AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Afghanistan: રાશિદ ખાને કેપ્ટનશીપ છોડી દેતા હાંફળા ફાંફળા બનેલા અફઘાનિસ્તાન બોર્ડે આ ક્રિકેટરને કેપ્ટન બનાવી દીધો!

T20 World Cup 2021 ને લઇને અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે પણ તેની ટીમની ઘોષણા કરી દીધી છે. આ દરમ્યાન હવે ક્રિકેટ ટીમને લઇને વિવાદ સર્જાયો છે. રાશિદ ખાને તુરત જ કેપ્ટનશીપ છોડી તો, મુશ્કેલીમાં મુકાયેલા બોર્ડે હવે નવો કેપ્ટન જાહેર કર્યો છે.

Afghanistan: રાશિદ ખાને કેપ્ટનશીપ છોડી દેતા હાંફળા ફાંફળા બનેલા અફઘાનિસ્તાન બોર્ડે આ ક્રિકેટરને કેપ્ટન બનાવી દીધો!
Afghanistan Team
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 10, 2021 | 12:05 PM
Share

અફઘાનિસ્તાન (Afghanistan) ની સ્થિતી હાલમાં અસ્થિર છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનીઓના શાસન બાદ દેશભરમાં અસ્થિરતાનો માહોલ છવાયેલો છે. જેની સીધી અસર ક્રિકેટ સહિત રમતો પર પણ પડી છે. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (ACB) દ્વારા T20 વિશ્વકપ 2021 (T20 World Cup 2021) માટે ટીમની ઘોષણા કરી દેવામાં આવી હતી. જેમાં રાશિદ ખાન (Rashid Khan) ને કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. પરંતુ રાશિદ ખાને તુરત જ કેપ્ટન પદે થી રાજીનામુ ધરી દીધુ હતુ. હવે બોર્ડે હાલ તો ઉતાવળે મોહંમ્મદ નબી (Mohammad Nabi) ને ટીમનો નવો કેપ્ટન બનાવ્યો છે.

અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે રાશિદ ખાનની આગેવાની હેઠળ ની ટીમને T20 વિશ્વકપ માટે પંસદ કરી હતી. પરંતુ આ દરમ્યાન 20 મીનીટના અંતરાલમાં જ રાશિદ ખાને ટીમના કેપ્ટન પદેથી રાજીનામુ ધરી દીધુ હતુ. આ ઉપરાંત ટીમમાં મોટેભાગે એવા જ ખેલાડીઓને જ પસંદ કરવામાં આવ્યા હતા. જે કેટલાક સમય થી અફઘાનિસ્તાનની ટીમના સભ્ય રહ્યા હોય.

પરંતુ રાશિદ ખાને ટીમની કેપ્ટનશીપ છોડી દેવાને લઇને હંગામો મચી ગયો હતો. રાશિદ ખાને ટ્વીટ કરીને રાજીનામુ ધરવાનુ કારણ પણ દર્શાવ્યુ હતુ, તેણે લખ્યુ હતુ કે, કેપ્ટન અને દેશના જવાબદાર નાગરિકના રુપમાં હું ટીમમાં પસંદગી થવાનો અધિકાર ધરાવુ છું. પસંદગી સમિતિ અને એસીબીએ તે ટીમ માટે મારી સહમતી લીધી નહોતી. જેની ઘોષણા એસીબી મીડિયાએ કરી હતી. હું અફઘાનિસ્તાન ટી20 ટીની કેપ્ટનશીપ છોડી રહ્યો છું. અફઘાનિસ્તાનના માટે રમવુ મારા માટે હંમેશા ગર્વની વાત રહી છે.

અફઘાનિસ્તાનની ટીમ

રશીદ ખાન (કેપ્ટન), રહેમાનુલ્લાહ ગુરબાઝ (વિકેટકીપર), હઝરતુલ્લાહ ઝઝાઈ (વિકેટકીપર), ઉસ્માન ગની, અસગર અફઘાન, મોહમ્મદ નબી, નજીબુલ્લાહ ઝાદરાન, હશમતુલ્લાહ શાહિદી, મોહમ્મદ શહઝાદ, મુજીબ ઉર રહેમાન, કરીમ જનત, ગુલબાદીન નઇબ, નવીન ઉલ હક, હમીદ હસન, શર્ફુદ્દીન અશરફ, દૌલત ઝાદરાન, શફૂર ઝદરાન અને કૈસ અહમદ.

આ પણ વાંચો: T20 World Cup: ધોનીને ટીમ ઇન્ડીયાના મેન્ટર બનાવવા પર ગૌતમ ગંભીરે બતાવ્યુ કારણ, કહ્યુ-કેમ મળી છે ધોનીને આ જવાબદારી

આ પણ વાંચોઃ IND vs ENG: માંચેસ્ટરમાં પ્રથમ જીત નોંધાવવા 85 વર્ષથી રાહ જોઇ રહી છે ટીમ ઇન્ડીયા, જોશમાં રહેલી ભારતીય ટીમ ખતમ કરશે ઇંતઝાર?

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">