AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Taj Mahal Controversy: જાણો તાજમહેલનો દાવો કરનારી દિયા કુમારી કોણ છે, પૂર્વ CM વસુંધરા રાજે સાથેના વિવાદને કારણે હતી ચર્ચામાં

Who is Diya Kumari: તાજમહેલ વિવાદમાં નવો વળાંક આવ્યો છે. જયપુરના રાજવી પરિવારની રાજકુમારી અને બીજેપી સાંસદ દિયા કુમારીએ દાવો કર્યો છે કે, તાજમહેલ અમારા પરિવારના મહેલ પર બનેલો છે. જાણો, કોણ છે રાજવી પરિવારની રાજકુમારી (diya kumari) દિયા કુમારી, કેવી રહી છે તેમના જીવનની સફર...

Taj Mahal Controversy: જાણો તાજમહેલનો દાવો કરનારી દિયા કુમારી કોણ છે, પૂર્વ CM વસુંધરા રાજે સાથેના વિવાદને કારણે હતી ચર્ચામાં
who is diya kumari
TV9 Gujarati
| Edited By: | Updated on: May 12, 2022 | 9:51 AM
Share

તાજમહેલ વિવાદમાં (Taj Mahal Controversy) નવો વળાંક આવ્યો છે. જયપુરના રાજવી પરિવારે તાજમહેલને પોતાની સંપત્તિ જાહેર કરી છે. રાજવી પરિવારની રાજકુમારી અને બીજેપી સાંસદ દિયા કુમારીએ (BJP MP Diya Kumari) દાવો કર્યો છે કે, તાજમહેલ (Taj Mahal) અમારા પરિવારના મહેલ પર બનેલો છે. અમારી પાસે આવા ઘણા દસ્તાવેજો છે જે પુષ્ટિ કરે છે કે તાજમહેલ અગાઉ જયપુરના ભૂતપૂર્વ શાહી પરિવારનો મહેલ હતો. જે બાદમાં શાહજહાં દ્વારા કબજે કરવામાં આવ્યો હતો. મુઘલ સરકારના કારણે શાહી પરિવાર તેનો વિરોધ કરી શક્યો નહીં. હું એમ નહીં કહું કે તાજમહેલ તોડી નાખવો જોઈએ, પરંતુ તેના ઓરડાઓ ખોલવા જોઈએ. દિયા કુમારીના આ નિવેદન બાદ તાજમહેલ વિવાદનો વ્યાપ વધુ વધી ગયો છે.

કોણ છે રોયલ ફેમિલીની રાજકુમારી દિયા કુમારી, કેવી રહી છે તેની જિંદગીની સફર અને તેના દાવામાં કેટલી સચ્ચાઈ છે, જાણો 4 મુદ્દાઓમાં આ સવાલોના જવાબ

  1. દિયા કુમારી જયપુરના રાજવી પરિવારના મહારાજા સવાઈ સિંહ અને મહારાણી પદ્મિની દેવીની પુત્રી છે. વર્ષ 2013માં તે રાજસ્થાનની સવાઈ માધોપુર વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય બની હતી. 2019માં તેને લોકસભાની ચૂંટણી લડી અને રાજસમંદથી ભાજપના સાંસદ બન્યા. શાહી પરિવારના વિરોધ છતાં, તેને એક સામાન્ય પરિવારના નરેન્દ્ર સિંહ સાથે પ્રેમ લગ્ન કર્યા. સમગ્ર રાજસ્થાનમાં તેની ચર્ચા થઈ હતી. તેનાથી પણ વધુ ચર્ચા તેમના છૂટાછેડાની હતી.
  2. તેમને એક પુત્ર અને બે પુત્રી છે. પતિ સાથે 24 વર્ષ વિતાવ્યા બાદ બંનેએ 2019માં પરસ્પર સંમતિથી છૂટાછેડા લીધા હતા. દિયા કુમારી ઘણી બાબતોને લઈને ચર્ચામાં રહી હતી. તાજમહેલની જમીન પર દાવો કરનારી દિયા કુમારી ત્રણ વર્ષ પહેલા અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં ચાલી રહી હતી ત્યારે ચર્ચામાં આવી હતી. તે દરમિયાન તેણે પોતાને ભગવાન શ્રી રામના વંશજ ગણાવ્યા હતા. એવું કહેવાય છે કે તેમના દાદા સ્વ. ભવાની સિંહ ભગવાન શ્રી રામના 307માં વંશજ હતા. આ સાબિત કરવા માટે તેણે પોતાની આખી વંશાવલી પણ જાહેર કરી દીધી હતી.
  3. રાજસ્થાનમાં 2013-2018 વચ્ચે વસુંધરા રાજેની સરકાર હતી. આ સરકારમાં દિયા કુમારી ભાજપના ધારાસભ્ય હતા. વસુંધરા રાજેના કાર્યકાળ દરમિયાન તેમની અને દિયા કુમારી વચ્ચે ક્યારેય સંબંધ નહોતો. વસુંધરા રાજેએ તેમની સરકારમાં રાજવી પરિવારની હોટેલ રાજ પેલેસના ત્રણેય દરવાજા બંધ કરી દીધા અને તેને તાળું મારી દીધું. આ ઘટનાથી રોષે ભરાયેલા રાજપૂત સમાજે વસુંધરા રાજે વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. આ ઘટના બાદ બંને વચ્ચેનો વિવાદ વધુ વધી ગયો હતો.
  4. દિયા કુમારી કહે છે કે, તાજમહેલની જમીન અંગે અમે જે દાવો કર્યો છે તેના દસ્તાવેજો અમારી પાસે છે. જો તેમની જરૂર પડશે અથવા કોર્ટ તેમને હાજર કરવાનો આદેશ આપશે તો અમે દસ્તાવેજો આપીશું. અમારી પાસે દસ્તાવેજો હોવાથી એક વાત સ્પષ્ટ છે કે શાહજહાંએ તાજમહેલની જમીન પર કબજો કર્યો હતો.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">