
કેનાલ દ્વારા રાજ્યમાં 109 જેટલા નર્મદા કેનાલ સાથે લિંક તળાવો છે જે ભરવાની પણ કામગીરી કરવામાં આવી રહી છે. કારણ કે હવે મેઘરાજા વિરામ લે તો પણ નર્મદા ડેમ 80 ટકાથી વધુ ભરાઈ ગયો હોય, ગુજરાતને આખું વર્ષ પીવાનું અને સિંચાઇનું પાણી ચોક્કસ મળી રહેશે. સરદાર સરોવર નર્મદા ડેમની પાણીની સપાટી સિઝનમાં પ્રથમ વાર 133.47 મીટર પાર પહોંચી ગઈ છે અને સપ્ટેમ્બર અંત સુધી ડેમ પોતાની મહત્તમ સપાટી સુધી પહોંચી જાય તેવી શક્યતાઓ જોઈ શકાય છે.

ઓગષ્ટ મહીનામાં ગત વર્ષે ઉપરવાસમાં થી 6 લાખ ક્યુસેક થી પણ વધુ પાણી નર્મદા ડેમ માં આવ્યું હતું, જેને કારણે દરવાજા ખોલવાની ફરજ પડી હતી. જ્યારે આ વર્ષે નર્મદા ડેમ હજુ 133.47 મીટર સુધી જ પહોંચ્યો છે હજુ પણ નર્મદા ડેમ સંપૂર્ણ ભરાવા માટે 5.21 મીટર દૂર છે ઉપરવાસમાંથી પાણી ઓછી આવક થતા હજુ સુધી સંપૂર્ણ ભરાયો નથી જોકે હાલ નર્મદા ડેમ 80 ટકા ભરાયો છે. (Input Credit : Vishal Pathak)
Published On - 5:43 pm, Sat, 2 September 23