Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mohammed Azharuddin: જીત પછી જ પ્રેસ મીટમાં હાજરી આપવી જરુરી નથી, મોહમ્મદ અઝહરુદ્દીને વિરાટ કોહલી અને રવિ શાસ્ત્રીની ટીકા કરી

મોહમ્મદ અઝહરુદ્દીને ન્યૂઝીલેન્ડની T20 વર્લ્ડ કપની હાર બાદ પ્રેસ કોન્ફરન્સમાં ભાગ ન લેવા બદલ વિરાટ કોહલી અને રવિ શાસ્ત્રીની ટીકા કરી હતી.

Mohammed Azharuddin: જીત પછી જ પ્રેસ મીટમાં હાજરી આપવી જરુરી નથી, મોહમ્મદ અઝહરુદ્દીને વિરાટ કોહલી અને રવિ શાસ્ત્રીની ટીકા કરી
Virat Kohli - Ravi Shastri
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 02, 2021 | 4:28 PM

Mohammed Azharuddin : ભારતના ભૂતપૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનનું માનવું છે કે, રવિવારના રોજ રમાયેલી T20 વર્લ્ડ કપની ગ્રુપ 2ની મેચમાં ન્યુઝીલેન્ડ સામે ભારતની હાર બાદ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ મેચ પછીની પ્રેસ કોન્ફરન્સમાં હાજરી આપવી જોઈતી હતી. ભારતના ઝડપી બોલર જસપ્રિત બુમરાહે મેચ પછીની પ્રેસ કોન્ફરન્સ (Press conference)માં હાજરી આપી હતી, જે અઝહરુદ્દીનના મતે સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે.

મને લાગે છે કે કોચને પ્રેસ કોન્ફરન્સ માટે આવવું જોઈતું હતું. જો વિરાટ કોહલી (Virat Kohli) પ્રેસ કોન્ફરન્સમાં ભાગ લેવા માંગતો નથી, તો તે સારું છે. પરંતુ, રવિ (શાસ્ત્રી)એ પ્રેસ કોન્ફરન્સ (Press Conference)માં હાજરી આપવી જોઈતી હતી

તમે માત્ર જીત પછી પ્રેસ કોન્ફરન્સમાં હાજરી આપી શકતા નથી, તમારે હાર માટે પણ સમજૂતી આપવી પડશે. બુમરાહને પ્રેસ કોન્ફરન્સ માટે મોકલવો યોગ્ય ન હતો. કેપ્ટન અથવા કોચ પ્રેસર માટે અથવા કોચિંગ સ્ટાફ (Coaching Staff)માંથી કોઈએ આવવું જોઈએ, આટલા ખરાબ પ્રદર્શન પછી શું કોહલી અને શાસ્ત્રી પ્રશ્નોનો સામનો કરવા માંગતા નથી, તે અંગે પૂછવામાં આવતા અઝહરે કહ્યું કે, હારમાં શરમાવા જેવું કંઈ નથી પરંતુ જવાબદારી લેવી જોઈએ.

ટ્રમ્પની ટેરિફ નીતિએ શેર બજારમાં ફેલાવ્યો ભય, અદાણીના શેર થયા ધડામ
સોનાના ભાવમાં જલદી 10,000 રુપિયા સુધીનો નોંધાઈ શકે છે ઘટાડો !
AAdhaar Update : આધાર કાર્ડમાં ફક્ત આટલી વાર બદલી શકશો નામ, જાણો નિયમ
Enhance cognitive skills : દરરોજ કરો આ 5 કામ, તમારું મગજ બનશે તેજ
કથાકાર જયા કિશોરીના સૌથી 'મોડર્ન લુક' ની તસવીરો વાયરલ
શરીરના આત્માનું વજન કેટલું હોય છે? આ પ્રશ્ન UPSC માં પૂછવામાં આવ્યો

જો તમે એક અથવા બે રમત હારી જાઓ છો, તો તેમાં શરમાવા જેવું કંઈ નથી. પરંતુ કેપ્ટન કે કોચે દેશને જણાવવું જોઈએ કે ટીમ કેમ હારી. તમે બુમરાહ આ સવાલોના જવાબની અપેક્ષા કેવી રીતે રાખી શકો. જો તમે જ્યારે ટીમ જીતે ત્યારે મીડિયાનો સામનો કરવા માટે તૈયાર હોય તો જ્યારે તમારી ટીમ ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહી હોય ત્યારે તમારે પણ આગળ આવવું જોઈએ.

