દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મતદાનની ટકાવારીને લઈ વિવાદ, 24 કલાક પછી પણ આંકડા જાહેર નહીં!
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મતદાનની ટકાવારીને લઈ વિવાદ શરૂ થઈ ચૂક્યો છે. આમ આદમી પાર્ટીએ ચૂંટણી પંચની કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે. મતદાનની 24 કલાક પછી પણ ટકાવારી જાહેર ન થતા વિવાદ વકર્યો છે. AAPના નેતા મનિષ સિસોદિયાએ સવાલો ઉઠાવ્યા છે. સાથે કહ્યું કે, મતદાનના ફાઈનલ આંકડા ભાજપની ઓફિસથી મળશે. આ પણ વાંચોઃ અમદાવાદ કોર્પોરેશનની વધુ […]
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મતદાનની ટકાવારીને લઈ વિવાદ શરૂ થઈ ચૂક્યો છે. આમ આદમી પાર્ટીએ ચૂંટણી પંચની કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે. મતદાનની 24 કલાક પછી પણ ટકાવારી જાહેર ન થતા વિવાદ વકર્યો છે. AAPના નેતા મનિષ સિસોદિયાએ સવાલો ઉઠાવ્યા છે. સાથે કહ્યું કે, મતદાનના ફાઈનલ આંકડા ભાજપની ઓફિસથી મળશે.
चुनाव आयोग इस घटना का संज्ञान ले ये किस जगह EVM उतारी जा रही है आस पास तो कोई सेंटर है नही। pic.twitter.com/zQz7Ibaoe7
— Sanjay Singh AAP (@SanjayAzadSln) February 8, 2020
બીજી તરફ આપના નેતા ગોપાલ રાયે પણ આરોપ લગાવ્યો છે કે બાબરપુરની સરસ્વતી વિદ્યા મંદિર સ્કૂલમાં એક કર્મચારી ઇવીએમ સાથે પકડાયો છે. સંજય સિંહ અને ગોપાલ રાયનું કહેવુ છે કે આપના કાર્યકર્તા હવે 11 ફેબ્રુઆરી સુધી સ્ટ્રોંગ રૂમની બહાર બેસીને નજર રાખશે. મહત્વપૂર્ણ છે કે રાજ્યસભા સાંસદ સંજય સિંહે જે વીડિયો ટ્વીટ કર્યો છે જેમાં સ્પષ્ટ દેખાય છે કે કેટલાક ચૂંટણી અધિકારી એક સ્ટેન્ડ પર બસમાંથી ઉતરી રહ્યા છે અને તેમના હાથમાં ઇવીએમ મશીનો છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો