Delhi: જંતર મંતર પર ભડકાઉ નારેબાજી મામલે BJP નેતા અશ્વિની ઉપાધ્યાયને પોલીસનું તેડુ

દિલ્હી પોલીસે ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચારના કેસમાં અજાણ્યા લોકો સામે પણ FIR નોંધાવી છે. દિલ્હી પોલીસ કમિશનરે (Delhi Police commissioner) આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી છે. ત્યારે દિલ્હી પોલીસનું કહેવું છે કે રવિવારની ઘટનામાં સામેલ અશ્વિની ઉપાધ્યાય અને સહિત અન્ય લોકોની ધરપકડ કરવામાં આવશે.

Delhi: જંતર મંતર પર ભડકાઉ નારેબાજી મામલે BJP નેતા અશ્વિની ઉપાધ્યાયને પોલીસનું તેડુ
Bjp Leader ashwini upadhyay (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 10, 2021 | 8:53 AM

Delhi: ભાજપના નેતા અશ્વિની ઉપાધ્યાયને ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર સાથે જોડાયેલા કેસમાં મોડી રાત્રે 3 વાગ્યે કનોટ પ્લેસ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. પોલીસ સ્ટેશનમાં (Police Station) તેમણે જણાવ્યું હતું કે, ભારત છોડો આંદોલનની વર્ષગાંઠ પર 8 ઓગસ્ટના રોજ સેવ ઇન્ડિયા ફાઉન્ડેશન (Save India Foundation)હેઠળ જંતર મંતર પર એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત વધુમાં તેમણે કહ્યું કે, કાર્યક્રમમાં 50 લોકોને બોલાવવામાં આવ્યા હતા, પરંતુ વધતી ભીડને ધ્યાનમાં રાખીને 12:00 વાગ્યે કાર્યક્રમ સમાપ્ત કરવામાં આવ્યો હતો.

ભાજપના નેતા અશ્વિની ઉપાધ્યાયે (Ashwini Upadhyay) કહ્યું કે, તેઓ નથી જાણતા કે નારા લગાવનારા લોકો કોણ છે અને શા માટે તેઓએ નારા લગાવ્યા. આ સમગ્ર મામલે અશ્વિની ઉપાધ્યાયે સંપૂર્ણપણે નિર્દોષ હોવાનું રટણ કર્યું છે. આપને જણાવવું રહ્યું કે,અશ્વિની ઉપાધ્યાય ભાજપના નેતા અને વ્યવસાયે વકીલ છે.

અશ્વિની ઉપાધ્યાય વિરુધ્ધ FIR દાખલ

અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં

ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચારના કેસમાં દિલ્હી પોલીસે (Delhi Police)અજાણ્યા લોકો સામે FIR પણ નોંધાવી હતી. દિલ્હી પોલીસ કમિશનરે આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી છે. દિલ્હી પોલીસનું કહેવું છે કે રવિવારની ઘટનામાં સામેલ અશ્વિની ઉપાધ્યાય અને સહિત અન્ય લોકોની ધરપકડ કરીને પુછપરછ હાથ ધરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે,અશ્વિની ઉપાધ્યાયને રાતનાં 3 વાગ્યે દિલ્હીના કનોટ પ્લેસ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા.

દિલ્હી પોલીસે એક નિવેદન જહેર કરીને જણાવ્યું હતુ કે, અશ્વિની ઉપાધ્યાય અને આ ઘટનામાં સામેલ અન્ય લોકોની ધરપકડ કરવામાં આવશે. દિલ્હી પોલીસના (Delhi Police) જણાવ્યા અનુસાર, આ કાર્યક્રમને મંજૂરી આપવામાં આવી નહોતી.ઉપરાંત કહ્યું કે, ભડકાઉ નારેબાજી મામલે રાજકીય નેતાઓ સહિત વિવિધ સમાજ (Community) દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી છે.

હિંદુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાની પણ અટકાયત: દાવો

હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાને (Vishnu Gupta)પણ જંતર મંતર પર ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર સાથે જોડાયેલા કેસમાં પોલીસે અટકાયત કરી છે. હિન્દુ સેનાએ દાવો કર્યો હતો કે, રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાના ઘરે 1:30 વાગ્યે દરોડા પાડવામાં આવ્યા હતા અને કેટલાક અજાણ્યા કાર્યકરો દ્વારા જંતર મંતર પર વિવાદાસ્પદ ટિપ્પણી કરવાના આરોપમાં પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો: UNSC: વડાપ્રધાન મોદીએ દરિયાઈ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે 5 મૂળભૂત મંત્રો આપ્યા

આ પણ વાંચો: Corona Latest Update: કોરોનાના વધતા કેસને લઈને કેનેડાએ ભારતની પેસેન્જર ફ્લાઇટ્સ પર પ્રતિબંધ 21 સપ્ટેમ્બર સુધી લંબાવ્યો

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">