IPL 2025 : દિલ્હી કેપિટલ્સમાં હંગામો મચી ગયો, IPL 2025 પહેલા રિષભ પંતે લીધો ચોંકાવનારો નિર્ણય!

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025 પહેલા દિલ્હી કેપિટલ્સની ટીમમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. ટીમના અનુભવી ખેલાડી રિષભ પંત આગામી સિઝન પહેલા મોટી જવાબદારી છોડી શકે છે. છેલ્લા કેટલાક સમયથી એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે રિષભ પંત અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે બધુ બરાબર નથી.

IPL 2025 : દિલ્હી કેપિટલ્સમાં હંગામો મચી ગયો, IPL 2025 પહેલા રિષભ પંતે લીધો ચોંકાવનારો નિર્ણય!
Rishabh PantImage Credit source: PTI
Follow Us:
| Updated on: Oct 21, 2024 | 5:36 PM

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025 માટે મેગા હરાજી પહેલા રીટેન્શન લિસ્ટ જાહેર કરવામાં આવશે. એવું માનવામાં આવે છે કે 31 ઓક્ટોબર સુધીમાં તમામ ટીમો પોતાના રિટેન કરાયેલા ખેલાડીઓના નામ આગળ ધપાવશે. હંમેશા યુવા ખેલાડીઓ પર દાવ લગાવતી દિલ્હી કેપિટલ્સ આ વખતે પણ કંઈક આવું જ કરતી જોવા મળી શકે છે. પરંતુ ટીમના કેપ્ટન રિષભ પંતને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે, જેણે બધાને ચોંકાવી દીધા છે.

IPL 2025 પહેલા રિષભ પંત પર મોટું અપડેટ

રિષભ પંત છેલ્લા કેટલાક સિઝનથી દિલ્હી કેપિટલ્સની આગેવાની કરી રહ્યો છે. જોકે, ઈજાના કારણે તે IPL 2023માં રમ્યો નહોતો. ત્યારબાદ ડેવિડ વોર્નરે કેપ્ટનશીપ સંભાળી હતી. IPL 2024 માં વાપસી કર્યા પછી તે પંત જ હતો, જેણે આ પદ સંભાળ્યું હતું. પરંતુ હવે સમાચાર આવી રહ્યા છે કે રિષભ પંત આગામી સિઝનમાં દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન નહીં હોય. એક અહેવાલ મુજબ આ સિઝનમાં રિષભ પંત ટીમનું નેતૃત્વ કરે તેવી શક્યતા ઓછી છે. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે રિષભ પંતે પોતે કહ્યું છે કે તેને કેપ્ટનશિપ માટે ધ્યાનમાં લેવામાં ન આવે. મતલબ કે પંતને રિટેન કરવામાં આવે તો પણ તે એક ખેલાડી તરીકે રમતા જોવા મળી શકે છે.

રિષભ પંતે પણ ટીમ છોડવાના આપ્યા સંકેત

તાજેતરમાં, રિષભ પંતની એક પોસ્ટથી ટીમ છોડવા અંગે ચાહકોમાં હલચલ મચી ગઈ હતી. તેણે સોશિયલ મીડિયા પર હરાજીમાં પ્રવેશ વિશે લખ્યું હતું. વાસ્તવમાં, તેના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરતી વખતે, પંતે લખ્યું હતું, ‘જો હું હરાજીમાં જઈશ, તો હું સોલ્ડ થઈશ કે નહીં, અને કેટલામાં?’ આ પોસ્ટથી રિષભ પંતે ટીમ છોડવાના સંકેત આપ્યા હતા. કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે આ સમયે રિષભ પંત અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે બધુ બરાબર નથી.

