AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : એશિયા કપ 2025ની તારીખ જાહેર, આ દિવસે થશે ભારત-પાકિસ્તાનની ટક્કર

એશિયન ક્રિકેટ કાઉન્સિલની તાજેતરની બેઠકમાં એશિયા કપના શેડ્યૂલની ચર્ચા કરવામાં આવી હતી, જ્યાં ટુર્નામેન્ટના સ્થળ ઉપરાંત, તેની તારીખોને પણ અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટનું આયોજન BCCI દ્વારા કરવામાં આવશે.

Breaking News : એશિયા કપ 2025ની તારીખ જાહેર, આ દિવસે થશે ભારત-પાકિસ્તાનની ટક્કર
India vs PakistanImage Credit source: Getty Images
| Updated on: Jul 26, 2025 | 8:55 PM
Share

તમામ વિવાદો અને દાવાઓ છતાં, ભારત અને પાકિસ્તાન ટૂંક સમયમાં ક્રિકેટ પિચ પર એકબીજા સાથે ટકરાતા જોવા મળશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ ટક્કર એશિયા કપ 2025માં થશે, જેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. એશિયન ક્રિકેટ કાઉન્સિલની આ ટુર્નામેન્ટ 9 સપ્ટેમ્બરથી 28 સપ્ટેમ્બર દરમિયાન સંયુક્ત આરબ અમીરાત (UAE) માં રમાશે.

14 સપ્ટેમ્બરે ભારત-પાકિસ્તાનની ટક્કર

ભારત અને પાકિસ્તાન વચ્ચે તાજેતરમાં ઊભી થયેલી યુદ્ધની સ્થિતિ અને બહિષ્કારની તમામ માંગણીઓ છતાં, ભારત અને પાકિસ્તાન આ ટુર્નામેન્ટમાં એક જ ગ્રુપમાં હશે અને તેમની પહેલી ટક્કર 14 સપ્ટેમ્બરના રોજ થવાની શક્યતા છે.

9 સપ્ટેમ્બરથી શરૂ થશે એશિયા કપ

એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ મોહસીન નકવીએ શનિવાર, 26 જુલાઈના રોજ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ટુર્નામેન્ટની તારીખો જાહેર કરી હતી. નકવીએ લખ્યું કે આ ટુર્નામેન્ટ UAEમાં યોજાશે અને તે 9 સપ્ટેમ્બરથી શરૂ થશે, તેની ફાઈનલ 28 સપ્ટેમ્બરે રમાશે. જે બાદ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) એ ટુર્નામેન્ટનું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર કર્યું હતું.

ભારત-પાકિસ્તાન 3 વખત ટકરાઈ શકે

દર વખતની જેમ, આ ટુર્નામેન્ટમાં પણ ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં છે અને બંને વચ્ચે ગ્રુપ સ્ટેજની પહેલી ટક્કર 14 સપ્ટેમ્બરે થશે. એકંદરે, જો ભારત અને પાકિસ્તાન ફાઈનલમાં પહોંચે છે, તો બંને 3 વખત એકબીજાનો સામનો કરી શકે છે. જો આવું ન થાય તો પણ, બંને ટીમો 2 વખત ટકરાઈ શકે છે. ગ્રુપ સ્ટેજ ઉપરાંત, ભારત-પાકિસ્તાન મેચ સુપર-4 માં પણ થવાની શક્યતા છે.

વિવાદો વચ્ચે ભારત-પાકિસ્તાન મેચ

ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ મેચ એવા સમયે થવા જઈ રહી છે જ્યારે બંને દેશો વચ્ચેના સંબંધો છેલ્લા કેટલાક વર્ષોમાં સૌથી ખરાબ છે. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, ભારતે 7 મેના રોજ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું. આ પછી, પાકિસ્તાને ભારતીય સેના પર હુમલો કર્યો, જેનો તેને યોગ્ય જવાબ મળ્યો અને તેના ઘણા લશ્કરી ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યા. ત્યારથી, આંતરરાષ્ટ્રીય ક્રિકેટના સ્તરે પાકિસ્તાનનો સંપૂર્ણ બહિષ્કાર કરવાની માંગ કરવામાં આવી રહી હતી. એટલું જ નહીં, ભારે વિરોધ બાદ, વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સમાં ભારત-પાકિસ્તાન મેચ પણ રદ કરવી પડી હતી.

આ પણ વાંચો: IND vs ENG : માન્ચેસ્ટર ટેસ્ટમાં જસપ્રીત બુમરાહની સદી, 48 ટેસ્ટ અને 91 ઈનિંગમાં પહેલીવાર થયું આવું

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">