AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નિફ્ટી 50 પર મંદીનું દબાણ પરંતુ 9 મેના રોજ મળી શકે છે રાહતના સમાચાર, જાણો ક્યારે કરવું Call અને Putમાં ટ્રેડ

8 મે 2025ના રોજ ક્લોઝિંગ થયા પછી ભારતીય શેરબજાર દબાણમાં આવી ગયું છે. વાત કરીએ નિફ્ટી 50ની તો તે પણ ફરી એકવાર દબાણમાં જોવા મળ્યું છે. એવામાં જાણો 9 મેના રોજ Call અને Putમાં ટ્રેડ કરવું કે નહી?

નિફ્ટી 50 પર મંદીનું દબાણ પરંતુ 9 મેના રોજ મળી શકે છે રાહતના સમાચાર, જાણો ક્યારે કરવું Call અને Putમાં ટ્રેડ
Follow Us:
| Updated on: May 08, 2025 | 8:51 PM

8 મે 2025ના રોજ ક્લોઝિંગ થયા પછી ભારતીય શેરબજાર દબાણમાં આવી ગયું છે. વાત કરીએ નિફ્ટી 50ની તો તે પણ ફરી એકવાર દબાણમાં જોવા મળ્યું છે.

ઇન્ડેક્સ 24,273.80 પર ક્લોઝ થયું જેમાં 140 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે. જો કે, આ ઘટાડા પછી પણ રોકાણકારોને આશા છે કે માર્કેટ 9 મેના રોજ રાહતના સમાચાર આપશે. ટેકનિકલ ઇંડિકેટર, ઓપ્શન ચેઇન ડેટા અને જ્યોતિષીય સમય સૂચવે છે કે આવનારા દિવસોમાં બજારમાં કઇંક ખાસ હલચલ થશે. આ હલચલથી રોકાણકારો સારો એવો નફો મેળવી શકે છે.

ટેકનિકલ ઇંડિકેટર શું કહે છે?

નિફ્ટી 50ના 5-મિનિટના ચાર્ટ પર નજર કરીએ તો, RSI (14) 21.83 પર હતો, જે દર્શાવે છે કે તે “ઓવરસોલ્ડ” સ્થિતિમાં છે. તેવી જ રીતે, ટ્રુ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ (TSI) પણ -0.36 પર હતો, જે નકારાત્મક વલણ દર્શાવે છે. બજારના આ સંકેતથી જાણી શકાય છે કે, ટૂંક સમયમાં શોર્ટ કવરિંગ અથવા બાઉન્સ-બેક પરિસ્થિતિ જોવા મળી શકે છે. Stochastic RSI અને સ્ટોક સંકેત બંને હજુ સુધી રિવર્સલની પુષ્ટિ કરી રહ્યા નથી પરંતુ તેજી થશે તેવી શક્યતા જોવા મળી રહી છે. બસ તેમાં એક સપોર્ટ સ્તર બનેલું હોવું જોઈએ.

Mala Jap: શું તમે ખોટી રીતે માળાનો જાપ કરો છો? પ્રેમાનંદ મહારાજે જણાવી સાચી રીત
TMKOC ના બબીતાજીએ કહી દીધી પોતાના મનની વાત
5 કલાકથી પણ ઓછી ઊંઘ લેનારા પુરુષોને થાય છે ખતરનાક બીમારી
શું આંખોમાં હાર્ટ એટેકના લક્ષણો દેખાઈ આવે?
Heart Health : ઉનાળામાં પલાળેલા કાળા ચણા ખાવાથી કયા રોગોમાં થાય છે ફાયદા ?
સાઉથના સુપર સ્ટારના પરિવાર વિશે જાણો

ઓપ્શન ચેઇન 15 મે એક્સપાયરી પોઝિશન

ઓપ્શનચેઇન ડેટા અનુસાર, ATM સ્ટ્રાઈક 24,250 છે અને મેક્સ પેઈન 24,350 છે. બીજી બાજુ PCR 0.86 છે, જે Bearish Sentimentની પુષ્ટિ કરે છે. IV પર્સેન્ટાઈલ 93 પર છે, જેનો અર્થ એ છે કે વોલેટિલિટી ખૂબ ઊંચી છે. સરળ શબ્દોમાં કહીએ તો, ઝડપી મૂવમેન્ટ થઈ શકે છે. Call બાજુએ 24400 અને 24500 પર ભારે ઓપન ઇન્ટરેસ્ટ જોવા મળી રહ્યો છે, જે આ ઝોનને મજબૂત resistance બનાવે છે. Put બાજુએ, મહત્તમ રાઇટિંગ 24000 અને 24100 થયું છે, જે મહત્વપૂર્ણ સપોર્ટ સ્તર છે.

