રાષ્ટ્રપતિ ચૂંટણીમાં હાર બાદ યશવંત સિન્હાનું દર્દ છલકાયું, કહ્યું- હવે હું કોઈ રાજકીય પક્ષમાં જોડાઈશ નહીં

કોંગ્રેસ (Congress) અને તૃણમૂલ કોંગ્રેસ (TMC) સહિત બિન-ભારતીય જનતા પાર્ટીના સંયુક્ત ઉમેદવાર સિંહાને તાજેતરની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સત્તારૂઢ રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA)ના ઉમેદવાર દ્રૌપદી મુર્મુના સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

રાષ્ટ્રપતિ ચૂંટણીમાં હાર બાદ યશવંત સિન્હાનું દર્દ છલકાયું, કહ્યું- હવે હું કોઈ રાજકીય પક્ષમાં જોડાઈશ નહીં
Yashwant Sinha
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 26, 2022 | 5:11 PM

રાષ્ટ્રપતિ ચૂંટણીમાં હાર બાદ પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિન્હાનું (Yashwant Sinha) દર્દ સામે આવ્યું છે. તેમણે મંગળવારે કહ્યું કે તે હવે કોઈ અન્ય રાજકીય પક્ષમાં જોડાશે નહીં. કોંગ્રેસ (Congress) અને તૃણમૂલ કોંગ્રેસ (TMC) સહિત બિન-ભારતીય જનતા પાર્ટીના સંયુક્ત ઉમેદવાર સિંહાને તાજેતરની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સત્તારૂઢ રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA)ના ઉમેદવાર દ્રૌપદી મુર્મુના સામે હારનો સામનો કરવો પડ્યો હતો. સિન્હાએ રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા તૃણમૂલ કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું હતું.

યશવંત સિન્હાએ કહ્યું કે તેઓ હજુ સુધી એ નક્કી નથી કરી શક્યા કે તેઓ જાહેર જીવનમાં કઈ ભૂમિકા ભજવવા માંગે છે. તેમણે પીટીઆઈને કહ્યું, હું અપક્ષ રહીશ અને કોઈ અન્ય પાર્ટીમાં જોડાઈશ નહીં. પૂછવામાં આવ્યું કે શું તેઓ તૃણમૂલ નેતૃત્વના સંપર્કમાં છે, સિંહાએ નકારાત્મક જવાબ આપ્યો. તેમણે કહ્યું, મારી સાથે કોઈએ વાત કરી નથી અને મેં પણ કોઈની સાથે વાત કરી નથી.

મારે જોવાનું છે કે હું કેટલો સમય કામ કરી શકું – સિંહા

જોકે, તેમણે કહ્યું કે તેઓ અંગત રીતે તૃણમૂલના એક નેતાના સંપર્કમાં છે. પૂર્વ નાણામંત્રીએ કહ્યું, મારે જોવું પડશે કે હું (જાહેર જીવનમાં) કઈ ભૂમિકા ભજવીશ, હું કેટલો સક્રિય રહીશ. હું અત્યારે 84 વર્ષનો છું, તેથી આ સમસ્યાઓ છે. મારે જોવાનું છે કે હું કેટલો સમય કામ કરી શકું છું. ભાજપના કટ્ટર ટીકાકાર સિંહા પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના થોડા દિવસો પહેલા માર્ચ 2021માં તૃણમૂલમાં જોડાયા હતા. તેમણે 2018માં ભાજપથી અલગ થઈ ગયા હતા.

આજનું રાશિફળ તારીખ : 19-03-2024
લગ્ન બાદ પહેલીવાર પત્ની સાથે જોવા મળ્યો આદિલ, જુઓ પત્ની સોમીની સુંદર તસવીર
જાહ્નવી-સારાથી લઈને અનન્યા-દિશા સુધી બોલિવુડ સુંદરીઓ સાડીમાં લાગી કમાલ, જુઓ તસવીર
ડાયાબિટીસના દર્દીઓએ આ 6 શાકભાજી ન ખાવા જોઈએ
Amazon પરથી ખરીદો ચેતક ઈ-સ્કૂટર, નો-કોસ્ટ EMI સાથે મળશે ફ્રી ડિલીવરી
વિરાટ કોહલી ખાસ ટી-શર્ટ પહેરીને RCBમાં પરત ફર્યો, કિંમત જાણીને ચોંકી જશો

