AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ધારાસભ્ય ડૉ.આશા પટેલના રાજીનામા પછી કોંગ્રેસનો પ્રહાર,ભાજપ પક્ષ નહીં દુકાન બન્યું છે

ડો.આશા પટેલના રાજીનામાં બાદ કોંગ્રેસે ભાજપ પર કર્યા પ્રહારો.ભાજપ મીડીયા દ્રારા કોંગ્રેસના ધારાસભ્યોને ખોટી રીતે બદનામ કરતા હોવાનો કોંગ્રેસનો આક્ષેપ.આશા પટેલના રાજીનામાં પાછળ લાલચ જવાબદાર.કોંગ્રેસમાં સબ સલામત હોવાનો પ્રદેશ પ્રમુખનો દાવો. ઉંઝાના ધારાસભ્ય ડો.આશા પટેલના રાજીનામાંથી કોંગ્રેસને ઉત્તર ગુજરાતમાં મોટો ઝટકો પડ્યો છે.રાહુલ ગાંધી આગામી 15મી કે 16મી ફેબ્રુઆરીના રોજ ઉત્તર ગુજરાતથી લોકસભાની ચૂંટણીનો શંખનાદ […]

ધારાસભ્ય ડૉ.આશા પટેલના રાજીનામા પછી કોંગ્રેસનો પ્રહાર,ભાજપ પક્ષ નહીં દુકાન બન્યું છે
Dipen Padhiyar
| Edited By: | Updated on: Feb 02, 2019 | 5:15 PM
Share

ડો.આશા પટેલના રાજીનામાં બાદ કોંગ્રેસે ભાજપ પર કર્યા પ્રહારો.ભાજપ મીડીયા દ્રારા કોંગ્રેસના ધારાસભ્યોને ખોટી રીતે બદનામ કરતા હોવાનો કોંગ્રેસનો આક્ષેપ.આશા પટેલના રાજીનામાં પાછળ લાલચ જવાબદાર.કોંગ્રેસમાં સબ સલામત હોવાનો પ્રદેશ પ્રમુખનો દાવો.

ઉંઝાના ધારાસભ્ય ડો.આશા પટેલના રાજીનામાંથી કોંગ્રેસને ઉત્તર ગુજરાતમાં મોટો ઝટકો પડ્યો છે.રાહુલ ગાંધી આગામી 15મી કે 16મી ફેબ્રુઆરીના રોજ ઉત્તર ગુજરાતથી લોકસભાની ચૂંટણીનો શંખનાદ કરવાના છે.ત્યારે રાહુલ ગાંધીની મુલાકાત પહેલા જ ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસને મોટું નુકસાન થયું છે.રાહુલ ગાંધીના ઉત્તર ગુજરાતના પ્રવાસ અંગે આયોજન કરવા માટે અમદાવાદ પાલડી કોંગ્રેસ કાર્યાલય ખાતે 1લી ફેબ્રુઆરીના રોજ ઉત્તર ગુજરાતના નેતાઓ અને ધારાસભ્યોની બેઠક યોજાઈ હતી.બેઠકમાં ઉંઝાના ધારાસભ્ય આશાબેન પટેલ પણ હાજર રહ્યાં હતા.અને આશા પટેલે પ્રદેશ પ્રમુખ સાથે રાહુલ ગાંધીની સભા ઉંઝામાં રાખવા માટે વાતચીત પણ કરી હતી.ઉંઝામાં મેદાન નાનું હોવાથી આશા પટેલે પ્રદેશ પ્રમુખને કોઈ ખેતરમાં સભા રાખવા માટે અને સભા માટે ખેતર તૈયાર કરવા પણ જણાવ્યું હતું.આશા પટેલની સાથે પાટણના ધારાસભ્ય કીરીટ પટેલ અને સિધ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોર પણ હાજર હતા.
આશા પટેલના રાજીનામાં અંગે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે આશા પટેલે મતદારો કે પક્ષ સાથે પરામર્શ કર્યા વિના નિર્ણય લીધો છે.ગઈ કાલ સુધી કોઈ રજુઆત નહોતી.પરંતુ ગઈ કાલે રાતે શુ રંધાયું તે પ્રજા જાણવા માંગે છે.રાહુલજીનું નેતૃત્વ મજબૂત છે અને સર્વ સ્વીકૃત છે.પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે નિર્ણય લીધો હોય રાષ્ટ્રીય નેતૃત્વ પર આક્ષેપ કરે એ યોગ્ય નથી.અમારા અનેક ધારાસભ્યોને મીડીયાના મારફતે ખોટી રીતે બદનામ કરવાનો પ્રયાસ ભાજપ કરે છે.
કોંગ્રેસના લોકોને ડરાવવાનો અને લાલચ આપીને ભોળવીને લઇ જવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.સંગઠનમાં તાલુકા-જિલ્લા સ્તરે સંકલનનો અભાવ હોય તો પક્ષ સાથે ચર્ચા કરી ઉકેલ લાવવામાં આવતો હોય છે.પરિવાર હોય કે પક્ષ નાના મોટા પ્રશ્નો ચાલતા હોય છે.કોંગ્રેસ કાર્યકરો અને પ્રજાના આશીર્વાદથી ચાલતી પાર્ટી છે.રાહુલ ગાંધી જ્યારે ગુજરાત આવશે ત્યારે ઉમળકાથી સ્વાગત થશે.
આશા પટેલના રાજીનામા બાદ કોંગ્રેસને રાહુલ ગાંધીની સભાનું સ્થળ બદલવાની ફરજ પડે તેમ લાગી રહ્યું છે.અત્યાર સુધી ઉંઝામાં રાહુલ ગાંધીની સભાનું આયોજન કરવાનું નક્કી હતું.કારણ કે ઉંઝા વિધાનસભામાં નરેન્દ્ર મોદીના વતન વડનગરનો સમાવેશ થાય છે.અને રાહુલ ગાંધી મોદીના વતનથી સભા કરીને લોકસભાની ચૂંટણીનો શંખનાદ કરવાના હતા.પરંતુ હવે રાહુલ ગાંધીની સભા બેચરાજી યોજવામાં માટે તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.
ડો.આશા પટેલના રાજીનામા અંગે કોંગ્રેસના મહામંત્રી હિમાંશુ પટેલે જણાવ્યું હતું કે આશા પટેલના રાજીનામનું કારણ લાલચ જ છે.ભાજપમાં નેતૃત્વ તૈયાર નથી થયું અટલે બીજાના ભરોષે ચાલે છે.ભાજપ માત્ર સોદા જ કરી શકે છે.વિધાનસભા અને લોકસભામાં કોંગ્રેસ માંથી ભાજપમાં ગયેલા અનેક નેતાઓ છે.લોકશાહીમાં લાલચ આપવી એ ભાજપની દેન છે.
[yop_poll id=1010]

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
g clip-path="url(#clip0_868_265)">