ગમે તેટલી ગરમી પડે બાળક 6 માસનું થાય ત્યાં સુધી પાણી ન પીવડાવવું જોઇએ, જાણો શું છે કારણ

|

Mar 30, 2024 | 12:19 PM

ઘરમાં નાનું મહેમાન આવતાની સાથે જ દાદા-દાદી જ નહીં, પરંતુ ઘરના દરેક વડીલ બાળકનું સ્વાસ્થ્ય સારું રાખવા માટે માતા-પિતાને સલાહ આપવા લાગે છે.તબીબો દ્વારા માતા-પિતાને આપવામાં આવેલી એક સલાહ એ છે કે 6 મહિના પહેલા તેમના નવજાત બાળકને પાણી ન આપવું જોઈએ.

1 / 7
ઘરમાં નાનું મહેમાન આવતાની સાથે જ દાદા-દાદી જ નહીં, પરંતુ ઘરના દરેક વડીલ બાળકનું સ્વાસ્થ્ય સારું રાખવા માટે માતા-પિતાને સલાહ આપવા લાગે છે.તબીબો દ્વારા માતા-પિતાને આપવામાં આવેલી એક સલાહ એ છે કે 6 મહિના પહેલા તેમના નવજાત બાળકને પાણી ન આપવું જોઈએ.

ઘરમાં નાનું મહેમાન આવતાની સાથે જ દાદા-દાદી જ નહીં, પરંતુ ઘરના દરેક વડીલ બાળકનું સ્વાસ્થ્ય સારું રાખવા માટે માતા-પિતાને સલાહ આપવા લાગે છે.તબીબો દ્વારા માતા-પિતાને આપવામાં આવેલી એક સલાહ એ છે કે 6 મહિના પહેલા તેમના નવજાત બાળકને પાણી ન આપવું જોઈએ.

2 / 7
નવજાત બાળકોને પ્રથમ છ મહિના માત્ર માતાનું દૂધ જ આપવામાં આવે છે. તેમને કોઇ ખોરાક ખવડાવવાની તબીબો ના પાડતા હોય છે. એટલુ જ નહી તબીબો તેને પાણી પણ પીવડાવવાની ના પાડે છે.

નવજાત બાળકોને પ્રથમ છ મહિના માત્ર માતાનું દૂધ જ આપવામાં આવે છે. તેમને કોઇ ખોરાક ખવડાવવાની તબીબો ના પાડતા હોય છે. એટલુ જ નહી તબીબો તેને પાણી પણ પીવડાવવાની ના પાડે છે.

3 / 7
ઉનાળાની આકરી ગરમીમાં કેટલીક વાર માતા અને પરિવારજનોને મનમાં પ્રશ્ન થતો હોય છે કે બાળકને પાણી ન પીવડાવવાથી તેને શું ડિહાઇડ્રેશનની પ્રોબ્લેમ થાય છે? જો કે તબીબોના જણાવ્યા અનુસાર માતાના દૂધમાં 80 ટકા પાણી હોય છે. જે તેને તમામ જરૂરી પોષણ અને હાઇડ્રેશન પ્રદાન કરે છે.

ઉનાળાની આકરી ગરમીમાં કેટલીક વાર માતા અને પરિવારજનોને મનમાં પ્રશ્ન થતો હોય છે કે બાળકને પાણી ન પીવડાવવાથી તેને શું ડિહાઇડ્રેશનની પ્રોબ્લેમ થાય છે? જો કે તબીબોના જણાવ્યા અનુસાર માતાના દૂધમાં 80 ટકા પાણી હોય છે. જે તેને તમામ જરૂરી પોષણ અને હાઇડ્રેશન પ્રદાન કરે છે.

4 / 7
WHO પણ જણાવી ચુક્યુ છે કે 6 મહિનાના સુધીના નવજાત બાળકને માતાના દૂધ સિવાય કઈ જ આપવું જોઈએ નહીં. જો નવજાત બાળકોને પાણી આપવામાં આવે તો જેનાથી ઈલેક્ટ્રોલાઈટનું બેલેન્સ બગડવાનું જોખમ છે. આ સ્થિતિમાં શારીરિક તાપમાન ઓછુ થઈ જાય છે.

WHO પણ જણાવી ચુક્યુ છે કે 6 મહિનાના સુધીના નવજાત બાળકને માતાના દૂધ સિવાય કઈ જ આપવું જોઈએ નહીં. જો નવજાત બાળકોને પાણી આપવામાં આવે તો જેનાથી ઈલેક્ટ્રોલાઈટનું બેલેન્સ બગડવાનું જોખમ છે. આ સ્થિતિમાં શારીરિક તાપમાન ઓછુ થઈ જાય છે.

5 / 7
ઇલેક્ટ્રોલાઇટ્સ એ શરીરમાં ખનિજો છે, જે લોહી, પેશાબ અને શરીરના અન્ય પ્રવાહીમાં હાજર હોય છે. તમને જણાવી દઈએ કે સોડિયમ, ક્લોરિન, ફોસ્ફેટ અને પોટેશિયમ બધા ઈલેક્ટ્રોલાઈટ્સ છે. શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સનું યોગ્ય સંતુલન જાળવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

ઇલેક્ટ્રોલાઇટ્સ એ શરીરમાં ખનિજો છે, જે લોહી, પેશાબ અને શરીરના અન્ય પ્રવાહીમાં હાજર હોય છે. તમને જણાવી દઈએ કે સોડિયમ, ક્લોરિન, ફોસ્ફેટ અને પોટેશિયમ બધા ઈલેક્ટ્રોલાઈટ્સ છે. શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સનું યોગ્ય સંતુલન જાળવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

6 / 7
આ સિવાય ફોર્મ્યુલા મિલ્ક પીનારા બાળકોનું શરીર પણ પાણી વગર હાઈડ્રેટ રહે છે. આ જ કારણ છે કે ઓછામાં ઓછા 6 મહિના પછી જ બાળકોને પાણી આપવાની સલાહ આપવામાં આવે છે. ધ્યાનમાં રાખો કે પાતળું ફોર્મ્યુલા દૂધ ખવડાવવાથી અથવા વધુ પાણી આપવાથી બાળકની તબિયત બગડી શકે છે.

આ સિવાય ફોર્મ્યુલા મિલ્ક પીનારા બાળકોનું શરીર પણ પાણી વગર હાઈડ્રેટ રહે છે. આ જ કારણ છે કે ઓછામાં ઓછા 6 મહિના પછી જ બાળકોને પાણી આપવાની સલાહ આપવામાં આવે છે. ધ્યાનમાં રાખો કે પાતળું ફોર્મ્યુલા દૂધ ખવડાવવાથી અથવા વધુ પાણી આપવાથી બાળકની તબિયત બગડી શકે છે.

7 / 7
નિષ્ણાતો કહે છે કે સાદું પાણી પીવાથી બાળકને કોઈ ઊર્જા મળતી નથી. આ ઉપરાંત તેમાં ખાલી કેલરી પણ હોય છે. તેથી 6 મહિના પહેલા બાળક માટે તે ફાયદાકારક નથી. તેના બદલે તે બાળકના વિકાસને અસર કરે છે.

નિષ્ણાતો કહે છે કે સાદું પાણી પીવાથી બાળકને કોઈ ઊર્જા મળતી નથી. આ ઉપરાંત તેમાં ખાલી કેલરી પણ હોય છે. તેથી 6 મહિના પહેલા બાળક માટે તે ફાયદાકારક નથી. તેના બદલે તે બાળકના વિકાસને અસર કરે છે.

Next Photo Gallery