વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના પુત્રના ભાભરના તનવાડ ગામે લગ્ન યોજાયા હતા, જ્યાં શંકર ચૌધરી અને અલ્પેશ ઠાકોરની ઔપચારિક મુલાકાત થઈ હતી. રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે લોકસભા ચૂંટણી પહેલા અન્યાય થતો હોવાનું કહીને કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો હતો. અમદાવાદ શહેરના રાણીપમાં અલ્પેશ ઠાકોરે તેના નવા ઘરનું વાસ્તુ પૂજન કર્યું હતું, તેમાં ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.
નવા ઘરના વાસ્તુપૂજન સમયે અલ્પેશે એમ પણ કહ્યુ હતું કે, સીએમ વિજય રૂપાણી, પ્રદીપસિંહ જાડેજા અને જીતુ વાઘાણી મારા સારા મિત્રો છે. ભાજપના ટોચના બે નેતાઓ જીતુ વાઘાણી અને પ્રદીપસિંહની હાજરી બાદ અલ્પેશ ઠાકોર લોકસભાના ચૂંટણી પરિણામો બાદ ભાજપમાં જોડાય તેવી શકયતા છે. અલ્પેશને અગાઉ પણ મંત્રી પદની ઓફર થઈ હોવાની વાતો વહેતી થઈ હતી. તેવી જ રીતે ફરી અટકળો તેજ થઈ છે કે લોકસભા પરિણામ બાદ વિજય રૂપાણી મંત્રીમંડળનું વિસ્તરણ કરી અલ્પેશનો પણ મંત્રીમંડળમાં સમાવેશ કરાશે.
આ પણ વાંચો: ‘INS સુમિત્રા પર કેનેડિયન નાગરિક અક્ષયને લઈ જવો કેટલું યોગ્ય?’ કોંગ્રેસે દાવો કરીને ભાજપ પાસે માગ્યો જવાબ
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]