આસામમાં AMIT SHAHનો હુંકાર, “મોદી સરકાર જ ભષ્ટ્રાચાર, ઘુસણખોરી અને આતંકવાદ મુક્ત રાજ્ય બનાવી શકે”

ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે આ ઐતિહાસિક રેલીમાં સમગ્ર દેશને કહેવા માંગું છું કે મારા રાજકીય જીવનમાં મેં બહુ રેલીઓ કરી છે, પણ આજની આ રેલીને સંબોધતા મારા મનને અપાર શાંતિનો અનુભવ થઇ રહ્યો છે.

આસામમાં AMIT SHAHનો હુંકાર, મોદી સરકાર જ ભષ્ટ્રાચાર, ઘુસણખોરી અને આતંકવાદ મુક્ત રાજ્ય બનાવી શકે
AMIT SHAH
Follow Us:
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Jan 24, 2021 | 4:46 PM

પૂર્વોત્તર રાજ્ય આસામમાં આ વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. વિધાનસભા ચૂંટણીને લઈને આસામમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઇ ગઈ છે. કેન્દ્રીય ગૃહપ્રધાન AMIT SHAHએ રવિવારે આસામમાં કોકરાઝારમાં ભાજપાની વિજય સંકલ્પ રેલીને સંબોધિત કરી. આ સંબોધનમાં તેમણે કહ્યું જે બોડો શાંતિ કરાર સાથે વડાપ્રધાન મોદી (PM NARENDRA MODI)એ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ઉત્તર પૂર્વમાં જ્યાં જ્યાં અશાંતિ છે ત્યાં વાતચીત કરીને શાંતિનો માર્ગ પ્રશસ્ત કરો. કોંગ્રેસ પર નિશાન સાધતા ગૃહપ્રધાન શાહે કહ્યું કે, આસામમાં છેલ્લા 5 વર્ષમાં જે વિકાસ થયો છે તે પાછલા 70 વર્ષોમાં નથી થયો. આ સાથે જ તેમણે કહ્યું કે મોદી સરકાર જ ભષ્ટ્રાચાર, ઘુસણખોરી અને આતંકવાદ મુક્ત રાજ્ય બનાવી શકે છે.

ગૃહપ્રધાન અમિત શાહના સંબોધનની મુખ્ય 10 વાતો

1) બોડો ભાષાને સમ્માન આપવાનું અમે વચન આપ્યું છે. આસામમાં સરકારે બોડોને રાજ્યની સહ-રાજભાષા તરીકે સ્થાન આપીને આસામના નાગરિકોની વર્ષો જૂની માંગ પૂર્ણ કરી છે. બોડો માધ્યમની સ્કુલ ખોલવા માટે અલગથી નિયામક સ્થાપવામાં આવી ચુક્યા છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

2) બોડો જનજાતિના દરેક અધિકારને, સંસ્કૃતિને, બોડો ભાષાને પણ અમે સુરક્ષિત રાખીશું, આનું સંવર્ધન પણ કરીશું અને આગળ પણ વધારીશું.

3) ભષ્ટ્રાચાર, ઘુસણખોરી, આતંકવાદ અને પ્રદુષણ મુક્ત આસામ બનાવવું હોય તો મોદીજીના નેતૃત્વમાં ભાજપા સરકાર જ આ કામ કરી શકે છે. આવનારી ચૂંટણીમાં આસામમાં પૂર્ણ બહુમતથી NDAની સરકાર બનાવીશું અને બોડોલેન્ડના વિકાસને સુનિશ્ચિત કરીશું.

4)કોંગ્રેસ પાર્ટીએ વર્ષો સુધી આસામને રક્તરંજીત કર્યું છે, જુદા જુદા આંદોલનો કરાવ્યા છે. આસામમાં છેલ્લા 5 વર્ષમાં જે વિકાસ થયો છે, તે પાછલા 70 વર્ષોમાં નથી થયો. આસામી અને બીનઆસામી, બોડો અને બીનબોડોમાં ભેદભાવ કરનારાને ઓળખો. રાજકીય રોટલા શેકવા માટે આવી વાતો કરવામાં આવે છે. મને ઘોષણા કરતા આનંદ થાય છે કે 500 કરોડ રૂપિયા માત્ર બોડો પ્રદેશના રોડ નેટવર્ક માટે જ ફાળવવામાં આવ્યાં છે. સમગ્ર બોડો પ્રદેશને વિકાસના માર્ગે લાવીશું.

5) જે કોંગ્રેસ પાર્ટી પોતાના શાસન દરમિયાન આસમમાં શાંતિ અને વિકાસ ન લાવી શકી, એ આજે અમને સલાહ આપી રહી છે. આસામ અને બોડોપ્રદેશ વર્ષો સુધી રક્તરંજિત રહ્યું, કોંગ્રેસે શું કર્યું? જે કર્યું એ અમે કર્યું.

6) બોડો શાંતિ કરાર બાદ બ્રુ-રીયાંગ કરાર પર સમજુતી કરવાના પ્રયાસો કરવામાં આવ્યા, જે અંતર્ગત 8 અલગ-અલગ ઉગ્રવાદી-હત્યારા સમૂહોએ હથિયારો છોડી શાંતિનો રસ્તો પસંદ કર્યો. આ તમામ પ્રક્રિયાઓ આસામને વિકાસના માર્ગે લઈ જનારી છે.

7) આ ક્ષેત્રમાં અનેક વાર આવ્યો છું અને અનેક રેલીઓ પણ કરી છે, પણ જ્યાં બોડો અને બીનબોડો એક સાથે હાજર હોય એવી આ પ્રથમ રેલી છે. માટે આ રેલી મહત્વપૂર્ણ છે. વર્ષોથી ચાલી આવતી સમસ્યાને કારણે આસામમાં 5000થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. મોદીજીના દૃઢ નિશ્ચય અને પ્રમોદજીના સંકલ્પને કારણે આસામમાં આ સમસ્યાનું નિવારણ આવ્યું છે અને શાંતિ સ્થપાઈ છે. આવનારા અનેક વર્ષો સુધી આપણું ક્ષેત્ર બોડોલેન્ડ વિકાસના માર્ગે આગળ વધતું રહેશે.

8) આજથી બરાબર એક વર્ષ પહેલા વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં બોળો શાંતિ કરાર થયા અને બોડો શાંતિ કરારની સાથે જ વડાપ્રધાને સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે ઉત્તર પૂર્વમાં જ્યાં જ્યાં અશાંતિ છે ત્યાં વાતચીત કરીને શાંતિનો માર્ગ પ્રશસ્ત કરવામાં આવે.

9) મને જણાવતા આનંદ થાય છે કે મોદીજીની આગેવાનીમાં જે BTR શાંતિ કરાર થયો છે, એને એક વર્ષ પૂર્ણ થયું છે.

10) આ ઐતિહાસિક રેલીમાં સમગ્ર દેશને કહેવા માંગું છું કે મારા રાજકીય જીવનમાં મેં બહુ રેલીઓ કરી છે, પણ આજની આ રેલીને સંબોધતા મારા મનને અપાર શાંતિનો અનુભવ થઇ રહ્યો છે.

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">