ભારતનો ટોચનો ક્રમ રવિવારે ફરી એકવાર નિષ્ફળ ગયો કારણ કે, ટીમ 20 ઓવરમાં 110/7 નું સંચાલન કરી શકી હતી. ન્યુઝીલેન્ડ તરફથી ટ્રેન્ટ બોલ્ટે ત્રણ જ્યારે ઈશ સોઢીએ પણ બે વિકેટ ઝડપી હતી. ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ 19 બોલમાં 26 રન બનાવ્યા હતા.

T20 વર્લ્ડ કપ (T20 World Cup 2021) માં જે બન્યું તે ભૂલીને, ચેતન શર્મા (Chetan Sharma) ની આગેવાની હેઠળની ભારતની પસંદગી સમિતિ હવે, ન્યૂઝીલેન્ડ સામેની ઘરઆંગણાની શ્રેણી માટે ટીમની પસંદગી કરવા બેઠક યોજનારી છે. સમાચાર છે કે આગામી બે દિવસમાં ન્યુઝીલેન્ડ સામેની ઘરેલુ સીરીઝ માટે ટીમની જાહેરાત કરવામાં આવશે. આ બેઠકમાં ટીમની સાથે T20 ઈન્ટરનેશનલના નવા કેપ્ટનના નામ પર પણ મહોર લાગશે. સાથે જ હવે વન ડે ટીમ માટે પણ રોહિત શર્મા (Rohit Sharma) ને કેપ્ટનશિપ મળી શકે છે એવા પણ અહેવાલો સામે આવી રહ્યા છે.

આ પણ વાંચો : સિક્સર કિંગ’ ફરી મેદાનમાં આવશે ! જનતાની માગ પર યુવરાજ સિંહનું મોટું પગલું, જુઓ VIEDO

પક્ષીઓને પાણી પીવા રાખેલા પાણીના કુંડા અને ચણ ઉપાડી ગયો ચોર
પક્ષીઓને પાણી પીવા રાખેલા પાણીના કુંડા અને ચણ ઉપાડી ગયો ચોર
Ahmedabad : ડફનાળા પાસે સર્જાયો અકસ્માત, 4 લોકો ઈજાગ્રસ્ત
Ahmedabad : ડફનાળા પાસે સર્જાયો અકસ્માત, 4 લોકો ઈજાગ્રસ્ત
ગાંધીનગરમાં શિક્ષીત યુવક-યુવતીઓની આછકલાઈ, વીડિયો થયો વાયરલ
ગાંધીનગરમાં શિક્ષીત યુવક-યુવતીઓની આછકલાઈ, વીડિયો થયો વાયરલ
અનંત અંબાણીએ 115 કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરી કર્યા દર્શન
અનંત અંબાણીએ 115 કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરી કર્યા દર્શન
ગુજરાતીઓ થશે પરસેવે રેબઝેબ ! આ તારીખથી આકાશમાંથી વરસશે અગનગોળા
ગુજરાતીઓ થશે પરસેવે રેબઝેબ ! આ તારીખથી આકાશમાંથી વરસશે અગનગોળા
આ 4 રાશિના જાતકોના આજે ધનલાભ થવાની સંભાવના
આ 4 રાશિના જાતકોના આજે ધનલાભ થવાની સંભાવના
MBBS વિદ્યાર્થીનીનો VS હોસ્ટેલમાં આપઘાત, કારણ જાણવા પોલીસ તપાસ શરૂ
MBBS વિદ્યાર્થીનીનો VS હોસ્ટેલમાં આપઘાત, કારણ જાણવા પોલીસ તપાસ શરૂ
કોજી વિસ્તારમાં લાગી ભીષણ આગ, ધૂમાડાના ગોટે ગોટા જોવા મળ્યા
કોજી વિસ્તારમાં લાગી ભીષણ આગ, ધૂમાડાના ગોટે ગોટા જોવા મળ્યા
આ 6 રાશિના જાતકોના આજે પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે
આ 6 રાશિના જાતકોના આજે પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે
આકરા ઉનાળા માટે થઈ જાઓ તૈયાર, આગામી 5 દિવસ પ્રચંડ ગરમીની આગાહી
આકરા ઉનાળા માટે થઈ જાઓ તૈયાર, આગામી 5 દિવસ પ્રચંડ ગરમીની આગાહી
g clip-path="url(#clip0_868_265)">