રાધનપુર: રસ્તો નહીં તો મત નહીં! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ગ્રામજનોએ કર્યો બહિષ્કાર

રસ્તો નહીં તો મત નહીં. આ અવાજ છે રાધનપુરના ગોખાંતર ગામડીના ગ્રામજનોનો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ગ્રામજનોએ બહિષ્કાર કર્યો છે. ભાજપ અને કૉંગ્રેસના કોઈ ઉમેદવાર ગામમાં પ્રચાર કરવા ન પ્રવેશે તે માટે ગામ લોકોએ ચોકી-પહેરો શરૂ કરી દીધો છે.

| Updated on: Feb 15, 2021 | 12:14 PM

રસ્તો નહીં તો મત નહીં. આ અવાજ છે રાધનપુરના ગોખાંતર ગામડીના ગ્રામજનોનો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ગ્રામજનોએ બહિષ્કાર કર્યો છે. ભાજપ અને કૉંગ્રેસના કોઈ ઉમેદવાર ગામમાં પ્રચાર કરવા ન પ્રવેશે તે માટે ગામ લોકોએ ચોકી-પહેરો શરૂ કરી દીધો છે. ગામને 70 વર્ષ થયા પણ આજ દિન સુધી રસ્તો નથી બન્યો. કૉંગ્રેસ અને ભાજપની સત્તાઓ આવી અને ગઈ, પરંતુ કોઈએ ગ્રામજનો માટે રસ્તાની સુવિધા ન કરી આપી. જેથી આ વખતે લોકોએ ચૂંટણીના બહિષ્કારનું બ્યુગલ ફૂંકી દીધુ છે. ગ્રામજનોનું કહેવું છે કે ગામમાં રસ્તા બનશે તો જ તેઓ મતદાન કરશે. રોષે ભરાયેલા લોકોનું કહેવું છે કે જ્યારે મત લેવાના હોય ત્યારે મોટા મોટા વાયદા કરવામાં આવે છે, પણ વરવી હકીકત એ છે કે આજ સુધી ગામમાં કોઈ વિકાસ કાર્ય નથી થયું. રસ્તો ન હોવાના કારણે લોકોએ દૂર દૂર સુધી ચાલીને જવું પડે છે.

Follow Us:
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
રાજકોટના ગોખલાણા ગામમાં 400થી વધુ લોકોને પોઈઝનિંગની
રાજકોટના ગોખલાણા ગામમાં 400થી વધુ લોકોને પોઈઝનિંગની
g clip-path="url(#clip0_868_265)">