AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : એશિયા કપ 2025ની તારીખ જાહેર, આ દિવસે થશે ભારત-પાકિસ્તાનની ટક્કર

એશિયન ક્રિકેટ કાઉન્સિલની તાજેતરની બેઠકમાં એશિયા કપના શેડ્યૂલની ચર્ચા કરવામાં આવી હતી, જ્યાં ટુર્નામેન્ટના સ્થળ ઉપરાંત, તેની તારીખોને પણ અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટનું આયોજન BCCI દ્વારા કરવામાં આવશે.

Breaking News : એશિયા કપ 2025ની તારીખ જાહેર, આ દિવસે થશે ભારત-પાકિસ્તાનની ટક્કર
| Updated on: Jul 26, 2025 | 8:55 PM
Share

તમામ વિવાદો અને દાવાઓ છતાં, ભારત અને પાકિસ્તાન ટૂંક સમયમાં ક્રિકેટ પિચ પર એકબીજા સાથે ટકરાતા જોવા મળશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ ટક્કર એશિયા કપ 2025માં થશે, જેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. એશિયન ક્રિકેટ કાઉન્સિલની આ ટુર્નામેન્ટ 9 સપ્ટેમ્બરથી 28 સપ્ટેમ્બર દરમિયાન સંયુક્ત આરબ અમીરાત (UAE) માં રમાશે.

14 સપ્ટેમ્બરે ભારત-પાકિસ્તાનની ટક્કર

ભારત અને પાકિસ્તાન વચ્ચે તાજેતરમાં ઊભી થયેલી યુદ્ધની સ્થિતિ અને બહિષ્કારની તમામ માંગણીઓ છતાં, ભારત અને પાકિસ્તાન આ ટુર્નામેન્ટમાં એક જ ગ્રુપમાં હશે અને તેમની પહેલી ટક્કર 14 સપ્ટેમ્બરના રોજ થવાની શક્યતા છે.

9 સપ્ટેમ્બરથી શરૂ થશે એશિયા કપ

એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ મોહસીન નકવીએ શનિવાર, 26 જુલાઈના રોજ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ટુર્નામેન્ટની તારીખો જાહેર કરી હતી. નકવીએ લખ્યું કે આ ટુર્નામેન્ટ UAEમાં યોજાશે અને તે 9 સપ્ટેમ્બરથી શરૂ થશે, તેની ફાઈનલ 28 સપ્ટેમ્બરે રમાશે. જે બાદ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) એ ટુર્નામેન્ટનું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર કર્યું હતું.

ભારત-પાકિસ્તાન 3 વખત ટકરાઈ શકે

દર વખતની જેમ, આ ટુર્નામેન્ટમાં પણ ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં છે અને બંને વચ્ચે ગ્રુપ સ્ટેજની પહેલી ટક્કર 14 સપ્ટેમ્બરે થશે. એકંદરે, જો ભારત અને પાકિસ્તાન ફાઈનલમાં પહોંચે છે, તો બંને 3 વખત એકબીજાનો સામનો કરી શકે છે. જો આવું ન થાય તો પણ, બંને ટીમો 2 વખત ટકરાઈ શકે છે. ગ્રુપ સ્ટેજ ઉપરાંત, ભારત-પાકિસ્તાન મેચ સુપર-4 માં પણ થવાની શક્યતા છે.

વિવાદો વચ્ચે ભારત-પાકિસ્તાન મેચ

ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ મેચ એવા સમયે થવા જઈ રહી છે જ્યારે બંને દેશો વચ્ચેના સંબંધો છેલ્લા કેટલાક વર્ષોમાં સૌથી ખરાબ છે. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, ભારતે 7 મેના રોજ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું. આ પછી, પાકિસ્તાને ભારતીય સેના પર હુમલો કર્યો, જેનો તેને યોગ્ય જવાબ મળ્યો અને તેના ઘણા લશ્કરી ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યા. ત્યારથી, આંતરરાષ્ટ્રીય ક્રિકેટના સ્તરે પાકિસ્તાનનો સંપૂર્ણ બહિષ્કાર કરવાની માંગ કરવામાં આવી રહી હતી. એટલું જ નહીં, ભારે વિરોધ બાદ, વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સમાં ભારત-પાકિસ્તાન મેચ પણ રદ કરવી પડી હતી.

આ પણ વાંચો: IND vs ENG : માન્ચેસ્ટર ટેસ્ટમાં જસપ્રીત બુમરાહની સદી, 48 ટેસ્ટ અને 91 ઈનિંગમાં પહેલીવાર થયું આવું

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
અમરેલી-જામનગર જિલ્લામાં કરા સાથે માવઠું
અમરેલી-જામનગર જિલ્લામાં કરા સાથે માવઠું
વિરમગામના ખેડૂતોએ અધિકારીઓ અને સ્થાનિક નેતા સામે મોરચો માંડ્યો
વિરમગામના ખેડૂતોએ અધિકારીઓ અને સ્થાનિક નેતા સામે મોરચો માંડ્યો
બનાસકાંઠા ઉણ ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ!
બનાસકાંઠા ઉણ ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ!
ભાવનગર SDMના નામે ડ્રાઈવરે લીધા 10 લાખ ! CCTV થયા વાયરલ
ભાવનગર SDMના નામે ડ્રાઈવરે લીધા 10 લાખ ! CCTV થયા વાયરલ
જાણીતા સિંધી માર્કેટમાં ભીષણ આગ, ચીફ ફાયર ઓફિસર સહિતનો કાફલો ઘટનાસ્થળે
જાણીતા સિંધી માર્કેટમાં ભીષણ આગ, ચીફ ફાયર ઓફિસર સહિતનો કાફલો ઘટનાસ્થળે
Breaking news: પશુપાલકો દ્વારા 19 માર્ચે દહેગામ બંધ, જુઓ વીડિયો
Breaking news: પશુપાલકો દ્વારા 19 માર્ચે દહેગામ બંધ, જુઓ વીડિયો
ડાકોર મંદિરના શિખર પર ભક્તો હવે જાતે જ ચઢાવી શકાશે ધજા
ડાકોર મંદિરના શિખર પર ભક્તો હવે જાતે જ ચઢાવી શકાશે ધજા
અમદાવાદના KOMO BY KAFFAમાં ગાર્લિક બ્રેડમાં માખી ફ્રાય કરીને પીરસાઈ
અમદાવાદના KOMO BY KAFFAમાં ગાર્લિક બ્રેડમાં માખી ફ્રાય કરીને પીરસાઈ
વડોદરામાં અનોખો ધર્મ પરિવર્તન કેસ, મૂળ ઓળખ થતાં યુવકે લીધો નિર્ણય
વડોદરામાં અનોખો ધર્મ પરિવર્તન કેસ, મૂળ ઓળખ થતાં યુવકે લીધો નિર્ણય
અમદાવાદની શાળાને ધમકીભર્યા મેઈલ મળતા ICSE બોર્ડની પરીક્ષા અટવાઈ-Video
અમદાવાદની શાળાને ધમકીભર્યા મેઈલ મળતા ICSE બોર્ડની પરીક્ષા અટવાઈ-Video
g clip-path="url(#clip0_868_265)">