દેશના જાણીતા ઈતિહાસકાર રામચંદ્ર ગુહાના નિશાને રાહુલ ગાંધી, કહ્યું કે યુવા ભારત પરિવારવાદથી નારાજ
દેશના જાણીતા ઈતિહાસકાર રામચંદ્ર ગુહાએ કેરળના કોઝિકોડમાં આયોજીત સાહિત્ય કાર્યક્રમમાં રાહુલ ગાંધીને નિશાને લીધા. રામચંદ્ર ગુહાએ કેરળના લોકોને સવાલ પૂછ્યો કે તમે રાહુલ ગાંધીને ચૂંટીને સંસદમાં કેમ મોકલ્યા? રામચંદ્ર ગુહાએ કહ્યું કે હું રાહુલ ગાંધીના વિરોધમાં નથી. તેઓ સારા અને સભ્ય માણસ છે. પરંતુ યુવા ભારત પરિવારવાદથી નારાજ છે. Web Stories View more મુકેશ અંબાણીનું […]
દેશના જાણીતા ઈતિહાસકાર રામચંદ્ર ગુહાએ કેરળના કોઝિકોડમાં આયોજીત સાહિત્ય કાર્યક્રમમાં રાહુલ ગાંધીને નિશાને લીધા. રામચંદ્ર ગુહાએ કેરળના લોકોને સવાલ પૂછ્યો કે તમે રાહુલ ગાંધીને ચૂંટીને સંસદમાં કેમ મોકલ્યા? રામચંદ્ર ગુહાએ કહ્યું કે હું રાહુલ ગાંધીના વિરોધમાં નથી. તેઓ સારા અને સભ્ય માણસ છે. પરંતુ યુવા ભારત પરિવારવાદથી નારાજ છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ભારતની યુવા પેઢી પાંચમી પેઢીના વંશજને પસંદ કરતી નથી. રામચંદ્ર ગુહાએ વધુમાં કહ્યું કે રાહુલ ગાંધીને પસંદ કરીને કેરળના લોકોએ મોટી ભૂલ કરી છે. એક મહાન રાજકીય દળ હવે દયનીય ફેમિલી ફર્મ બની ગયું છે. મોદીના વખાણ કરતા ગુહાએ કહ્યું કે કઠોર પરિશ્રમી મોદી સામે રાહુલ ગાંધીનો કોઈ મુકાબલો જ નથી.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: VIDEO: કચ્છમાં કાતિલ ઠંડી સાથે રાજ્યમાં નલિયા સૌથી ઠંડુગાર, આગામી બે-ત્રણ દિવસ ઠંડીનો જોર યથાવત રહેશે