એક દિવસમાં કેટલા કિલોમીટર હાઈવે બનાવી રહી છે સરકાર? WITTમાં પીએમ મોદીએ UPA અને NDAના કામ વચ્ચેનો તફાવત સમજાવ્યો
WITT Summit 2026 : TV9 નેટવર્કના મહામંચ WITT Summitમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, પહેલાની સરકારમાં હાઈવે બનતા હતા પરંતુ 11 થી 12 કિલોમીટર પ્રતિ દિવસની રફતારથી પરંતુ આજની હાલત સંપૂર્ણ બદલી ગઈ છે. નિર્મણાની સ્પીડ બદલી રહી છે.

TV9 નેટવર્કના મહામંચ WITT Summitમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના વિકાસને રજુ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, કઈ રીતે દેશમાં રસ્તાઓ અને હાઈવે સીમિત સમયમાં ઈતિહાસ રચ્યો. આ ઈતિહાસ માત્ર એક રાજ્ય સુધી સીમિત રહ્યો નથી. જેમાં બિહારમાં છેલ્લા 6 થી 7 દશકમાં ગંગા નદી પર માત્ર એક પુલ બનાવ્યો હતો.આ બિહારમાં ગંગા નદી પર છેલ્લા એક દશકમાં પાંચથી વધારે પુલ બનાવવામાં આવ્યા છે.
WITT Summitમાં તેમણે કહ્યું કે, પહેલાની સરકારમાં હાઈવે બનતા હતા પરંતુ 11 થી 12 કિલોમીટર પ્રતિ દિવસની સ્પીડથી પરંતુ આજેની પરિસ્થિતિ સંપૂર્ણ બદલાય ગઈ છે. નિર્માણની સ્પીડ પણ બદલી ગઈ છે.
Speaking at the TV9 Network Summit. https://t.co/fiaCB5dWh1
— Narendra Modi (@narendramodi) March 23, 2026
મોદી સરકાર દરરોજ કેટલા કિલોમીટર હાઈવે બનાવે છે?
સમિટમાં રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર બોલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું આજે અમારી સરકાર દરરોજ 30 કિલોમીટર હાઈવેનું નિર્માણ કરી રહી છે. જે ગત્ત સરકારમાં માત્ર 12 કિલોમીટર પ્રતિદિવસ સુધી સીમિત હતી. દેશમાં આ સ્પીડથી હાઈવનું નિર્માણ થઈ રહ્યું છે. તેમણે કહ્યું આજે જ્યારે દુનિયા ઘણા બધા જૂથોમાં વહેંચાયેલી છે, ત્યારે ભારતે અભૂતપૂર્વ અને અકલ્પનીય પુલ બનાવ્યા છે.
UPA અને NDA
તેમણે કહ્યું જે તમે 2014 પહેલાના 10-11 વર્ષનું આકલન કરે. તો તમે જોશોકે, ભારતે આ સિદ્ધાંતનું પાલન કરી દરેક ક્ષેત્રમાં કઈ રીતે પરિવર્તન કર્યું છે. પહેલાં, બંદરો પર જહાજો માટે ટર્નઅરાઉન્ડ સમય 5-6 દિવસનો હતો. આજે તે જ કામ 2 દિવસથી ઓછા સમયમાં પૂર્ણ થાય છે.
Today, India is moving forward with a new confidence.
Now India faces challenges head-on. pic.twitter.com/jlcydDdY0R
— PMO India (@PMOIndia) March 23, 2026
પહેલા સ્ટાર્ટઅપ કલ્ચર પર કદાચ કોઈ ચર્ચા થતી ન હતી. 2014 પહેલા ભારતમાં માત્ર 400-500 સ્ટાર્ટઅપ હતા. આજે ભારતમાં 2,00,000 થી વધારે રજિસ્ટર્ડ સ્ટાર્ટઅપ છે. પહેલા તબીબી શિક્ષણની બેઠકો મર્યાદિત હતી, લગભગ 50,000-55,000 MBBS બેઠકો. આજે, આ સંખ્યા વધીને 1,25,00થી વધુ થઈ ગઈ છે.પીએ બંને સરકારો વચ્ચેના તફાવતને સમજાતા કહ્યું કે, લાખો લોકો બેકિંગ પ્રણાથી વંચિત હતા. દેશમાં માત્ર અંદાજે 25 કરોડ બેંક ખાતા હતા. જન ધન યોજનાના માધ્યમથી 55 કરોડથી વધુ બેંકના ખાતા ખોલ્યા છે. પહેલા દેશમાં હવાઈ અડ્ડાની સંખ્યા 70 થી ઓછી હતી. આજે એરપોર્ટની સંખ્યા વધીને 160 થી વધી ગઈ છે.
નવા ભારત વિકાસની કોઈ કસર નહી છોડે
સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું યોજના પહેલા પણ બનતી હતી પરંતુ આજે તફાવત એ છે કે,પરિણામ સામે જોવા મળી રહ્યું છે. પહેલા સ્પીડ ધીમી હતી. આજે ભારતમાં સ્પીડથી આગળ વધી રહ્યું છે. પહેલા સંભાવનાઓ અંધકારમય હતા. આજે સંકલ્પ ઉપલબ્ધિઓમાં પરિવર્તત થઈ રહી છે. આ માટે દુનિયાને આ સંદેશ મળી રહ્યો છે કે, આ નવું ભારત છે. તે પોતાના વિકાસમાં કોઈ અસર છોડી રહ્યું નથી.
