દિગ્ગજ નેતા ઉમર અબ્દુલ્લા હવે 3 દિવસ સુધી TV અને સોશીયલ મીડિયા પર નહીં દેખાય, જાણો કેમ?
લોકસભાની ચૂંટણીના સાતમા તબક્કા માટે મતદાન પૂર્ણ થતાની સાથે જ એગ્ઝિટ પોલના પરિણામો તમામ એજન્સીઓ દ્વારા પર બહાર પાડવામાં આવ્યાં ત્યારે તમામ લોકોની તેના પર નજર હતી. લગભગ તમામ પોલમાં NDA ગઠબંધનની સરકાર બને છે તેવુ કહેવામાં આવે છે. એગ્ઝિટ પોલ પર થઈ ચર્ચાઓ વચ્ચે જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સ (NC)ના ઉપાધ્યક્ષ ઉમર […]
લોકસભાની ચૂંટણીના સાતમા તબક્કા માટે મતદાન પૂર્ણ થતાની સાથે જ એગ્ઝિટ પોલના પરિણામો તમામ એજન્સીઓ દ્વારા પર બહાર પાડવામાં આવ્યાં ત્યારે તમામ લોકોની તેના પર નજર હતી. લગભગ તમામ પોલમાં NDA ગઠબંધનની સરકાર બને છે તેવુ કહેવામાં આવે છે. એગ્ઝિટ પોલ પર થઈ ચર્ચાઓ વચ્ચે જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સ (NC)ના ઉપાધ્યક્ષ ઉમર અબ્દુલ્લાનું એક ટ્વિટ સામે આવ્યું છે.
આ પણ વાંચો: એગ્ઝિટ પોલ ભલે મોદી સરકારની તરફેણમાં હોય પણ તેમાં આ વાત જાણીને કોંગ્રેસે ખુશ થવાની જરુર છે
Every single exit poll can’t be wrong! Time to switch off the TV, log out of social media & wait to see if the world is still spinning on its axis on the 23rd.
— Omar Abdullah (@OmarAbdullah) May 19, 2019
ઉમર અબ્દુલ્લાએ ટ્વિટમાં લખ્યું છે કે ” દરેક એગ્ઝિટ પોલ ખોટો નથી હોતા ! સમય આવી ગયો છે કે TV બંધ અને સોશીયલ મીડિયા પરથી લોગ આઉટ કરીને 23મે સુધી રાહ જોઈએ. જોઈએ કે શું એ દિવસે પણ દુનિયા પોતાની ધરી ઉપર ભમતી હશે”
ઉમર અબ્દુલ્લાનુ આ ટ્વિટ એગ્ઝિટ પોલ આવ્યાના તરત જ આવ્યુ હતુ. લગભગ દરેક પોલમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે NDA ગઠબંધન સરળતાથી બહુમત બનાવશે. જ્યારે UPAનો દેખાવ એગ્ઝિટ પોલના તારણો મુજબ સુધર્યો છે અને 2014ની સરખામણીએ બમણી બેઠકો મેળવે એવી ધારણા મોટાભાગના એગ્ઝિટ પોલમાં વ્યક્ત થઈ છે. પરંતુ NDA સરકાર બનાવે તેવુ તમામ પોલ જણાવી રહ્યાં છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]