અદાર પૂનાવાલાની પત્નીનો સ્ટાઈલિશ લુક ચર્ચામાં રહે છે, જુઓ ફોટો
રોજ સરસવના તેલથી પગના તળિયામાં માલિશ કરવાથી જાણો શું થાય છે?
Blood Pressure : હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓએ દવા ક્યારે લેવી જોઈએ?
ખાલી પેટ લીમડાનો રસ પીવાથી જાણો શું થાય છે?
લગ્નના 6 વર્ષ બાદ અભિનેત્રી માતા બની, જુઓ ફોટો
Carrot : માત્ર એક કાચું ગાજર છે અનેક રોગોની દવા, જાણો તેના વિશે

IPL 2021માં શ્રેયસ અય્યરની જગ્યા લીધી

રિષભ પંતને IPL 2021 દરમિયાન દિલ્હી કેપિટલ્સ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. તેણે શ્રેયસ અય્યરની જગ્યા લીધી હતી. શ્રેયસ અય્યર ઈજાના કારણે સિઝનમાંથી બહાર હતો. શ્રેયસ અય્યરની વાપસી બાદ પણ પંતે કેપ્ટનશિપ ચાલુ રાખી હતી અને છેલ્લી સિઝનમાં પણ તે ઈજામાંથી સાજા થયા બાદ IPLમાં કેપ્ટન તરીકે પરત ફર્યો હતો.

આ પણ વાંચો: ગુજરાતના સ્ટાર બેટ્સમેન ચેતેશ્વર પુજારાએ ફટકારી 18મી બેવડી સદી, હવે ટીમ ઈન્ડિયામાં કરશે વાપસી?

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

છોટા ઉદેપુરમાં વધુ એક પ્રસુતા પાકા રસ્તાના અભાવે હોસ્પિટલ ન પહોંચી શકી
છોટા ઉદેપુરમાં વધુ એક પ્રસુતા પાકા રસ્તાના અભાવે હોસ્પિટલ ન પહોંચી શકી
ઈકો સેન્સિટીવ ઝોનના વિરોધમાં મળ્યુ કિસાન સંઘનું સંમેલન- Video
ઈકો સેન્સિટીવ ઝોનના વિરોધમાં મળ્યુ કિસાન સંઘનું સંમેલન- Video
MLA જીજ્ઞેશ મેવાણીએ કહ્યું- મારી હત્યા થશે તો IPS રાજકુમાર પાંડિયન જવા
MLA જીજ્ઞેશ મેવાણીએ કહ્યું- મારી હત્યા થશે તો IPS રાજકુમાર પાંડિયન જવા
ગુજરાતમાં હજુ બે દિવસ વરસાદથી નહીં મળે કોઈ રાહત,પડશે હળવા વરસાદી ઝાપટા
ગુજરાતમાં હજુ બે દિવસ વરસાદથી નહીં મળે કોઈ રાહત,પડશે હળવા વરસાદી ઝાપટા
ગીરની રાણી સિંહણની બે બાળ સાથે વહેતા પાણીની વચ્ચે લટાર,જુઓ અદભુત Video
ગીરની રાણી સિંહણની બે બાળ સાથે વહેતા પાણીની વચ્ચે લટાર,જુઓ અદભુત Video
કેન્દ્રીય નાણાંપંચની ટીમ 3 દિવસની ગુજરાતની મુલાકાતે
કેન્દ્રીય નાણાંપંચની ટીમ 3 દિવસની ગુજરાતની મુલાકાતે
ગુજરાતમાં 24 કલાકમાં 69 તાલુકામાં વરસ્યો વરસાદ
ગુજરાતમાં 24 કલાકમાં 69 તાલુકામાં વરસ્યો વરસાદ
જો સૌર વાવાઝોડું આવશે, તો બચવા માટે આપણી પાસે હશે માત્ર 30 મિનિટનો સમય
જો સૌર વાવાઝોડું આવશે, તો બચવા માટે આપણી પાસે હશે માત્ર 30 મિનિટનો સમય
છોટાઉદેપુરમાં રસ્તાના અભાવે પ્રસુતાને 3 કિમી સુધી ઝોળીમાં નાખી લઈ જવાઈ
છોટાઉદેપુરમાં રસ્તાના અભાવે પ્રસુતાને 3 કિમી સુધી ઝોળીમાં નાખી લઈ જવાઈ
નાનાબાર કડવા પાટીદાર સમાજ દ્વારા દીકરીઓને અપાઈ સર્વાઇકલ કેન્સરની રસી
નાનાબાર કડવા પાટીદાર સમાજ દ્વારા દીકરીઓને અપાઈ સર્વાઇકલ કેન્સરની રસી
g clip-path="url(#clip0_868_265)">