‘બેઝબોલ’ બાદ હવે ‘રૈજબોલ’ ની ક્રિકેટમાં એન્ટ્રી, ઈંગ્લેન્ડને હરાવવા ભારતનું નવું હથિયાર

હૈદરાબાદમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં લીડ લીધા બાદ પણ ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચ પહેલા સવાલો ઉઠી રહ્યા હતા કે શું ઈંગ્લેન્ડનો બેઝબોલ ક્રિકેટ પ્લાન ભારતમાં સફળ થશે કે નહી. મેચના પરિણામ બાદ જવાબ તો મળી ગયો. હવે ભારત બીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને 'બેઝબોલ'નો જવાબ ભારત 'રૈજબોલ'થી આપવા તૈયારી કરી રહ્યું છે.

'બેઝબોલ' બાદ હવે 'રૈજબોલ' ની ક્રિકેટમાં એન્ટ્રી, ઈંગ્લેન્ડને હરાવવા ભારતનું નવું હથિયાર
Rajat Patidar Reverse Sweep Shot
Follow Us:
| Updated on: Feb 01, 2024 | 10:32 AM

‘બેઝબોલ’ ક્રિકેટે ભારતની ધરતી પર તેની પ્રથમ ટેસ્ટ પાસ કરી છે. હૈદરાબાદ ટેસ્ટમાં ઈંગ્લેન્ડે ટીમ ઈન્ડિયાને હરાવ્યું, એટલું જ નહીં પરંતુ ભારતીય ટીમ મેનેજમેન્ટે પણ આ અંગે વાત કરવાનું શરૂ કરી દીધું છે. કોચ રાહુલ દ્રવિડે પ્રથમ ટેસ્ટની હાર બાદ સ્વીકાર્યું હતું કે આગામી મેચ પહેલા કંઈક ઉકેલ શોધવો પડશે. બંને ટીમો વચ્ચે બીજી ટેસ્ટ શરૂ થવા પહેલા એવું લાગી રહ્યું છે કે ટીમ ઈન્ડિયાને બેઝબોલનો જવાબ મળી ગયો છે, જેને ‘રૈજબોલ’ કહી શકાય.

ઈંગ્લેન્ડની આક્રમક શૈલીનો સામનો કરવાનું દબાણ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચ 2 ફેબ્રુઆરીથી વિશાખાપટ્ટનમમાં શરૂ થશે. ટીમ ઈન્ડિયાએ આ મેચમાંથી પુનરાગમન કરવું પડશે નહીં તો ટેસ્ટ શ્રેણી જીતવી મુશ્કેલ થઈ શકે છે. પરંતુ ભારતનો રસ્તો એટલો સરળ નથી. એક તરફ ટીમ પહેલા જ હારનો સામનો કરી ચુકી છે. સાથે જ પ્રથમ ટેસ્ટના બે સ્ટાર્સ રવીન્દ્ર જાડેજા અને કેએલ રાહુલના ઈજાના કારણે બહાર થઈ ગયા છે. શુભમન ગિલ અને શ્રેયસ અય્યર રન બનાવી રહ્યા નથી. તેના પર ઈંગ્લેન્ડની આક્રમક શૈલીનો સામનો કરવાનું દબાણ છે.

Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર

ટીમ ઈન્ડિયામાં ‘રૈજબોલ’ ક્રિકેટની એન્ટ્રી

ટીમ ઈન્ડિયાએ મેચના 2 દિવસ પહેલા ઈંગ્લેન્ડને હરાવવા માટે વિશાખાપટ્ટનમના મેદાનમાં ઘણો પરસેવો પાડ્યો હતો. ખાસ કરીને આમાં ઈંગ્લેન્ડને તેની આગવી શૈલીમાં હરાવવાની તૈયારીઓ કરવામાં આવી હતી અને તેમાંથી ‘રૈજબોલ’ સામે આવ્યું હતું. આ નામની ચર્ચા હજુ સુધી થઈ નથી પરંતુ વિશાખાપટ્ટનમમાં દુનિયા તેની ઝલક જોઈ શકે છે. ‘રૈજબોલ’ રોહિત શર્મા, શુભમન ગિલ અથવા યશસ્વી જયસ્વાલ જેવા સ્ટાર ખેલાડીઓ સાથે સંબંધિત નથી, તેનો સર્જક ટીમના સૌથી નવો સભ્ય રજત પાટીદાર છે, જે વિશાખાપટ્ટનમમાં ડેબ્યૂ કરી શકે છે.

‘રૈજબોલ’ શું છે?

હકીકતમાં ટીમ ઈન્ડિયાએ 31 જાન્યુઆરી, બુધવારે પ્રેક્ટિસ સેશનમાં લાંબા સમય સુધી સ્વીપ અને રિવર્સ સ્વીપ શોટ રમ્યા. ઈંગ્લેન્ડે પ્રથમ ટેસ્ટમાં આ શોટ્સથી ટીમ ઈન્ડિયાને મુશ્કેલીમાં મુકી દીધી હતી અને બીજી ઈનિંગમાં 420 રન બનાવ્યા હતા. આવી સ્થિતિમાં તેની અસર ટીમ ઈન્ડિયાની પ્રેક્ટિસમાં પણ જોવા મળી હતી. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, ટીમ ઈન્ડિયાના મોટાભાગના બેટ્સમેનોએ આ શોટ્સની પ્રેક્ટિસ કરી હતી, જેમાં રજત પાટીદારે સૌથી વધુ સ્વીપ શોટ્સ ફટકાર્યા હતા.

સ્વીપ શોટ્સની પ્રેક્ટિસ

અહેવાલ મુજબ, જ્યારે પાટીદારની બેટિંગ પ્રેક્ટિસનો સમય આવ્યો ત્યારે તેણે સૌપ્રથમ રવિચંદ્રન અશ્વિન અને અક્ષર પટેલ સામે 6 માંથી 5 બોલમાં સ્વીપ શોટ રમ્યા જે ખૂબ જ શક્તિશાળી હતા. આ પછી પણ, આ જ ક્રમ ચાલુ રહ્યો અને થોડા સમય પછી, માત્ર અશ્વિનનો સામનો કરીને, તેણે ફરીથી તે જ શોટ રમ્યો. હવે જો રજતને ડેબ્યૂ કરવાની તક મળે છે તો ભારતીય દાવ પણ સ્વીપ શોટથી ભરપૂર થઈ શકે છે.

આ પણ વાંચો : MS ધોનીએ સાથી ખેલાડીને આપી સજા, IPL 2024માં બોલિંગ નહીં કરાવે!

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
ધોરાજીમાં કમોસમી વરસાદે વેર્યો વિનાશ
ધોરાજીમાં કમોસમી વરસાદે વેર્યો વિનાશ
બનાસકાંઠાઃ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન
બનાસકાંઠાઃ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન
ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીનાની મદ્રેસાઓમાં શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી
ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીનાની મદ્રેસાઓમાં શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી
ગુજરાતના 1100 મદ્રેસામાં સર્વે હાથ ધરાયો
ગુજરાતના 1100 મદ્રેસામાં સર્વે હાથ ધરાયો
નવસારીમાં મુકાયેલા પાલિકાના વોટર એટીએમ ભરઉનાળે ઠપ્પ
નવસારીમાં મુકાયેલા પાલિકાના વોટર એટીએમ ભરઉનાળે ઠપ્પ
ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી
ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી
ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા
ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા
ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા
ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા
આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
g clip-path="url(#clip0_868_265)">