
ભૂખ ઓછી લાગવી કે, પાચનમાં સમસ્યા રહેવામાં મહત્વનુ કામ ચીલના પાન મનાય છે. લીમડાના ચાર પાંચ પાંદડાના રસ સાથે ચીલને ખાવામાં આવે તો લોહીને શુદ્ધ કરે છે અને સર્ક્યુલેશન સારુ કરે છે.

બાળકોમાં જો પેટના કીડા એટલે કે કરમીયાના બીમારીની સમસ્યા રહેતી હોય તો, કેટલાક દિવસ સુધી સળંગ ચીલની ભાજી ખવરાવવાથી મોટી રાહત સર્જાય છે. પેટના દર્દ માટે લાભદાયક ચીલ પેટના કીડાનો નાશ કરે છે.

ચીલને ઉકાળીને તેનો રસ બનાવીને કે પછી શાક બનાવીને ભોજનમાં લેવાથી ચામડીના રોગમાં ખૂબ જ રાહત આપે છે. ખાસ કરીને સફેદ ડાઘા અને ખંજવાળ સહિતમાં રાહત આપે છે.

કિડનીમાં ઈન્ફેક્શન અને પથરી માટે પણ ચીલનો ઉપયોગ ખૂબ જ ફાયદાકારક છે. હિમોગ્લોબિનની સમસ્યાને પણ દૂર કરવા માટે ચીલનો ઉપયોગ કરવો જોઈએ. પેશાબ રોકાઈને આવતો તો ચીલનો રસ પીવાથી ખુલીને યુરિન થઈ શકે છે. ઉપરાંત મહિલાઓને માસીક ધર્મમાં અનિયમિતતાથી દૂર કરવામાં રાહત આપે છે.