AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ભારત WCL 2025માંથી બહાર, પાકિસ્તાને ફાઈનલમાં મેળવ્યું સ્થાન

વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ 2025 સંબંધિત એક મોટી અપડેટ બહાર આવી છે. ઈન્ડિયા ચેમ્પિયન્સે ટુર્નામેન્ટમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. આવી સ્થિતિમાં, પાકિસ્તાન હવે સીધું ટુર્નામેન્ટની ફાઈનલમાં પહોંચી ગયું છે. આ બંને ટીમો વચ્ચે સેમિફાઈનલ મેચ 31 જુલાઈએ રમાવાની હતી.

Breaking News : ભારત WCL 2025માંથી બહાર, પાકિસ્તાને ફાઈનલમાં મેળવ્યું સ્થાન
WCL 2025Image Credit source: X/WCL
| Updated on: Jul 30, 2025 | 7:32 PM
Share

ઈન્ડિયા ચેમ્પિયન્સે વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ (WCL 2025) માંથી સત્તાવાર રીતે પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. પાકિસ્તાન સામે રમવાનો ઈનકાર કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ભારતે પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું હતું કે તે આ ટુર્નામેન્ટમાં પાકિસ્તાન સામે કોઈ મેચ નહીં રમે. અગાઉ ભારત-પાકિસ્તાન મેચ લીગ સ્ટેજમાં રદ કરવામાં આવી હતી, અને હવે સેમિફાઈનલ પહેલા પણ, ભારતીય ટીમે પાકિસ્તાન સામે ન રમવાનો નિર્ણય લીધો છે. જેના કારણે તે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે.

ભારત WCL 2025માંથી બહાર

આ વર્ષે એપ્રિલમાં પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. જેના કારણે ભારતીય ખેલાડીઓના ભારે વિરોધ બાદ લીગ તબક્કામાં ભારત-પાકિસ્તાન મેચ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સુરેશ રૈના અને શિખર ધવન જેવા ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરોએ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ આ મેચમાં ભાગ લેશે નહીં.

પાકિસ્તાન ફાઈનલમાં પહોંચ્યું

સેમિફાઈનલ મેચ પહેલા પણ આવું જ કંઈક જોવા મળ્યું હતું. એક અહેવાલ મુજબ, ભારતે વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સમાંથી ખસી ગયું છે. આવી સ્થિતિમાં, પાકિસ્તાન હવે સીધું ટૂર્નામેન્ટની ફાઈનલમાં પહોંચી ગયું છે.

ભારતીય ખેલાડીઓએ રમવાનો ઈનકાર કર્યો

તમને જણાવી દઈએ કે, વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સના લીગ તબક્કામાં 20 જુલાઈએ ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ યોજાવાની હતી. પરંતુ ખેલાડીઓને ચાહકો તરફથી તીવ્ર પ્રતિક્રિયાનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ ભારતીય ખેલાડીઓએ આ મેચમાં રમવાનો ઈનકાર કરી દીધો હતો અને મેચ રદ કરવામાં આવી હતી. હવે બંને ટીમો 31 જુલાઈએ સેમિફાઈનલ મેચમાં ટકરાવવાની હતી. પરંતુ ભારતીય ખેલાડીઓએ તેમના કટ્ટર હરીફ સાથે કોઈપણ સ્પર્ધાત્મક મેચમાં ભાગ ન લેવાની નીતિ જાળવી રાખવાનો નિર્ણય કર્યો.

ગત સિઝનમાં ભારતે ટાઈટલ જીત્યું હતું

તમને જણાવી દઈએ કે, આ વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સની બીજી સિઝન છે. પહેલી સિઝન ઈન્ડિયા ચેમ્પિયન્સે જીતી હતી. ઈન્ડિયા ચેમ્પિયન્સે પાકિસ્તાનને 5 વિકેટથી હરાવીને ફાઈનલ જીતી હતી. આ વખતે પણ ઈન્ડિયા ચેમ્પિયન્સ સેમિફાઈનલમાં પહોંચવામાં સફળ રહી. પરંતુ હવે ટુર્નામેન્ટમાંથી ખસી ગઈ છે.

આ પણ વાંચો: Breaking News : ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાન સામે રમવાનો ઈનકાર કર્યો, WCL 2025ની સેમિફાઈનલ મેચ થશે રદ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
g clip-path="url(#clip0_868_265)">