દ્રૌપદી મુર્મુ છે દેશના 15મા રાષ્ટ્રપતિ

NDA ઉમેદવાર દ્રૌપદી મુર્મુએ 25 જુલાઈએ દેશના 15મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. તેમણે વિરોધ પક્ષોના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર યશવંત સિન્હાને હરાવીને ઈતિહાસ રચ્યો હતો. મુર્મુએ મતદારો સહિત સાંસદો અને ધારાસભ્યોના માન્ય મતોમાંથી 64 ટકાથી વધુ મેળવ્યા હતા અને ભારે માર્જિનથી ચૂંટણી જીતી હતી. સિન્હાના 3,80,177 વોટ સામે મુર્મુને 6,76,803 વોટ મળ્યા હતા.

દ્રૌપદી મુર્મૂએ પદના શપથ લીધા બાદ સંસદને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું, લોકશાહીની શક્તિએ મને અહીં સુધી પહોંચાડી છે. મારા માટે દેશવાસીઓનું હિત સર્વોપરી છે. દરેકના પ્રયાસોથી ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ થશે. મને રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવા બદલ આપ સૌનો આભાર. દ્રૌપદી મુર્મૂએ વધુમાં કહ્યું હતુ કે, રાષ્ટ્રપતિ પદ સુધી પહોંચવું એ મારી અંગત સિદ્ધિ નથી, તે ભારતના દરેક ગરીબની સિદ્ધિ છે. આજે હું તમામ દેશવાસીઓને ખાસ કરીને ભારતના યુવાનો અને ભારતની મહિલાઓને ખાતરી આપું છું કે આ પદ પર કામ કરતી વખતે મારા માટે તેમના હિત સર્વોપરી રહેશે. આજે હું આવા પ્રગતિશીલ ભારતનું નેતૃત્વ કરવા માટે ગર્વ અનુભવું છું.

Latest News Updates

આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે નવી તક મળશે
આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે નવી તક મળશે
ભાજપે ભાવનગરમાં કોળી સમાજને અંકે કરવા મહારથીઓને ઉતાર્યા મેદાને
ભાજપે ભાવનગરમાં કોળી સમાજને અંકે કરવા મહારથીઓને ઉતાર્યા મેદાને
મહુવાના બગદાણા- કોટિયાને જોડતા રોડની બિસ્માર સ્થિતિથી ગામલોકોમાં રોષ
મહુવાના બગદાણા- કોટિયાને જોડતા રોડની બિસ્માર સ્થિતિથી ગામલોકોમાં રોષ
સુરતઃ સિંગણપોરમાં મહિલા કોન્સ્ટેબલે કર્યો આપઘાત
સુરતઃ સિંગણપોરમાં મહિલા કોન્સ્ટેબલે કર્યો આપઘાત
કોંગ્રેસના લોકસભા ઉમેદવાર રોહન ગુપ્તાના પિતાએ આપ્યુ રાજીનામુ- વીડિયો
કોંગ્રેસના લોકસભા ઉમેદવાર રોહન ગુપ્તાના પિતાએ આપ્યુ રાજીનામુ- વીડિયો
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાનો ચૂંટણી લડવાનો ઈનકાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાનો ચૂંટણી લડવાનો ઈનકાર
પંચમહાલ : પાર્સલના નામે ટ્રકમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ
પંચમહાલ : પાર્સલના નામે ટ્રકમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ચેક રિટર્ન કેસમાં ફિલ્મ દિગ્દર્શક રાજકુમાર સંતોષીને મળ્યા જામીન
ચેક રિટર્ન કેસમાં ફિલ્મ દિગ્દર્શક રાજકુમાર સંતોષીને મળ્યા જામીન
વિદેશી વિદ્યાર્થીઓને ફાળવાઈ અદ્યતન સુવિધાથી સજ્જ નવી NRI હોસ્ટેલ
વિદેશી વિદ્યાર્થીઓને ફાળવાઈ અદ્યતન સુવિધાથી સજ્જ નવી NRI હોસ્ટેલ
પાટીદાર દીકરીઓ અંગે કરેલા નિવેદન પર કાજલ હિન્દુસ્તાનીએ કરી સ્પષ્ટતા
પાટીદાર દીકરીઓ અંગે કરેલા નિવેદન પર કાજલ હિન્દુસ્તાનીએ કરી સ્પષ્ટતા
g clip-path="url(#clip0_868_265)">