VADODARA : ધારાસભ્યના ભાઈ અને પાણી પુરવઠા અધિકારી વચ્ચે ઝપાઝપી

VADODARA : જામ્બુઆ વિસ્તારમાં પાણીના 14 જોડાણ માટે અધિકારી નલીન મહેતાના નજીકના મિત્રને ધક્કા ખવડાવતા હતા.

Nakulsinh Gohil
| Edited By: | Updated on: Jan 25, 2021 | 11:55 PM

VADODARA : કોર્પોરેશનના પાણી પુરવઠા વિભાગની ઓફિસ રણ મેદાનમાં ફેરવાઇ હતી. ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતાના ભાઇ નલીન મહેતા અને પાણી પુરવઠા વિભાગના અધિકારી સાથે ઝપાઝપી થઇ હતી અને મારામારીના દૃશ્યો સર્જાયા હતા. નલીન મહેતા પાણીના જોડાણ માટે રજૂઆત કરવા માટે પાણી પુરવઠા વિભાગની ઓફિસમાં પહોચ્યા હતા. અહી કોઇ કારણોસર અધિકારી સાથે થયેલી ઉગ્ર બોલાચાલી મારામારીમાં પરિણમી હતી.

પાણી પુરવઠા વિભાગના ડેપ્યુટી એક્સિક્યુટિવ એન્જીનિયર હેમલ રાઠોડે ધારાસભ્યના ભાઇ નલીન મહેતા પર હુમલો કર્યો હતો. નલીન મહેતા પર અધિકારી દ્વારા કરવામાં આવેલા હુમલાનો વીડિયો વાયરલ થયો હતો. વિડીયોમાં અધિકારી બેફામ બનીને નલીન મહેતાને માર મારી રહ્યો હોવાનું દેખાઈ રહ્યું છે.

આ મામલે નલીન મહેતાને પૂછતા તેઓએ અધિકારી પર 1 લાખ રૂપિયાની લાંચ માગવાનો આરોપ લગાવ્યો હતો.મહત્વપૂર્ણ છે કે જામ્બુઆ વિસ્તારમાં પાણીના 14 જોડાણ માટે અધિકારી નલીન મહેતાના નજીકના મિત્રને ધક્કા ખવડાવતા હતા અને તે અંગે રજૂઆત કરવા પહોંચેલા નલીન મહેતા સાથે મારામારીની ઘટના સર્જાઇ હતી.

Follow Us:
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
g clip-path="url(#clip0_868_265)">