ટ્રેડિંગ રણનીતિ: ક્યારે અને શું કરવું?

જો નિફ્ટી 24100 થી ઉપર ટકી રહે છે, તો સવારે 10:25 થી 11:30 વાગ્યાની વચ્ચે 24200 અથવા 24250 CE ખરીદવું વધુ સારું રહેશે, જ્યાં 80 થી 120 પોઈન્ટનો વધારો જોવા મળી શકે છે. બીજી બાજુ, જો 24000 સ્તરે તૂટે છે તો 24000 PE બપોરે 12:35 થી 1:40 વાગ્યાની વચ્ચે લેવો જોઈએ, જેનો સંભવિત લક્ષ્ય 23750 સુધી જઈ શકે છે. આ સમય દરમિયાન SL (સ્ટોપ લોસ)ને સ્ટ્રિક્ટ રાખો કારણ કે વોલેટિલિટી ખૂબ ઊંચી છે અને કોઈપણ દિશામાં ઝડપી મૂવમેન્ટ થઈ શકે છે.

નિષ્કર્ષ

9 મેના રોજ નિફ્ટી નીચા સ્તરે ટ્રેડ થશે તેવી ભાવના યથાવત છે પરંતુ બજાર ચોક્કસ સમયે રાહત આપશે અને તેમાં તેજી જોવા મળશે તેવી શક્યતા છે.

(નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે. આથી સ્ટોક માર્કેટમાં રોકાણ કરો તે પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.)

શેરબજારને લગતી ઘણી માહિતી લોકો જાણવા માંગે છે તે સાથે રોકાણને લઈને પણ અવાર-નવાર અમે આપની સાથે માહિતી શેર કરતા રહીએ છીએ ત્યારે તે માહીતી જાણવા માટે અહીં ક્લિક કરો

ગુજરાતમાં આ વર્ષે વહેલું આવી શકે છે ચોમાસું
ગુજરાતમાં આ વર્ષે વહેલું આવી શકે છે ચોમાસું
કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ઘનશ્યામ પટેલ વિરુદ્ધ ગુનો નોંધાયો
કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ઘનશ્યામ પટેલ વિરુદ્ધ ગુનો નોંધાયો
વડાપ્રધાન મોદી બિકાનેરમાં વાયુસેનાના જવાનો સાથે સંવાદ કરશે
વડાપ્રધાન મોદી બિકાનેરમાં વાયુસેનાના જવાનો સાથે સંવાદ કરશે
રાજકોટમાં E-KYC વગરના કાર્ડધારકો અનાજ વિતરણથી વંચિત
રાજકોટમાં E-KYC વગરના કાર્ડધારકો અનાજ વિતરણથી વંચિત
અમદાવાદમાં કપડા ધોવાની ફેકટરીની ટાંકી સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના મોત
અમદાવાદમાં કપડા ધોવાની ફેકટરીની ટાંકી સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના મોત
જુનાગઢમાં તળાવની નબળી કામગીરી મુદ્દે ભાજપના જ કોર્પોરેટરે ખોલી પોલ
જુનાગઢમાં તળાવની નબળી કામગીરી મુદ્દે ભાજપના જ કોર્પોરેટરે ખોલી પોલ
લીમડી સહિત આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે તૂટી પડ્યો વરસાદ
લીમડી સહિત આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે તૂટી પડ્યો વરસાદ
નડિયાદના શાંતિ ફળિયા કોલેરાગ્રસ્ત જાહેર કરાયો
નડિયાદના શાંતિ ફળિયા કોલેરાગ્રસ્ત જાહેર કરાયો
અમદાવાદમાં હવે મકરબા વિસ્તારોમાં ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી શરૂ
અમદાવાદમાં હવે મકરબા વિસ્તારોમાં ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી શરૂ
નાસ્તો કરવા જેટલા સમયમાં જ દુશ્મનોનો ખાત્મો -રાજનાથ સિંહ
નાસ્તો કરવા જેટલા સમયમાં જ દુશ્મનોનો ખાત્મો -રાજનાથ સિંહ
g clip-path="url(#clip0_868_265)">