ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીએ કોંગ્રેસ પર મોટો હુમલો કર્યો હતો. તેમણે મહેસાણામાં ભાજપના વિજય વિશ્વાસ સંમેલનમાં કહ્યું કે જો કોંગ્રેસ લોકસભાની ચૂંટણી જીતશે તો પાકિસ્તાનમાં દિવાળી થશે.
મોંઘી ગાડીઓ, લક્ઝરી બેગ, નાની ઉંમરે કરોડોની માલિક છે અનુષ્કા સેન
Plant In Pot : છોડમાં ખાતર નાખતી વખતે આ બાબતનું રાખો ધ્યાન
ફક્ત એક ક્લિકથી બદલાઈ જશે Whatsapp વોલપેપર, આટલું હશે અદ્ભુત
કેરી સાથે ક્યારેય આ વસ્તુઓ ભૂલથી પણ ન ખાવી
ભાજપના મહેસાણા ખાતે યોજાયેલા વિજય વિશ્વાસ સંમેલનમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણી હાજર રહ્યાં હતા. વિજય રુપાણીએ કોંગ્રેસ પર નિશાન તાકીને તેને પાકિસ્તાનની પાર્ટી ગણાવી હતી. તેમણે 23મી એપ્રિલના રોજ જાહેર થનારા પરિણામોની વાત કહીને કહ્યું કે જો પરિણામના દિવસે કોંગ્રેસ આગળ હશે તો પાકિસ્તાનમાં દિવાળી થશે.
આ નિવેદન બાદ કોંગ્રેસ પણ હરકતમાં આવી હતી અને કોંગ્રેસના અમિત ચાવડાએ જણાવ્યું કે તેઓ પાકિસ્તાનના નામે લોકોને ઉશ્કેરવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. ચાવડાએ વળતો પ્રહાર કરીને કહ્યું કે તેમણે પાકિસ્તાનની વાત કરતા પહેલાં ગુજરાતમાં ભાજપની સરકારમાં બેફામ ભ્રષ્ટાચાર, યુવાનોની રોજગારી, ખેડૂતોની સમસ્યાઓ, મહિલાઓની સમસ્યા વગેરે મુદ્દા પર તેમણે વિચારવું જોઈએ. ચાવડાએ વધુમાં ઉમેર્યું કે હાલની સરકાર પાસે કોઈ એવી યોજના નથી જેને લઈને તે લોકો પાસે જઈને મત માગી શકે આથી પાકિસ્તાનના નામે લોકોને ઉશ્કેરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે.