AsiaCup-2021માંથી હટી શકે છે ભારતીય ટીમ, જાણો શું છે કારણ
શ્રીલંકામાં યોજાનાર AsiaCup-2021માંથી Team India ટીમ હટી શકે છે. આનું કારણ છે કે AsiaCup-2021 આગામી જૂન મહિનામાં શ્રીલંકામાં યોજાનાર છે અને આજ સમયે ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ મેચ પણ છે.
શ્રીલંકામાં યોજાનાર AsiaCup-2021માંથી Team India ટીમ હટી શકે છે. આનું કારણ છે કે AsiaCup-2021 આગામી જૂન મહિનામાં શ્રીલંકામાં યોજાનાર છે અને આજ સમયે ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ મેચ પણ છે. જો ભારતીય ક્રિકેટ ટીમ ફાઈનલમાં નહીં પહોંચે તો BCCI ઘર આંગણે જ દ્વિપક્ષીય સીરિઝનું આયોજન કરી શકે છે અને આના દ્વારા BCCI બ્રોડકાસ્ટર્સને થતું નુકસાન સરભર કરી શકશે. કારણકે AsiaCup-2021માંથી ભારતના હટવાથી BCCI બ્રોડકાસ્ટર્સને પણ નુકસાન થશે.
એશિયા કપમાં 6 ટીમો ભાગ લે છે
એશિયા કપમાં કુલ 6 ટીમો ભાગ લે છે ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ. છઠ્ઠી ટીમનો નિર્ણય ક્વોલિફાયર દ્વારા કરવામાં આવે છે.
ભારતે 7 વાર જીત્યો એશિયાકપ
એશિયાકપની શરૂઆત 1984માં સંયુક્ત આરબ અમીરાત (UAE)માં રમવામાં આવ્યો હતો. દર બે વર્ષે એશિયાકપનું આયોજન કરવામાં આવે છે. ભારતે અત્યાર સુધીમાં 7 વાર એશિયાકપ જીત્યો છે. શ્રીલંકાએ 5 વાર અને પાકિસ્તાને 2 વાર એશિયાકપ જીત્યો છે.
આ પણ વાંચો: ઓળખો છો આ છોકરાને ? Ashish Nehra જેને સહી કરી આપે છે તેણે આજે ભારતને જીતાડ્યું