PM Kisan Samman Nidhi Yojana : નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ, વર્તમાન સરકારનું સંભવત છેલ્લું પૂર્ણ બજેટ રજૂ કરશે. આ બજેટ સાથે ખેડૂતોની કેટલીક અપેક્ષાઓ પણ જોડાયેલી છે. તેઓ પણ ઈચ્છે છે કે સરકારે આગામી બજેટ 2023-24માં પીએમ-કિસાન યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી રોકડ સહાયમાં વધારો કરવો જોઈએ. ઉદ્યોગ નિષ્ણાતોએ સલાહ આપી છે કે, હાલમાં પીએમ-કિસાન યોજના હેઠળ વાર્ષિક 6,000 રૂપિયા આપવામાં આવે છે.
ઉદ્યોગ નિષ્ણાતોનું માનવું છે કે, ભારતીય કૃષિ ક્ષેત્રમાં પ્રિસિઝન ફાર્મિંગ અને ડ્રોન જેવી ટેક્નોલોજીને ઝડપથી અપનાવવા માટે ખેડૂતો તેમજ કૃષિ ટેકનોલોજી સ્ટાર્ટઅપ્સ માટે કેટલાક પ્રોત્સાહનોની જાહેરાત કરવાની જરૂર છે. PM કિસાન સન્માન નિધિ યોજના (PM કિસાન સન્માન નિધિ યોજના) નો 13મો હપ્તો ટૂંક સમયમાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.
કૃષિ રસાયણ કંપની ધાનુકા ગ્રુપના ચેરમેન આરજી અગ્રવાલે જણાવ્યું હતું કે, ખેડૂતોને પીએમ-કિસાન કાર્યક્રમ હેઠળ વધુ રકમ આપવી જોઈએ. જેથી તેઓ પૂરતા પ્રમાણમાં બિયારણ, ખાતર અને જંતુનાશકો ખરીદી શકે. પીએમ કિસાન યોજના હેઠળ, કેન્દ્ર સરકાર ત્રણ સમાન હપ્તામાં વાર્ષિક કુલ 6,000 રૂપિયા આપે છે. કૃષિ ક્ષેત્રમાં સંશોધન અને વિકાસ પ્રવૃત્તિઓ અને વિસ્તરણ સેવાઓને પ્રોત્સાહન આપવા માટે કેટલાક પ્રોત્સાહનોની પણ માંગ કરી હતી.
ખાદ્ય તેલ ઉદ્યોગ સંસ્થા SEA એ તેલીબિયાંનું ઉત્પાદન વધારવા અને ખાદ્ય તેલની આયાત ઘટાડવા માટે રાષ્ટ્રીય મિશન શરૂ કરવાની માંગ કરી હતી. સોલવન્ટ એક્સ્ટ્રેક્ટર્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ અજય ઝુનઝુનવાલાએ જણાવ્યું હતું કે, તેલીબિયાંના ઉત્પાદનને વેગ આપવા માટે પર્યાપ્ત નાણાકીય સહાય સાથે ‘ખાદ્ય તેલ પર રાષ્ટ્રીય મિશન’ શરૂ કરવાની તાતી જરૂર છે. હાલમાં, ભારત વાર્ષિક આશરે 14 મિલિયન ટન ખાદ્ય તેલની આયાત કરે છે. તેમણે કહ્યું કે વર્ષ 2026 સુધીમાં આયાતી ખાદ્ય તેલ પરની આપણી નિર્ભરતા ઘટાડવા માટે મિશનને વાર્ષિક રૂ. 25,000 કરોડની જરૂર છે.
Syngenta India ના ચીફ સસ્ટેનેબિલિટી ઓફિસર (CSO) કેસી રવિએ જણાવ્યું હતું કે કૃષિ ક્ષેત્રમાં ખર્ચ વધ્યો છે. તેમણે કહ્યું કે પીએમ-કિસાન માટેનો ઊંચો ખર્ચ એ સુનિશ્ચિત કરવામાં મદદ કરશે કે ખેડૂતોને ખેતી કરવા માટે વધુ રોકડ મળે. બીજી તરફ, એગ્રી-ડ્રોન ઉત્પાદક આઇઓ ટેકવર્લ્ડ નેવિગેશનના સહ-સ્થાપક અને નિર્દેશક દીપક ભારદ્વાજે જણાવ્યું હતું કે, સરકારે ડ્રોનની ખરીદી માટે એક લાખ કરોડ રૂપિયાના કૃષિ ઉત્પાદન ફંડમાંથી અમુક ભંડોળ અલગ રાખવું જોઈએ. આ સિવાય Iotechworldના સહ-સ્થાપક અનુપ ઉપાધ્યાયે સૂચન કર્યું કે, ખેડૂતોને ડ્રોન ખરીદવા માટે સબસિડી આપવી જોઈએ.