AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ચેતેશ્વર પૂજારાએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસની જાહેરાત કરી

Cheteshwar Pujara Retire from cricket : ચેતેશ્વર પૂજારાએ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે.તેણે 2010માં ભારતીય ટેસ્ટ ટીમ માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું.

Breaking News : ચેતેશ્વર પૂજારાએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસની જાહેરાત કરી
| Updated on: Aug 24, 2025 | 11:59 AM
Share

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન ચેતેશ્વર પૂજારાએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસની જાહેરાત કરી છે. તે લાંબા સમયથી ભારતીય ટેસ્ટ ટીમની બહાર હતો. હવે તેણે પોતાની સુવર્ણ કારકિર્દીને અલવિદા કહી દીધું છે. ભારતીય ટીમમાં તેની જગ્યાએ ઘણા યુવા ખેલાડીઓ સારું પ્રદર્શન કરી રહ્યા છે.ચેતેશ્વર પૂજારાએ ક્રિકેટના તમામ ફોર્મેટને અલવિદા કહ્યું છે. તે 20 વર્ષ ક્રિકેટ રમ્યો છે.ચેતેશ્વર પૂજારાએ ડોમેસ્ટિક ક્રિકેટમાં પોતાની પહેલી મેચ 2005માં રમી હતી. તે ફર્સ્ટ ક્લાસ મેચ હતી, જે સૌરાષ્ટ્ર અને વિદર્ભ વચ્ચે રમાઈ હતી. તેણે ફર્સ્ટ ક્લાસ ખેલાડી તરીકે પોતાની છેલ્લી મેચ ફેબ્રુઆરી 2025માં ગુજરાત સામે રમી હતી.

13 વર્ષનું રહ્યું ઈન્ટરનેશનલ કરિયર

ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પૂજારાએ વર્ષ 2010માં એન્ટ્રી કરી હતી. તેમણે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બેંગ્લુરુમાં ડેબ્યુ કર્યું હતુ. જે એક ટેસ્ટ મેચ હતી. વર્ષ 2013માં ઝિમ્બાબ્વે વિરુદ્ધ વનડે ડેબ્યુ હતુ. પૂજારાનું વનડે કરિયર તો વધારે સારું ચાલ્યું નહી પરંતુ ટેસ્ટ ક્રિકેટમાં સારું નામ હતુ. તેમણે પોતાની છેલ્લી ટેસ્ટ પણ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ જૂન 2023માં રમી હતી.

ચેતેશ્વર પૂજારાએ ઈન્સ્ટાગ્રામ પર સંન્યાસની જાહેરાત કરી

ચેતેશ્વર પૂજારાએ પોતાના સંન્યાસની જાહેરાત સોશિયલ મીડિયા પર કરી હતી. તેમણે ઈન્સ્ટાગ્રામ પર ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસની જાહેરાત કરી હતી. તેમણે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું ભારતની જર્સી પહેરવી, ભારતનું રાષ્ટ્રગીત અને દર વખતે ફીલ્ડ પર ઉતરવાની સાથે પોતાનું બેસ્ટ પ્રદર્શન આપવું.તે બધાને શબ્દોમાં વર્ણવી શકાય નહીં. તે બધા મારા માટે ઘણું મહત્વ ધરાવે છે. પરંતુ, દરેક સારી વસ્તુનો અંત આવે છે. મેં ક્રિકેટના તમામ સ્વરૂપોમાંથી સંન્યાસ લેવાનો પણ નિર્ણય લીધો છે.

પૂજારાનું ક્રિકેટ કરિયર

ચેતેશ્વર પૂજારાના ક્રિકેટ કરિયરની જો આપણે વાત કરીએ તો 20 વર્ષમાં તેમણે 278 ફર્સ્ટ ક્લાસ મેચ,130 લિસ્ટ એ અને 71 ટી20 મેચ રમી છે. ફર્સ્ટ ક્લાસમાં તેમણે 21301 રન 66 સદી બનાવી છે. તો લિસ્ટ એમાં 16 સદીની સાથે 5759 રન બનાવ્યા છે. જ્યારે ટી20માં 1 સદી સાથે તેમણે 1556 રન બનાવ્યા છે.

