Asia Cup 2022: ભારતીય ટીમ માટે મોટી આફત, રવિન્દ્ર જાડેજા એશિયા કપમાંથી બહાર
જાડેજાએ ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન અને હોંગકોંગ સામે જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જાડેજાને તેના જમણા પગમાં ઘૂંટણની ઈજા છે, જેના કારણે તે હાલના દિવસોમાં પરેશાન છે.
ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) એશિયા કપમાંથી (Asia Cup 2022) બહાર થઈ ગયો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે શુક્રવારે ઈજાના કારણે જાડેજાની બહાર થવાની જાહેરાત કરી હતી. બોર્ડે એમ પણ કહ્યું કે જાડેજાના સ્થાને ડાબોડી સ્પિન ઓલરાઉન્ડર અક્ષર પટેલનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જાડેજાએ ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન અને હોંગકોંગ સામે જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જાડેજાને તેના જમણા પગમાં ઘૂંટણની ઈજા છે, જેના કારણે તે હાલના દિવસોમાં પરેશાન છે.
NEWS – Axar Patel replaces injured Ravindra Jadeja in Asia Cup squad.
More details here – https://t.co/NvcBjeXOv4 #AsiaCup2022
— BCCI (@BCCI) September 2, 2022
ઘૂંટણની ઈજાને કારણે જાડેજા બહાર
બીસીસીઆઈએ કહ્યું કે જાડેજાને તેના જમણા પગમાં ઘૂંટણની ઈજા થઈ છે, જેના કારણે તે તાજેતરના સમયમાં પરેશાન છે. બોર્ડે તેના નિવેદનમાં કહ્યું, “ઓલ ઈન્ડિયા સિનિયર સિલેક્શન કમિટીએ એશિયા કપમાં રવિન્દ્ર જાડેજાની જગ્યાએ અક્ષર પટેલનો સમાવેશ કર્યો છે. રવિન્દ્ર જાડેજાને જમણા ઘૂંટણમાં ઈજા થઈ છે, જેના કારણે તે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. હાલમાં તે BCCIની મેડિકલ ટીમની દેખરેખમાં છે.
અક્ષર પટેલને સ્ટેન્ડબાય તરીકે રાખવામાં આવ્યો હતો
તાજેતરના સમયમાં બોલ અને બેટથી સારા ફોર્મમાં રહેલા ડાબોડી સ્પિનર ઓલરાઉન્ડર અક્ષર પટેલને જાડેજાની જગ્યાએ સામેલ કરવામાં આવ્યો છે. છે. અક્ષરને પસંદગીકારો દ્વારા પહેલાથી જ ટીમ સાથે સ્ટેન્ડબાય તરીકે રાખવામાં આવ્યો હતો અને તે UAEમાં હાજર છે અને ટીમના પ્રેક્ટિસ સેશનનો ભાગ રહ્યો છે.