Breaking News: ‘તમિમ ઇકબાલ’ એક ભારતીય એજન્ટ! બાંગ્લાદેશના અધિકારીએ લગાવ્યો ‘મોટો આક્ષેપ’
બાંગ્લાદેશના ભૂતપૂર્વ કેપ્ટન તમિમ ઇકબાલને ભારતીય એજન્ટ ગણાવવામાં આવ્યો છે. આનાથી બાંગ્લાદેશ ક્રિકેટમાં ભારે હોબાળો મચી ગયો છે. આ બાબતને લઈને એમ. નઝમુલ ઇસ્લામ હવે લોકોના નિશાના પર આવ્યો છે.

ક્રિકેટ મેચની વાત ભૂલી જાઓ, બાંગ્લાદેશ હવે અંદરોઅંદર લડી રહ્યું છે. ભૂતપૂર્વ કેપ્ટન તમિમ ઇકબાલ, જેણે થોડી સમજદારીથી વાત કરી હતી, તેને ભારતીય એજન્ટ ગણાવવામાં આવ્યો છે. આ બધા વચ્ચે એમ. નજમુલ ઇસ્લામ પણ વિવાદોમાં ઘેરાયો છે અને તેને માફી માંગવાનું કહેવામાં આવી રહ્યું છે. એકંદરે, આ સમગ્ર મામલો તેના માટે એક મુસીબત બની ગયો છે.
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડનું નાટક શરૂ
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડમાં એક નવું નાટક શરૂ થયું છે, જે વર્ષ 2026 ના T20 વર્લ્ડ કપમાં રમવા માટે ભારત ન આવવા પર અડગ છે. બાંગ્લાદેશના ભૂતપૂર્વ કેપ્ટન તમિમ ઇકબાલે તાજેતરમાં એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ફેબ્રુઆરીમાં ICC T20 વર્લ્ડ કપ માટે ટીમને ભારત મોકલવાનો નિર્ણય લોકોની લાગણીઓથી પ્રભાવિત ન થવો જોઈએ.
આવા નિર્ણયની આગામી 10 વર્ષ સુધી અસર પડી શકે છે. તમિમે એમ પણ કહ્યું કે, વિશ્વ ક્રિકેટમાં બાંગ્લાદેશ ક્યાં છે અને બાંગ્લાદેશ ક્રિકેટનું ભવિષ્ય શું હોઈ શકે છે? બસ આ દ્રષ્ટિકોણના આધારે નિર્ણય લેવો જોઈએ.
Ex-Bangladesh batter Tamim called “Indian agent” by BCB director following ‘dialogue’ suggestion; comments anger cricketer’s ex-teammates
Read @ANI Story | https://t.co/C2mWfGdXrE#BangladeshCricketBoard #BCB #TamimIqbal #Bangladesh #T20WorldCup pic.twitter.com/8Ztbp1ynAN
— ANI Digital (@ani_digital) January 9, 2026
નઝમુલ ઇસ્લામ વિવાદમાં ફસાયો
આ દરમિયાન, બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડની નાણાકીય સમિતિના અધ્યક્ષ એમ. નઝમુલ ઇસ્લામે તમિમ ઇકબાલ પર ભારતીય એજન્ટ હોવાનો આરોપ લગાવ્યો. આનાથી તે હવે વિવાદમાં ફસાઈ ગયો છે. થોડા જ સમયમાં, નઝમુલના નિવેદનની એક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ હતી.
પોસ્ટમાં નઝમુલે લખ્યું કે, આ વખત બાંગ્લાદેશના લોકોએ પોતાની આંખોથી એક વધુ પાક્કા ભારતીય એજન્ટના ઉદયને જોયો. જો કે, તેનો સીધો હુમલો તમિમ ઇકબાલ પર હતો.
હવે બાંગ્લાદેશના ક્રિકેટર્સ વેલ્ફેર એસોસિએશને કહ્યું છે કે, તેણે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના અધ્યક્ષને પત્ર લખીને ડિરેક્ટર તરફથી જાહેરમાં માફી માંગ્યા બાદ તેની સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
એસોસિએશને જણાવ્યું હતું કે, બાંગ્લાદેશના ઇતિહાસના સૌથી સફળ ઓપનિંગ બેટ્સમેન વિશે આવી ટિપ્પણીઓ બોર્ડના અધિકારી માટે સંપૂર્ણપણે અયોગ્ય છે. દેશના કોઈપણ ક્રિકેટર વિશે આવી ટિપ્પણીઓ અસ્વીકાર્ય છે અને આ સમગ્ર ક્રિકેટ સમુદાયનું અપમાન છે.
BCB તેની માંગ પર અડગ
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ હવે પોતાના જ જાળમાં ફસાઈ ગયું છે. આઈપીએલમાંથી એક ખેલાડીને બાકાત રાખવાથી બોર્ડ એટલું ગુસ્સે ભરાયું છે કે, તે તેનાથી આગળ કંઈ જોઈ શકતું નથી.
એવામાં આઈસીસીએ પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું છે કે, બાંગ્લાદેશની ટી20 વર્લ્ડ કપ મેચોનું સ્થળ બદલવામાં આવશે નહીં પરંતુ ટીમને તેની મેચ રમવા માટે ભારત જવું પડશે. હવે આવું હોવા છતાં પણ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ તેની માંગ પર અડગ છે.
