Cricket: ઝિમ્બાબ્વે પહોંચેલી શ્રીલંકન ટીમમાં કોરોના સંક્રમણ ફેલાયુ, 6 ખેલાડીઓ કોરોનાની ઝપેટમાં

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એ આફ્રિકન ક્ષેત્રમાં કોવિડ-19 (Covid-19) નું નવું સ્વરૂપ મળી આવ્યા બાદ આવતા વર્ષે યોજાનાર મહિલા ODI વર્લ્ડ કપ ક્વોલિફાઈંગ ઈવેન્ટને રદ કરી દીધી છે.

Cricket: ઝિમ્બાબ્વે પહોંચેલી શ્રીલંકન ટીમમાં કોરોના સંક્રમણ ફેલાયુ, 6 ખેલાડીઓ કોરોનાની ઝપેટમાં
Sri Lankan Woman Cricket Team
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 28, 2021 | 10:00 PM

રમતગમતની દુનિયામાં કોરોના (Corona virus) ફરી પાછો ફર્યો છે. કોરોનાના નવા વેરિઅન્ટ (Omicron) ની અસર દક્ષિણ આફ્રિકા, બ્રિટન અને ઝિમ્બાબ્વે જેવા દેશોમાં જોવા મળી રહી છે, જેના કારણે ઘણી લીગ અને મહત્વપૂર્ણ ટૂર્નામેન્ટ રદ કરવામાં આવી છે. ઝિમ્બાબ્વેમાં કોરોનાનો કહેર ત્યાં પહોંચેલી શ્રીલંકન ક્રિકેટ ટીમ (Sri Lankan Cricket Team) પર પણ તૂટી પડ્યો હતો. ICC વર્લ્ડ કપની ક્વોલિફાઈંગ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા પહોંચેલી શ્રીલંકાની મહિલા ટીમની છ ખેલાડીઓ કોરોનાથી પીડિત હોવાનું જાણવા મળ્યું છે. શ્રીલંકા ક્રિકેટ બોર્ડે આ વાતની પુષ્ટિ કરી છે.

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ આફ્રિકન ક્ષેત્રમાં કોવિડ-19ના નવા સ્વરુપને શોધી કાઢ્યા બાદ ICCએ શનિવારે હરારેમાં આગામી વર્ષે યોજાનાર મહિલા ODI વર્લ્ડ કપ માટે ચાલી રહેલા ક્વોલિફાયર્સને રદ કરી દીધા છે. જેનાથી રેન્કિંગના આધારે પાકિસ્તાન, વેસ્ટ ઈન્ડિઝ અને બાંગ્લાદેશ ક્વોલિફાય થયા હતા. શ્રીલંકાની ટીમ પણ આ જ ટુર્નામેન્ટમાં ભાગ લેવા આવી હતી.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

કોરોનાની ઝપેટમાં છ ખેલાડીઓ

આઈસીસીએ શનિવારે આ નિર્ણય લીધો હતો, કારણ કે શ્રીલંકન ટીમના સપોર્ટ સ્ટાફનો એક સભ્ય કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. આ પછી વેસ્ટ ઈન્ડિઝ અને શ્રીલંકા વચ્ચેની મેચ સ્થગિત કરવામાં આવી હતી. હવે ટીમના છ ખેલાડીઓ પણ કોરોનાથી સંક્રમિત જોવા મળ્યા છે. આ પછી, બોર્ડે તેના નિવેદનમાં કહ્યું, શ્રીલંકાની મહિલા ટીમને વહેલામાં વહેલી તકે દેશમાં પરત લાવવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે. જોકે, બોર્ડે સ્પષ્ટ કર્યું નથી કે ખેલાડીઓ નવા વેરિઅન્ટથી પ્રભાવિત થયા છે કે કેમ.

ICC એ વર્લ્ડ કપ ક્વોલિફાઈંગ ટુર્નામેન્ટ રદ્દ કરી

ઝિમ્બાબ્વે વિરુદ્ધ પાકિસ્તાન અને યુએસ વિરુદ્ધ થાઈલેન્ડ વચ્ચેની ત્રણ અને બે નિર્ધારિત મેચો શનિવારથી શરૂ થઈ ગઈ હતી. પરંતુ વેસ્ટ ઈન્ડિઝ અને શ્રીલંકા વચ્ચેની દિવસની ત્રીજી મેચ શ્રીલંકાની ટીમના સપોર્ટ સ્ટાફના સભ્યએ કોવિડ-નો ટેસ્ટ કરાવ્યા બાદ રમાઈ શકી ન હતી. કારણ કે સપોર્ટ સ્ટાફનો એક કર્મચારી કોવિડ-19 પોઝિટિવ જણાયા હતા.

ICC ટૂર્નામેન્ટના વડા ક્રિસ ટેટલેએ જણાવ્યું હતું કે, આ ટૂર્નામેન્ટની બાકીની મેચો રદ્દ કરી દેવાથી અમે ખૂબ જ નિરાશ છીએ, પરંતુ આટલા ઓછા સમયમાં કેટલાય આફ્રિકન દેશોમાં પ્રવાસ પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. તેના કારણે ટીમો સ્વદેશ પરત ફરી શકશે નહીં તેવું ગંભીર જોખમ હતું. ન્યુઝીલેન્ડમાં 4 માર્ચથી 3 એપ્રિલ દરમિયાન યોજાનાર વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થનારી ટીમો ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ભારત, દક્ષિણ આફ્રિકા, ન્યુઝીલેન્ડ (યજમાન), પાકિસ્તાન, વેસ્ટ ઈન્ડિઝ અને બાંગ્લાદેશ છે.

આ પણ વાંચોઃ IPL 2022: RCB ની સામે મોટી મુશ્કેલી! કયા ખેલાડીને રાખવો અને કોને છોડવો, કેપ્ટનશિપને લઇને પણ અનિશ્વિતતા!

આ પણ વાંચોઃ IND vs NZ: ચેતેશ્વર પુજારા અને રહાણેના બેટ થી નિરાશા, વિદેશ અને ઘર આંગણે નિરાશાજનક રમત, બંને માટે સર્જાઇ શકે છે મુશ્કેલી!

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">