Bihar: RJDના પ્રમુખનું વિવાદાસ્પદ નિવેદન કહ્યું “RJDમાં જીન્સ પહેરનારા માટે નો એન્ટ્રી!
રાષ્ટ્રીય જનતા દળના પ્રદેશ અધ્યક્ષ જગદાનંદ સિંહે જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગને લઈને પ્રદર્શન દરમિયાન વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. જગદાનંદ સિંહે કામદારોને સંબોધતા કહ્યું કે," જીન્સ પહેરેલા લોકો ક્યારેય રાજનીતિ કરી શકતા નથી."
રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના પ્રદેશ અધ્યક્ષ જગદાનંદ સિંહે (Jagdanand Singh) વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. સિંહે જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગ માટે ચાલી રહેલા પ્રદર્શન દરમિયાન તેમણે મંચ પર કહ્યું કે,” જે લોકો જીન્સ પહેરે છે તેઓ રાજકારણ કરી શકતા નથી. વધુમાં કહ્યું કે અમારી પાર્ટી ગરીબોની પાર્ટી છે, ખેડૂતોની પાર્ટી છે અને સંઘર્ષ કરનારાઓની પાર્ટી છે.”
આપણે લાંબી લડાઈ લડવાની છે : જગદાનંદ સિંહ
જગદાનંદ સિંહે ( Jagdanand Singh)કહ્યું કે, અમારા અધિકારો છીનવાઈ ગયા છે, તેથી અમારે લાંબી લડાઈ લડવી પડશે. RJDએ જાતિ આધારિત વસ્તી ગણતરી કરવા, મંડળ પંચની બાકી ભલામણોનો અમલ કરવા અને અનામતના દાયરામાં બેકલોગ બેઠકો ભરવાની માંગણી સાથે સરઘસ કાઢ્યું હતું. આપને જણાવવું રહ્યું કે, આ સરઘસને પોલીસે (Police) અટકાવ્યું હતુ.
પાર્ટીના અનેક વરિષ્ઠ નેતાઓ ધરણા માટે જોડાયા
બાદમાં જગદાનંદ સિંહ રસ્તા પર જ ધરણા પર બેઠા હતા. જગદાનંદ સિંહે પાર્ટીના કેટલાક યુવા નેતાઓને (Young Leader) કહ્યું કે, તમે માત્ર ફોટા લેવા માટે વર્તુળમાં રહો, નહીંતર અમે માની લઈશું કે તમે બધા રાષ્ટ્રીય જનતા દળના (Rashtriya Janta Dal)કાર્યકરો નથી. જગદાનંદ સિંહ સાથે ધરણા પર અબ્દુલબારી સિદ્દીકી, ઉદય નારાયણ ચૌધરી, વૃષણ પટેલ, શ્યામ રજક, આલોક મહેતા અને ઘણા વરિષ્ઠ નેતાઓ જોડાયા હતા.
જગદાનંદ તેમના શિસ્ત માટે જાણીતા છે
જગદાનંદ સિંહ પાર્ટીના પ્રથમ મંત્રી હતા, જે પોતે શિસ્તમાં (Discipline) રહે છે અને પાર્ટી કાર્યકર્તાઓ પાસે શિસ્તબદ્ધ રહેવાની અપેક્ષા પણ રાખે છે. તેમણે પાર્ટીની ઓફિસમાં પણ શિસ્ત જાળવવાનો પ્રયત્ન કર્યો છે. જે ક્યારેક કાર્યકરો માટે સમસ્યાઓનું કારણ પણ બને છે. ઉલ્લેખનીય છે કે,રઘુવંશ બાબુએ પાર્ટીના (Party) સ્થાપના દિવસે જગદાનંદ પર નિશાન સાધ્યું હતું અને જગદાનંદ સિંહના સ્થાને નવા પ્રદેશ પ્રમુખ (Region President)લાવવાની માંગ પણ ઉઠાવી છે.
આ પણ વાંચો: રાહુલ ગાંધીનું ટ્વીટર એકાઉન્ટ સસ્પેન્ડ, કોંગ્રસે કહ્યું ‘મોકલવામાં આવ્યો જવાબ’
આ પણ વાંચો: જમ્મુ -કાશ્મીરમાં સરકારી શાળાઓના નામ શહીદોના નામ પર રાખવામાં આવશે, સરકારે લીધો નિર્ણય