Breaking News : ટીમ ઈન્ડિયાએ 12 વર્ષ પછી આટલો ખરાબ દિવસ જોયો, ઈંગ્લેન્ડે સીરિઝ પર કબ્જો કર્યો
IND vs ENG 4th T20I : ટીમ ઈન્ડિયાને ઈંગ્લેન્ડ વિરુદ્ધ ચોથી ટી20 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ સાથે ઈંગ્લેન્ડની ટીમે 5 મેચની આ સીરિઝમાંહારનો સામનો કરવો પડ્યો છે.ટીમ ઈન્ડિયાએ 12 વર્ષ પછી આટલો ખરાબ દિવસ જોયો હતો.

ભારતીય ક્રિકેટ ટીમ માટે ઈંગ્લેન્ડનો પ્રવાસ ખરાબ સપનાથી ઓછો નથી. બ્રિસ્ટલના કાઉન્ટી ગ્રાઉન્ડમાં રમાયેલી ચોથી ટી20 ઈન્ટરનેશનલ મેચમાં યજમાન ઈંગ્લેન્ડે ભારતને શર્મનાક રીતે 9 વિકેટથી હરાવ્યું હતુ. આ હારની સાથે ઈંગ્લેન્ડે પાંચ મેચની આ ટી20 સીરિઝમાં 3-0થી લીડ મેળવી સીરિઝ પોતાને નામ કરી હતી. ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં આ 12 વર્ષ પછી થયું જ્યારે ટીમ ઈન્ડિયાને ઈંગ્લેન્ડ વિરુદ્ધ કોઈ ટી20 સીરિઝમાં હારનો સામનો કરવો પડ્યો છે.
શ્રેયસની મહેનત પર પાણી ફર્યું
કરો યા મરો વાળી મેચમાં ભારતીય ટીમની શરુઆત ખુબ ખરાબ રહી હતી અને ટોપ ઓર્ડર પુરી રીતે ફ્લોપ રહ્યો હતા. કેપ્ટન શ્રેયસ અય્યરે મોર્ચાની આગેવાની કરતા 49 બોલમાં અણનમ 80 રનની ઈનિગ્સ રમી હતી. અય્યરની મોટી ઈનિગ્સે ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 158નો સ્કોર કર્યો હતો.પરંતુ ભારતીય બોલરના નબળા પ્રદર્શનને કારણે આ સ્કોર ઘણો નાનો લાગ્યો.
શ્રેયસ અય્યર સિવાય કોઈ પણ ભારતીય બેટ્સમેન આ મેચમાં 30 રનનો આંકડો કરી શક્યો નહી. શિવમ દુબે 22 રનની સાથે બીજો સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેન રહ્યો હતો. અભિષેક શર્માએ 16 રન અને વૈભવ સૂર્યવંશીએ માત્ર 15 રન બનાવ્યા હતા. બીજી બાજુ ઈંગ્લેન્ડ માટે જોફ્રા આર્ચર અને જોશ ટંગે શાનદાર બોલિંગ કરી 2-2 વિકેટ પોતાને નામ કરી હતી. જેક્સ અને આદિલ રશિદે પણ 1-1 વિકેટ લીધી હતી.
કેપ્ટન અય્યરે 7 વર્ષ જુનો ઈતિહાસ રિપીટ કર્યો
ટીમ ઈન્ડિયાની સાથે છેલ્લી વખત 2019માં થયું હતુ. જ્યારે બેક ટુ બેક ટી20 સીરિઝ હારી હતી. ત્યારે વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં પહેલા ન્યુઝીલેન્ડ વિરુદ્ધ તેના ઘર આંગણે રમેલી ટી20 સીરિઝ હારી ત્યારબાદ ઓસ્ટ્રેલિયા સામે હાર મળી હતી. શ્રેયસ અય્યરની કેપ્ટનશીપમાં 7 વર્ષનો જુનો રેકોર્ડની બરાબરી કરી હતી.
સૂર્યકુમાર યાદવને 2 વર્ષ લાગ્યા અને અય્યરને માત્ર 2 અઠવાડિયા
શ્રેયસ અય્યરને સૂર્યકુમાર યાદવના સ્થાને ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનાવ્યો છે. પરંતુ કેપ્ટન સૂર્યકુમાર યાદવને 5 હારમાં 2 વર્ષ લાગ્યા હતા. તો શ્રેયસ અય્યરને 2 અઠવાડિયા જ લાગ્યા હતા. આખી સીરિઝમાં તેની કેપ્ટનશીપમાં ટીમ હારી હતી.તમને જણાવી દઈએ કે, ઈંગ્લેન્ડ પહેલા ટીમ ઈન્ડિયા શ્રેયસ અય્યરની કેપ્ટનશીપમાં આયરલેન્ડ વિરુદ્ધ પહેલી ટી20 સીરિઝ પણ હારી ચૂકી છે.
