IND vs NZ: એજાઝ પટેલને મુંબઇ ટેસ્ટમાં નહોતો મળનારો મોકો, અશ્વિન સાથે ઇન્ટરવ્યુ સામે આવ્યો ખુલાસો
એજાઝ પટેલે ભારત સામેની 2 મેચની ટેસ્ટ શ્રેણીમાં 17 વિકેટ લીધી હતી. મુંબઈ ટેસ્ટમાં એજાઝે (Ajaz Patel) ઈનિંગમાં 10 વિકેટ લઈને ઈતિહાસ રચ્યો હતો.
ન્યુઝીલેન્ડની ટીમ (New Zealand Cricket Team) ભલે ભારત સામેની ટેસ્ટ શ્રેણી 1-0થી હારી ગઈ હોય, પરંતુ તેઓ આ શ્રેણીને ભાગ્યે જ ભૂલી શકશે. તેનું કારણ એજાઝ પટેલ (Ajaz Patel) છે જેણે મુંબઈ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં તમામ 10 વિકેટ લઈને ઈતિહાસ રચ્યો હતો. કાનપુર ટેસ્ટમાં ફ્લોપ સાબિત થયેલા એજાઝ પટેલે મુંબઈ (Mumbai Test) માં પોતાની બોલિંગથી બધાને ચોંકાવી દીધા હતા. એજાઝ પટેલે મુંબઈ ટેસ્ટની બંને ઇનિંગ્સમાં કુલ 14 વિકેટ લીધી હતી.
મેચ બાદ ભારતીય ખેલાડીઓએ પણ એજાઝ પટેલને સલામ આપી હતી અને તેને ટીમ ઈન્ડિયા (Team India) ના ઓટોગ્રાફથી સજાવેલી જર્સી આપી હતી. એટલું જ નહીં, અનુભવી સ્પિનર અશ્વિને એજાઝ પટેલનો ઈન્ટરવ્યુ પણ લીધો હતો, જેમાં ઘણા રસપ્રદ ખુલાસા થયા હતા. અશ્વિને ઈન્ટરવ્યુની શરૂઆતમાં કહ્યું હતું કે એજાઝ પટેલ મુંબઈ ટેસ્ટમાં રમવાનો નથી અને એવું લાગી રહ્યું હતું કે મિશેલ સેન્ટનરને તક મળશે પરંતુ એજાઝ માત્ર રમ્યો જ નહીં પરંતુ ઈતિહાસ પણ રચ્યો.
મુંબઈમાં રમવાનું સપનું પૂરું થયું – એજાઝ
તમને જણાવી દઈએ કે એજાઝ પટેલનો જન્મ મુંબઈમાં થયો હતો પરંતુ 8 વર્ષની ઉંમરે તેમનો પરિવાર ન્યૂઝીલેન્ડ શિફ્ટ થઈ ગયો હતો. એજાઝ પટેલે કહ્યું, ‘બાળપણથી મારું સપનું વાનખેડેમાં રમવાનું હતું અને અહીં આવીને એક ઇનિંગમાં 10 વિકેટ લેવી ખૂબ જ ખાસ છે. હું અને મારો પરિવાર ખૂબ જ ખુશ છીએ.
Special Mumbai connect 👍 Secret behind 10-wicket haul 😎 A memorable #TeamIndia souvenir ☺️
🎤 @ashwinravi99 interviews Mr Perfect 10 @AjazP at the Wankhede 🎤 #INDvNZ @Paytm
Watch this special by @28anand 🎥 🔽https://t.co/8fBpJ27xqj pic.twitter.com/gyrLLBcCBM
— BCCI (@BCCI) December 6, 2021
એજાઝ પટેલે અશ્વિનને કહ્યું કે, ‘હું પહેલા ફાસ્ટ બોલર હતો પરંતુ નાના કદના કારણે મેં 10 વર્ષ પહેલા સ્પિન બોલિંગ શરૂ કરી હતી. મારે સખત મહેનત કરવી પડી. મને તમારી સાથે રમવાનો મોકો મળ્યો. તમને જોઈને ઘણું શીખી શકાય છે. તમે વિદેશમાં પણ જબરદસ્ત સફળતા મેળવી છે.” એજાઝ પટેલે પોતાની સફળતાનું રહસ્ય પણ અશ્વિનને જણાવ્યું.
તેણે કહ્યું, ‘હું માત્ર નસીબદાર છું. મેં યોગ્ય જગ્યાએ બોલ ફેંક્યો. પિચ પણ મને મદદ કરી રહી હતી. મને પ્રથમ દાવમાં 47 ઓવર મળી અને 3 દિવસમાં 70થી વધુ ઓવર ફેંકી. તે થકવી નાખનારું હતું પરંતુ મેં જે હાંસલ કર્યું છે તેનાથી હું ખૂબ ખુશ છું.
એજાઝ પટેલના શાનદાર પ્રદર્શન છતાં ટીમ ઈન્ડિયાએ મુંબઈ ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડને 372 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે ટીમ ઈન્ડિયા વર્લ્ડ ટેસ્ટ રેન્કિંગમાં નંબર 1 પર પહોંચી ગઈ છે. પ્રથમ દાવમાં 150 અને બીજી ઈનિંગમાં અડધી સદી ફટકારનાર મયંક અગ્રવાલને મેન ઓફ ધ મેચ આપવામાં આવ્યો હતો.