AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સફેદ દાગ એટલે કે પાંડુરોગ શું છે, શું તે ચેપી બીમારી છે ? આવો જાણીએ હકિકત

Health news in gujarati : સફેદ દાગ એટલે કે પાંડુરોગ એક એવી સમસ્યા છે જેને લઈને લોકોમાં ઘણી બધી ગેરસમજો છે, જેના કારણે લોકો સફેદ ડાઘવાળા લોકોથી અંતર રાખવા લાગે છે. આજે અમે તમને આ સમસ્યાની કેટલીક ગેરમાન્યતા વિશે સમજાવીશું.

સફેદ દાગ એટલે કે પાંડુરોગ શું છે, શું તે ચેપી બીમારી છે ? આવો જાણીએ હકિકત
vitiligo
| Updated on: May 08, 2024 | 1:26 PM
Share

પાંડુરોગ એટલે કે સફેદ દાગ એક એવી સમસ્યા છે જેમાં વ્યક્તિના શરીર પર સફેદ ડાઘ દેખાવા લાગે છે. તેની શરૂઆત શરીરમાં ખંજવાળની ​​સમસ્યાથી થાય છે અને ધીમે ધીમે આખા શરીરમાં નાના-મોટા સફેદ ડાઘ દેખાવા લાગે છે. જો કે આ ડાઘ વ્યક્તિને કોઈ પણ પ્રકારની પીડા કે સમસ્યા નથી પહોંચાડતી, પરંતુ તે તમારી સુંદરતા બગાડી શકે છે. પાંડુરોગ એ ત્વચાનો વિકાર છે. આ રોગમાં, શરીરના મેલાનોસાઇટ કોષો, એટલે કે ત્વચામાં રંગ ઉત્પન્ન કરતા કોષો નાશ પામે છે અને તમારી ત્વચા વિવિધ ભાગોમાંથી તેનો રંગ ગુમાવવા લાગે છે. આ રોગની સારવાર એલોપેથી, હોમિયોપેથી અને આયુર્વેદ ત્રણેયમાં શક્ય છે. વિશ્વની લગભગ 0.5-1% વસ્તી આ રોગથી પીડાય છે.

પાંડુરોગ સંબંધિત મીથ્સ

શું પાંડુરોગ માત્ર ચામડીના દૃશ્યમાન વિસ્તારોને અસર કરે છે? માછલી ખાધા પછી દૂધ પીવાથી પાંડુરોગ થાય છે? પાંડુરોગ સંબંધિત કેટલીક માન્યતાઓ છે જે લાંબા સમયથી ચાલી રહી છે. આ રોગને લઈને લોકોના મનમાં ઘણી બધી ગેરસમજો છે કે તે એક વ્યક્તિથી બીજામાં ફેલાય છે, પરંતુ એવું થતું નથી. આજે અમે તમને પાંડુરોગ સંબંધિત કેટલીક માન્યતાઓ જણાવવા જઈ રહ્યા છીએ જેનો સત્ય સાથે કોઈ સંબંધ નથી.

શું પાંડુરોગ ત્વચાના કેન્સર સાથે સંબંધિત છે?

આ એક મીથ છે. પાંડુરોગ વાસ્તવમાં એક સ્વયં-પ્રતિરોધક રોગ છે જેમાં કોષો જે મેલાનિન ઉત્પન્ન કરે છે જે ત્વચાને રંગ લાવે છે તે નબળા પડી જાય છે અથવા મૃત્યુ પામે છે.

શું પાંડુરોગ માત્ર દૃશ્યમાન વિસ્તારોને અસર કરે છે?

ના, પાંડુરોગ અંડરઆર્મ્સ, ગુપ્તાંગ, હથેળીઓ અને મોં પર પણ થઈ શકે છે. કેટલાક લોકોમાં, આ સફેદ ફોલ્લીઓ શરીરના કેટલાક ભાગમાં દેખાય છે. કેટલાક દર્દીઓમાં આ ફોલ્લીઓ ધીમે ધીમે સમગ્ર શરીરમાં દેખાવા લાગે થે

પાંડુરોગ વારસામાં આવે છે?

ના, આ રોગ કોઈને પણ થઈ શકે છે પરંતુ જો પારિવારિક હિસ્ટ્રી હોય તો તે આવવાની શક્યતા વધારે હોય છે. પાંડુરોગ ખોટા ખોરાકના સંયોજનથી થાય છે?

શું પાંડુરોગ ચેપી છે?

ના, પાંડુરોગ ચેપી નથી. પાંડુરોગથી પીડિત લોકોથી દૂર રહેવાની જરૂર નથી, તેઓ એકદમ સામાન્ય છે. પાંડુરોગ સામાન્ય રીતે હાઈપોથાઈરોડિઝમ, એલોપેસીયા એરિયાટા જેવા અન્ય સ્વતઃ રોગપ્રતિકારક રોગો ધરાવતા લોકોમાં જોવા મળે છે.

શું આ બિમારીનો કોઇ ઇલાજ નથી ?

આધુનિક યુગમાં જો કેન્સર જેવી ગંભીર બીમારીનો ઇલાજ હોય તો, પાંડુરોગ ખુબ સામાન્ય છે. આયુર્વેદ , એલોપેથી, હોમિયોપેથીમાં તેનો ચોક્કસ ઇલાજ છે.

નોંધ :સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.

g clip-path="url(#clip0_868_265)">