૈયા વાધવનને સોંપવામાં આવ્યું છે. જ્યારે દિલ્હી ક્રિકેટ એસોસિએશન (DDCA) ના આયુષ બદોનીને ટીમનો વાઈસ કેપ્ટન નિયુક્ત કરવામાં આવ્યો છે. આ ફર્સ્ટ ક્લાસ ટુર્નામેન્ટ 23 ઓગસ્ટથી શરૂ થવાની છે અને કુલ છ ટીમો ભાગ લેશે: વેસ્ટ ઝોન, ઈસ્ટ ઝોન, સાઉથ ઝોન, નોર્થ ઝોન, નોર્થ-ઈસ્ટ ઝોન અને સેન્ટ્રલ ઝોન.

કન્હૈયા વાધવાન કોણ છે?

કન્હૈયા વાધવન જમ્મુ અને કાશ્મીરનો સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન છે. તેણે જમ્મુ અને કાશ્મીરને રણજી ટ્રોફી જીતાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ગયા સિઝનમાં શુભમન ગિલને ટીમની કમાન સોંપવામાં આવી હતી. જોકે, તે ઈજાને કારણે રમી શક્યો ન હતો. આ વર્ષે, દુલીપ ટ્રોફી દરમિયાન જ શ્રીલંકા સામે ભારતીય ટીમની ટેસ્ટ સિરીઝ છે, જેના કારણે શુભમન ગિલ અને આકિબ નબી જેવા ખેલાડીઓ ટુર્નામેન્ટ માટે ઉપલબ્ધ નથી. આ જ કારણ છે કે કન્હૈયા વાધવનને આ વખતે ટીમની કમાન સોંપવામાં આવી છે.

કન્હૈયા પહેલીવાર ટીમનું નેતૃત્વ કરશે

કન્હૈયાએ રણજી ટ્રોફીની જીતમાં 13 ઈનિંગમાં 36.56 ની સરેરાશથી 474 રન બનાવ્યા હતા, જેમાં ફાઇનલમાં એક સદી અને એક ફિફ્ટીનો સમાવેશ થાય છે. કન્હૈયા 2025 માં નોર્થ ઝોન દુલીપ ટ્રોફી ટીમનો પણ ભાગ હતો, તેણે ત્રણ ઇનિંગમાં 99 રન બનાવ્યા હતા. હવે, તે પહેલીવાર આ સ્તરની ટીમનું નેતૃત્વ કરવા માટે તૈયાર છે.

અર્શદીપ સિંહ પેસ આક્રમણ સંભાળશે

15 સભ્યોની નોર્થ ઝોન ટીમમાં દિલ્હી (DDCA), જમ્મુ અને કાશ્મીર (JKCA) અને પંજાબ ક્રિકેટ એસોસિએશન (PCA) ના ખેલાડીઓનો સમાવેશ થાય છે. આ ટીમમાં રણજી ટ્રોફી ચેમ્પિયન જમ્મુ અને કાશ્મીરના છ ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. અર્શદીપ સિંહ ઝડપી બોલિંગ આક્રમણનું નેતૃત્વ કરશે. અર્શદીપ સિંહ અને અંશુલ કંબોજ આખી ટીમમાં એકમાત્ર એવા ખેલાડીઓ છે જેમણે ભારત માટે આંતરરાષ્ટ્રીય મેચ રમી છે.

નોર્થ ઝોનની 15 સભ્યોની ટીમ

કન્હૈયા વાધવાન (કેપ્ટન), આયુષ બદોની (વાઈસ-કેપ્ટન), સનત સાંગવાન, કામરાન ઈકબાલ, યશ ધુલ, આયુષ ડોસેજા, અબ્દુલ સમદ, નિશાંત સિંધુ, અર્જુન શર્મા, આબિદ મુશ્તાક, અર્શદીપ સિંહ, સુનીલ કુમાર, અંશુલ કંબોજ, યુદ્ધવીર સિંહ અને નિખિલ કશ્યપ.

Shubman Gill: શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણી બાદ શુભમન ગિલ નવી T20 લીગમાં રમશે

Follow Us
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
ગીરમાં રસ્તા પર ઉતર્યું 12 સિંહોનું ટોળું! અદ્ભુત દૃશ્યો કેમેરામાં કેદ
ગીરમાં રસ્તા પર ઉતર્યું 12 સિંહોનું ટોળું! અદ્ભુત દૃશ્યો કેમેરામાં કેદ
અમરેલીમાં માત્ર એક ગાયે 7 સિંહોને ઊભી પૂંછડીએ ભગાડ્યા, અનોખો Video વાય
અમરેલીમાં માત્ર એક ગાયે 7 સિંહોને ઊભી પૂંછડીએ ભગાડ્યા, અનોખો Video વાય
રાજ્યમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી
રાજ્યમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી
વડોદરામાં ડભોઈમાં ભારે વરસાદ, ઢાઢર નદીના પૂરથી 10 ગામમાં તારાજી- Video
વડોદરામાં ડભોઈમાં ભારે વરસાદ, ઢાઢર નદીના પૂરથી 10 ગામમાં તારાજી- Video
ડીસામાં ભારે વરસાદ બાદ ખેતરો જળમગ્ન, પાક બર્બાદ થવાની ભીતિ
ડીસામાં ભારે વરસાદ બાદ ખેતરો જળમગ્ન, પાક બર્બાદ થવાની ભીતિ
દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત
દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત
g clip-path="url(#clip0_868_265)">