ખેડૂતોએ આપેલા ભારત બંધના એલાનને ગુજરાત કોંગ્રેસનું સમર્થન, કોંગ્રેસ પ્રભારીએ કૃષિ બિલને કાળા કાયદા સાથે સરખાવ્યું
ખેડૂતોએ આપેલા 8 ડિસેમ્બરના ભારત બંધના એલાનને ગુજરાત કૉંગ્રેસે સમર્થન આપ્યું છે. ગુજરાત કૉંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે કહ્યું કે કૉંગ્રેસ હંમેશા ખેડૂતોની પડખે છે. જેનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે તે ત્રણેય કૃષિ કાયદાઓને સાતવે કાળા કાયદા ગણાવ્યા અને પરત ખેંચવાની માંગ કરી. સાતવે કહ્યું કે ત્રણેય કૃષિકાયદાની વિરૂદ્ધમાં કૉંગ્રેસે રાજ્યસભામાં ઉઠાવ્યો હતો. તે સમયે […]
ખેડૂતોએ આપેલા 8 ડિસેમ્બરના ભારત બંધના એલાનને ગુજરાત કૉંગ્રેસે સમર્થન આપ્યું છે. ગુજરાત કૉંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે કહ્યું કે કૉંગ્રેસ હંમેશા ખેડૂતોની પડખે છે. જેનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે તે ત્રણેય કૃષિ કાયદાઓને સાતવે કાળા કાયદા ગણાવ્યા અને પરત ખેંચવાની માંગ કરી. સાતવે કહ્યું કે ત્રણેય કૃષિકાયદાની વિરૂદ્ધમાં કૉંગ્રેસે રાજ્યસભામાં ઉઠાવ્યો હતો. તે સમયે જ સરકારે કૉંગ્રેસની વાત સાંભળી લીધી હોત તો અત્યારે ખેડૂતોના વિરોધનો સામનો ન કરવો પડ્યો હોત.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો