Maharashtra: BMCની ચૂંટણી પહેલા BJP-MNSનું થઈ શકે છે ગઠબંધન, ચંદ્રકાંત પાટીલ અને રાજઠાકરેની મુલાકાત બાદ અટકળો તેજ

એક સવાલના જવાબમાં પાટીલે કહ્યું કે મેં રાજ ઠાકરેને કહ્યું છે કે આ રાજ્યના લોકો ઈચ્છે છે કે તમે તેમના નેતા બનો પણ તમારે તેમની પોતાની ધારણા બદલવી પડશે.

Maharashtra: BMCની ચૂંટણી પહેલા BJP-MNSનું થઈ શકે છે ગઠબંધન, ચંદ્રકાંત પાટીલ અને રાજઠાકરેની મુલાકાત બાદ અટકળો તેજ
Chandrakant Patil and Raj Thackeray
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 06, 2021 | 11:00 PM

મહારાષ્ટ્ર (Maharashtra) ભાજપના અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલ (Chandrakant Patil) શુક્રવારે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) પ્રમુખ રાજ ઠાકરે (Raj Thackeray)ને મળ્યા હતા. જેના કારણે આગામી વર્ષે મુંબઈ મ્યુનિસિપલ ચૂંટણી (2022 BMC ચૂંટણી)માં બંને નેતાઓના પક્ષ વચ્ચે ગઠબંધનની અટકળો તેજ બની છે. પાટીલે અહીં ઠાકરેને તેમના નિવાસસ્થાને મળ્યા બાદ પત્રકારોને જણાવ્યું હતું કે અત્યારે ગઠબંધનની કોઈ શક્યતા નથી.

ભારતીય જનતા પાર્ટીના નેતાએ કહ્યું રાજ ઠાકરેએ મને કહ્યું કે તેમને મુંબઈમાં રહેતા બિન-મરાઠી લોકો સામે કોઈ ફરિયાદ નથી. અમારી વચ્ચે હજુ પણ કેટલાક રાજકીય મતભેદો છે અને આ સમયે ચૂંટણી પૂર્વે ગઠબંધનનો કોઈ પ્રસ્તાવ નથી.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

એક સવાલના જવાબમાં પાટીલે કહ્યું કે મેં રાજ ઠાકરેને કહ્યું છે કે આ રાજ્યના લોકો ઈચ્છે છે કે તમે તેમના નેતા બનો પણ તમારે તેમની પોતાની ધારણા બદલવી પડશે. એમએનએસ નેતા બાલા નંદગાંવકરે જણાવ્યું હતું કે બેઠક દરમિયાન શું થયું તે તેઓ જણાવી શકતા નથી, પરંતુ જો બંને પક્ષો હાથ મિલાવે તો અમને આનંદ થશે.

ત્રણ દાયકાથી BMC પર શાસન કરી રહી છે શિવસેના

શિવસેના છેલ્લા ત્રણ દાયકાથી વધુ સમયથી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) પર શાસન કરી રહી છે. છેલ્લી BMC ચૂંટણીમાં MNSએ સાત બેઠકો જીતી હતી, પરંતુ તેના છ કાઉન્સિલરો પાછળથી શિવસેનામાં જોડાયા હતા. શિવસેનાએ 97, ભાજપને 82 અને કોંગ્રેસને 31 બેઠકો મળી હતી.

ચૂંટણીલક્ષી લાભ માટે રાજકીય વલણ બદલશે નહીં

તાજેતરમાં પૂણેમાં મીડિયા સાથે વાતચીત દરમિયાન રાજ ઠાકરેએ કહ્યું હતું કે તેઓ ચૂંટણીના લાભ માટે પોતાનું રાજકીય વલણ બદલવાના નથી. 15 વર્ષ પહેલા શિવસેના છોડ્યા બાદ તેમણે ઉત્તર ભારતીય વિરોધી વલણ અપનાવ્યું હતું. તેમણે કહ્યું કે અમે (તેમની પાર્ટી અને ભાજપ) એકબીજા સામે આક્રમક ન બનવાના કરાર પર સહમત થઈ શકીએ છીએ.

આ પણ વાંચો: Vaccination: એક જ દિવસમાં 43 લાખથી વધુ લોકોને આપવામાં આવી કોરોનાની રસી, દેશમાં 50 કરોડથી વધુ લોકોને અપાઈ રસી

આ પણ વાંચો: સોનિયા ગાંધી પાસે કેટલુ સોનુ અને કેટલી ચાંદી છે ? કઈ કઈ કંપનીના શેરમાં સોનિયા ગાંધીએ કર્યુ છે રોકાણ ? રાજીવ ગાંધીનુ પેન્શન કોને મળે છે ? જાણો આ ખાસ સ્ટોરીમાં ઘણુ બધુ

Latest News Updates

રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સંકલન સમિતિની આજે બેઠક
રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સંકલન સમિતિની આજે બેઠક
g clip-path="url(#clip0_868_265)">