જાણો રામાયણ-મહાભારતના એ કલાકારો વિશે જે રાજનીતિમાં આવ્યા અને ચૂંટણી જીત્યા પણ ખરા!

વર્ષો પહેલાં જ્યારે રામાયણ અને મહાભારત શરૂ થયું ત્યારે તેના દર્શકો લાખોની સંખ્યામાં હતા. રામાયણ અને મહાભારત સીરિયલે ટીઆરપી અને વ્યુઅરશીપના તમામ રેકોર્ડ તોડી દીધા હતા. એવું બનતું કે લોકો આ સિરિયલના પાત્રોને વાસ્તવિક રીતે જોવા લાગ્યા હતા. નેગેટિવ રોલ મળ્યો હોય તેને લોકો નફરત કરવા લાગ્યા હતા જ્યારે સીતા અને કૃષ્ણને અવતારના કીરદાર અદા […]

જાણો રામાયણ-મહાભારતના એ કલાકારો વિશે જે રાજનીતિમાં આવ્યા અને ચૂંટણી જીત્યા પણ ખરા!
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 29, 2020 | 3:47 PM

વર્ષો પહેલાં જ્યારે રામાયણ અને મહાભારત શરૂ થયું ત્યારે તેના દર્શકો લાખોની સંખ્યામાં હતા. રામાયણ અને મહાભારત સીરિયલે ટીઆરપી અને વ્યુઅરશીપના તમામ રેકોર્ડ તોડી દીધા હતા. એવું બનતું કે લોકો આ સિરિયલના પાત્રોને વાસ્તવિક રીતે જોવા લાગ્યા હતા. નેગેટિવ રોલ મળ્યો હોય તેને લોકો નફરત કરવા લાગ્યા હતા જ્યારે સીતા અને કૃષ્ણને અવતારના કીરદાર અદા કરનારાને લોકો ભગવાનની જેમ પૂજવા લાગ્યા હતા. લોકપ્રિયતા એટલી વધારે હતી કે રાજનીતિક પાર્ટીઓ આ ફેમસ થયેલાં પાત્રોને ટીકિટ આપીને ચૂંટણી લડાવવા માગતી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

90ના દાયકામાં રામાયણ અને મહાભારતની સાથે જોડાયેલા કલાકારોએ લોકપ્રિયતા વધતા રાજનીતિમાં પણ ઝંપલાવ્યું હતું. આ કલાકારોએ ચૂંટણી લડી અને લોકપ્રિયતાના લીધે જીત પણ મેળવી હતી. જો કે અમુક સમય બાદ આ કલાકારોએ રાજનીતિને અલવિદા કહીં દીધું. ચાલો જાણીએ એવા સ્ટાર્સ વિશે કે જેની લોકપ્રિયતા તેમને નેતા બનાવી ગઈ.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

દીપિકા ચિખલીયા

રામાનંદ સાગરની રામાયણમાં સીતાનો કીરદાર દીપિક ચિખલીયાએ અદા કર્યો હતો. આ શૉ ત્યારે ખૂબ જ પ્રસિદ્ધ થયો. 1991ના વર્ષમાં દીપિકાએ ભાજપમાંથી ટીકિટ મેળવી હતી અને ચૂંટણી લડવાનું નક્કી કર્યું. સીતાના પાત્રના લીધે તેઓ પ્રખ્યાત હતા અને તેના લીધે તેઓને લોકોનો સહકાર મળ્યો જેના લીધે તેઓ ચૂંટણી જીતી ગયા. 1991માં તેઓ ગુજરાતના વડોદરાથી ચૂંટણી જીત્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

નીતિશ ભારદ્વાજ

ramayan-mahabharat-stars-who-left-politics-midway

બીઆર ચોપડાની મહાભારતમાં કૃષ્ણનો રોલ અદા કરનારા નીતિશષ ભારદ્રાજે પણ રાજનીતિમાં લોકપ્રિયતાના લીધે એન્ટ્રી કરી. આ દાવ સફળ નીવડ્યો અને તેઓ જમશેદપુરથી ચૂંટણી જીત્યા. 1996માં ભાજપમાંથી લડીને તેઓ જમશેદપુર સીટ પરથી વિજેતા બન્યા. જો કે 1999ની લોકસભામાં તેઓને હારનો સામનો કરવો પડ્યો જે બાદ તેઓ ફરીથી રાજનીતિમાં આવ્યા નહીં.

અરવિંદ ત્રિવેદી

ramayan-mahabharat-stars-who-left-politics-midway

રામાનંદ સાગરની રામાયણમાં રાવણનો કીરદાર એક્ટર અરવિંદ ત્રિવેદીએ નિભાવ્યો હતો. 1991માં તેઓ પણ ભાજપમાંથી ટીકિટ મેળવીને ચૂંટણી લડ્યાં. ગુજરાતના સાબરકાંઠામાંથી તેઓએ ચૂંટણીમાં જીત મેળવી. 1996 સુધી તેમને કાર્યભાર સંભાળ્યો. રામનું પાત્ર નિભાવનારા અરુણ ગોવિલને પણ રાજનીતિમાં આવવાની ઓફર મળી હતી પણ તેઓઓ ક્યારેય સ્વીકારી જ નહીં અને રાજનીતિથી દૂર રહ્યાં.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">