
સંસ્થામાં સંક્ળાયેલા આશરે 400 જેટલા લોકો પૈકી 40 સ્વયંસેવકોએ સંસ્થાના સંકલ્પ માટેની કામગીરી શરૂ કરી છે.જયાં ડોકટર, વકીલ, ચાર્ટડએકાઉન્ટન્ટ, શિક્ષક, સરકારી અધિકારી, ઉધોગપતિ, વેપારી, બીલ્ડર, આર્કિટેક, સહીતના જુદા-જુદા વ્યવસાય સાથે સંકળાયેલા પ્રતિષ્ઠિત લોકો અહી કલાકો સુધી શ્રમદાન કરે છે. કેટલાક સ્વયંસેવકો પરિવાર સાથે પર્યાવરણ સેવા માટે શ્રમદાન કરે છે.

માત્ર વૃક્ષોના વાવેતર નહી, પરંતુ કૃષિ વિજ્ઞાન આધારીત તેનું વાવેતર કરવામાં આવે છે.માત્ર એક ફુટ ખાડો નહી પરંતુ વધુ જગ્યામાં ખાડા ખોદવા માટે જેસીબી જેવા મશીનરીનો ઉપયોગ કરાયો.બાદ જમીનની નીચેની માટીની ઉપર અને ઉપરની માટીને અંદર રાખવામાં આવી.સાથે લાકડીને આધાર મુકીને છોડ મુકવામાં આવ્યા.તેમજ કાપડની દોરીને છોડ સુધી મુકીને જમીનની બહાર રાખને તેમાં પાણીની બોટલ મુકી. વાવાજોડા વખતે પડેલા વૃક્ષોના લાકડાનો ઉપયોગ કરાયો.