Jamnagar: જામનગરમાં 4 હજારથી વધારે વૃક્ષો અને છોડને વાવી કરવામાં આવશે જતન, જુઓ Photos

જામનગરમાં શ્રી રામચંદ્ર મિશન અને હાર્ટફુલનેસ ઈસ્ટીટયુટ હૈદરાબાદની સંસ્થા દ્વારા પર્યાવરણના જતન અને રક્ષણ માટેની વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવે છે. સંસ્થાના પ્રમુખ કમલેશ પટેલ દ્વારા દેશભરના 400 શહેરમાં 100 એકરમાં વૃક્ષોને વૈજ્ઞાનિક રીતે વાવી, તેને ઉછેર અને જતન કરવાનો સંકલ્પ કર્યો છે. જેના ભાગ રૂપે ગુજરાતના જામનગર માંથી તેનો પ્રારંભ કરવામાં આવ્યો છે. એક એકરમાં 4 હજાર સુધીના વૃક્ષો અને છોડનું વાવેતરની શરૂઆત કરવામાં આવી છે.

| Edited By: | Updated on: Oct 12, 2023 | 9:10 AM
4 / 5
સંસ્થામાં સંક્ળાયેલા આશરે 400 જેટલા લોકો પૈકી 40 સ્વયંસેવકોએ સંસ્થાના સંકલ્પ માટેની કામગીરી શરૂ કરી છે.જયાં ડોકટર, વકીલ, ચાર્ટડએકાઉન્ટન્ટ, શિક્ષક, સરકારી અધિકારી, ઉધોગપતિ, વેપારી, બીલ્ડર, આર્કિટેક, સહીતના જુદા-જુદા વ્યવસાય સાથે સંકળાયેલા પ્રતિષ્ઠિત લોકો અહી કલાકો સુધી શ્રમદાન કરે છે. કેટલાક સ્વયંસેવકો પરિવાર સાથે પર્યાવરણ સેવા માટે શ્રમદાન કરે છે.

સંસ્થામાં સંક્ળાયેલા આશરે 400 જેટલા લોકો પૈકી 40 સ્વયંસેવકોએ સંસ્થાના સંકલ્પ માટેની કામગીરી શરૂ કરી છે.જયાં ડોકટર, વકીલ, ચાર્ટડએકાઉન્ટન્ટ, શિક્ષક, સરકારી અધિકારી, ઉધોગપતિ, વેપારી, બીલ્ડર, આર્કિટેક, સહીતના જુદા-જુદા વ્યવસાય સાથે સંકળાયેલા પ્રતિષ્ઠિત લોકો અહી કલાકો સુધી શ્રમદાન કરે છે. કેટલાક સ્વયંસેવકો પરિવાર સાથે પર્યાવરણ સેવા માટે શ્રમદાન કરે છે.

5 / 5
માત્ર વૃક્ષોના વાવેતર નહી, પરંતુ કૃષિ વિજ્ઞાન આધારીત તેનું વાવેતર કરવામાં આવે છે.માત્ર એક ફુટ ખાડો નહી પરંતુ વધુ જગ્યામાં ખાડા ખોદવા માટે જેસીબી જેવા મશીનરીનો ઉપયોગ કરાયો.બાદ જમીનની નીચેની માટીની ઉપર અને ઉપરની માટીને અંદર રાખવામાં આવી.સાથે લાકડીને આધાર મુકીને છોડ મુકવામાં આવ્યા.તેમજ કાપડની દોરીને છોડ સુધી મુકીને જમીનની બહાર રાખને તેમાં પાણીની બોટલ મુકી. વાવાજોડા વખતે પડેલા વૃક્ષોના લાકડાનો ઉપયોગ કરાયો.

માત્ર વૃક્ષોના વાવેતર નહી, પરંતુ કૃષિ વિજ્ઞાન આધારીત તેનું વાવેતર કરવામાં આવે છે.માત્ર એક ફુટ ખાડો નહી પરંતુ વધુ જગ્યામાં ખાડા ખોદવા માટે જેસીબી જેવા મશીનરીનો ઉપયોગ કરાયો.બાદ જમીનની નીચેની માટીની ઉપર અને ઉપરની માટીને અંદર રાખવામાં આવી.સાથે લાકડીને આધાર મુકીને છોડ મુકવામાં આવ્યા.તેમજ કાપડની દોરીને છોડ સુધી મુકીને જમીનની બહાર રાખને તેમાં પાણીની બોટલ મુકી. વાવાજોડા વખતે પડેલા વૃક્ષોના લાકડાનો ઉપયોગ કરાયો.