AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BCCIના આંતરિક રાજકારણનો ભોગ… રોહિત-વિરાટની નિવૃત્તિ પર ચોંકાવનારો દાવો

રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા ટેસ્ટ ફોર્મેટને અલવિદા કહી દીધું હતું. તે પહેલા તેમણે 2024 T20 વર્લ્ડ કપ પછી T20 ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી હતી. આ દરમિયાન, એક ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલરે ટેસ્ટમાંથી આ અનુભવી ખેલાડીઓની નિવૃત્તિ પર મોટું નિવેદન આપ્યું છે.

BCCIના આંતરિક રાજકારણનો ભોગ... રોહિત-વિરાટની નિવૃત્તિ પર ચોંકાવનારો દાવો
Rohit Sharma & Virat KohliImage Credit source: PTI
| Updated on: Aug 16, 2025 | 3:41 PM
Share

ભારતીય ક્રિકેટના બે દિગ્ગજ ખેલાડીઓ, રોહિત શર્મા અને વિરાટ કોહલીએ તાજેતરમાં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા. ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા, આ બંને ખેલાડીઓએ સોશિયલ મીડિયા દ્વારા તેમની ટેસ્ટ કારકિર્દીને વિદાય આપી હતી, જેના પછી ઘણા પ્રશ્નો ઉભા થયા હતા. ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર કરસન ઘાવરીએ આ મામલે એક સનસનાટીભર્યો દાવો કર્યો છે કે આ બંને ખેલાડીઓની નિવૃત્તિ તેમની પોતાની મરજીથી નહોતી, પરંતુ BCCI અને પસંદગીકારોની આંતરિક રાજનીતિનું પરિણામ હતું.

કરસન ઘાવરીનું ચોંકાવનારું નિવેદન

કરસન ઘાવરી માને છે કે કોહલી ઓછામાં ઓછા બે વર્ષ સુધી ટેસ્ટ ટીમમાં રહી શક્યો હોત. તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો કે ભારતના શ્રેષ્ઠ ક્રિકેટરોમાંથી એકને BCCI દ્વારા વિદાય પણ આપવામાં આવી ન હતી. વિકી લાલવાણી શોમાં કોહલીની અચાનક નિવૃત્તિ વિશે પૂછવામાં આવતા, ઘાવરીએ કહ્યું, “આ એક રહસ્ય છે. કોહલીએ ચોક્કસપણે ભારત માટે રમવાનું ચાલુ રાખવું જોઈતું હતું, કદાચ આગામી થોડા વર્ષો સુધી. પરંતુ મને લાગે છે કે કોઈ વાતે તેને નિવૃત્તિ લેવાની ફરજ પાડી. જ્યારે તે નિવૃત્ત થયો, ત્યારે BCCIએ તેને વિદાય પણ આપી ન હતી.

આંતરિક રાજનીતિનો મામલો

કરસન ઘાવરીએ આ દરમિયાન એવો પણ દાવો કર્યો હતો કે રોહિત અને કોહલી ભારતીય ટીમ મેનેજમેન્ટના આંતરિક રાજકારણનો ભોગ બન્યા છે. ઘાવરીએ કહ્યું, ‘આ BCCIનું આંતરિક રાજકારણ છે જેને સમજવું મુશ્કેલ છે. અને મને લાગે છે કે કદાચ આ જ કારણો છે જેના કારણે તેઓ સમય પહેલા નિવૃત્ત થયા. રોહિત શર્મા પણ સમય પહેલા નિવૃત્ત થતો. તેને નિવૃત્ત થવા માટે કહેવામાં આવ્યું હતું. એવું નથી કે તે જવા માંગતો હતો. તે રમવા માંગતો હતો. પરંતુ પસંદગીકારો અને BCCIના વિચારો અલગ હતા. આ કોઈ પ્રકારની આંતરિક રાજનીતિનો મામલો છે.’

વનડેમાંથી નિવૃત્તિની અટકળો

તમને જણાવી દઈએ કે, રોહિત શર્મા અને વિરાટ કોહલીએ 2024ના T20 વર્લ્ડ કપ પછી T20 ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી હતી. જે બાદ આ વર્ષની શરૂઆતમાં, તેમણે ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહ્યું. હવે આ બંને ખેલાડીઓ ફક્ત ODIનો ભાગ છે. ટીમ ઈન્ડિયાએ આ વર્ષે ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરવાનો છે, જ્યાં ODI શ્રેણી રમાશે. પરંતુ કેટલાક અહેવાલો અનુસાર, આ પ્રવાસ રોહિત અને વિરાટનો છેલ્લો પ્રવાસ હોઈ શકે છે. જોકે, આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

આ પણ વાંચો: Asia Cup 2025 : IPL 2025માં શાનદાર પ્રદર્શન છતાં આ 5 ખેલાડીઓએ નહીં મળે ટીમ ઈન્ડિયામાં સ્થાન?

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Breaking News: કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ
Breaking News: કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
PM મોદીના હસ્તે નવા મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ - જુઓ Video
PM મોદીના હસ્તે નવા મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ - જુઓ Video
સુરતમા અસલીના નામે નકલી ટાયર ટ્યુબ બનાવવાનું કૌભાંડ ઝડપાયું
સુરતમા અસલીના નામે નકલી ટાયર ટ્યુબ બનાવવાનું કૌભાંડ ઝડપાયું
રાજસ્થાનના કાશ્મીર માઉન્ટ આબુમાં કાતિલ ઠંડી, જુઓ Video
રાજસ્થાનના કાશ્મીર માઉન્ટ આબુમાં કાતિલ ઠંડી, જુઓ Video
પતંગરસિકો આનંદો! ઉત્તરાયણના દિવસે પવન રહેશે સાનુકૂળ
પતંગરસિકો આનંદો! ઉત્તરાયણના દિવસે પવન રહેશે સાનુકૂળ
શૌર્ય યાત્રામાં ભાગ લીધા બાદ સોમનાથ મંદિરમાં પીએમ મોદી પૂજા કરી
શૌર્ય યાત્રામાં ભાગ લીધા બાદ સોમનાથ મંદિરમાં પીએમ મોદી પૂજા કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોમનાથમાં ભવ્ય સ્વાગત કરાયું,જુઓ વીડિયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોમનાથમાં ભવ્ય સ્વાગત કરાયું,જુઓ વીડિયો
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
GAPM 2026માં પ્રેસિડેન્ટનો ચોંકાવનારો ખુલાસો - જુઓ Video
GAPM 2026માં પ્રેસિડેન્ટનો ચોંકાવનારો ખુલાસો - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">