પૂજારાએ ભારત માટે 103 ટેસ્ટ અને 5 વનડે મેચ રમી છે. આ 108 ઈન્ટરનેશનલ મેચમાં તેમણે 7200થી વધારે રન બનાવ્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં પૂજારાએ 19 સદી ફટકારી છે. જેમાં તેનો બેસ્ટ સ્કોર 206 રનનો છે.

ક્રિકેટ એ વિશ્વની સૌથી લોકપ્રિય રમતોમાંની એક છે. આ રમત ત્રણ ફોર્મેટમાં રમાય છે, જેમાંથી સૌથી લાંબુ ફોર્મેટ ટેસ્ટ ક્રિકેટ છે. અહી ક્લિક કરો

Marriage Registration Rules નવા નિયમો: માતા-પિતાની સંમતિ ફરજિયાત?
Marriage Registration Rules નવા નિયમો: માતા-પિતાની સંમતિ ફરજિયાત?
Breaking News : કીર્તિ પટેલના સ્નાન પછી ભવનાથમાં સાધુ સંતો આમને સામને
Breaking News : કીર્તિ પટેલના સ્નાન પછી ભવનાથમાં સાધુ સંતો આમને સામને
વરિષ્ઠ અધિકારીઓના સહયોગથી અટકેલા કામો ઝડપ પકડશે, પરિણામ આજે જોવા મળશે
વરિષ્ઠ અધિકારીઓના સહયોગથી અટકેલા કામો ઝડપ પકડશે, પરિણામ આજે જોવા મળશે
મનપા સંચાલિત શાળામાં કેટલા કોર્પોરેટર્સના બાળકો અભ્યાસ કરે છે?
મનપા સંચાલિત શાળામાં કેટલા કોર્પોરેટર્સના બાળકો અભ્યાસ કરે છે?
ભાવેણાવાસીઓને ક્યારે મળશે 'વંદે ભારત'?, વિપક્ષે સત્તાધિશોને કર્યો સવાલ
ભાવેણાવાસીઓને ક્યારે મળશે 'વંદે ભારત'?, વિપક્ષે સત્તાધિશોને કર્યો સવાલ
સાબરકાંઠાના હરસોઈમાં ખોદકામ દરમિયાન જમીનમાં ધરબાયેલી કલાત્મક વાવ મળી
સાબરકાંઠાના હરસોઈમાં ખોદકામ દરમિયાન જમીનમાં ધરબાયેલી કલાત્મક વાવ મળી
કડીમાં યોજાયેલ વિરાટ હિંદુ સંમેલનમાં અપૂર્વ મુનિએ કર્યુ સૂચક નિવેદન
કડીમાં યોજાયેલ વિરાટ હિંદુ સંમેલનમાં અપૂર્વ મુનિએ કર્યુ સૂચક નિવેદન
આનંદીબહેને કહ્યું-હું પણ પટેલ છુ પરંતુ પટેલવાદમાં નથી માનતી-જુઓ વીડિયો
આનંદીબહેને કહ્યું-હું પણ પટેલ છુ પરંતુ પટેલવાદમાં નથી માનતી-જુઓ વીડિયો
જામનગર મનપામાં સ્ટેન્ડિગ નહીં સેટીગ કમિટી છે-કોંગ્રેસ
જામનગર મનપામાં સ્ટેન્ડિગ નહીં સેટીગ કમિટી છે-કોંગ્રેસ
Breaking News: અમદાવાદમાં ફરી બોગસ કોલ સેન્ટર પકડાયું!
Breaking News: અમદાવાદમાં ફરી બોગસ કોલ સેન્ટર પકડાયું!
g clip-path="url(#clip0_868_265)">