તાજમહેલ કે શિવાલય, અલ્હાબાદ હાઈકોર્ટમાં આજે સુનાવણી

મુઘલ કાળમાં બનેલા તાજમહેલને લઈને અલ્હાબાદ હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજી પર આજે ગુરુવારે સુનાવણી થવાની છે. તાજમહેલ વિશે એક પક્ષ દાવો કરે છે કે તે એક શિવ મંદિર હતું, જેના પુરાવા 22 રૂમમાં છુપાયેલા છે.

તાજમહેલ કે શિવાલય, અલ્હાબાદ હાઈકોર્ટમાં આજે સુનાવણી
Taj Mahal (File photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 12, 2022 | 7:56 AM

અલ્હાબાદ હાઈકોર્ટમાં (Allahabad High Court) દાખલ કરાયેલ તાજમહેલના (Taj Mahal) “ઈતિહાસ” અંગે તથ્ય-શોધની તપાસની માંગ કરતી અરજી પર આજે ગુરુવારે સુનાવણી હાથ ધરાશે. વકિલોએ કરેલા કામના બહિષ્કારને કારણે અગાઉ આ અરજીની સુનાવણી ગુરુવાર સુધી મુલતવી રાખવામાં આવી હતી. ભાજપના (BJP) અયોધ્યા એકમના મીડિયા ઈન્ચાર્જ રજનીશ સિંહે શનિવારે લખનૌ બેન્ચની રજિસ્ટ્રીમાં રિટ પિટિશન દાખલ કરી હતી. આ અરજી ન્યાયાધીશ ડીકે ઉપાધ્યાય અને ન્યાયમૂર્તિ સુભાષ વિદ્યાર્થી સમક્ષ રજૂ કરવામાં આવી છે. છેલ્લા કેટલાક સમયથી તાજમહલને લઈને વિવાદ સર્જવામાં આવ્યો છે. કેટલાક લોકોનું કહેવુ છે કે, તાજમહેલ પહેલા શિવ મંદિર હતુ. શિવમંદિરના સ્થાને તાજમહેલ બનાવવામાં આવ્યો છે.  આખરે આ વિવાદ હાઈકોર્ટના દ્વારે પહોચ્યો છે.

22 રૂમના દરવાજા ખોલો

ફેક્ટ ફાઈન્ડિંગ ટીમે માંગ કરી હતી કે તાજમહેલના ઈતિહાસ સાથે જોડાયેલ સત્ય લોકો સમક્ષ લાવવામાં આવે અને તેના માટે અત્યાર સુધી બંધ રહેલા 22 રૂમના દરવાજા ખોલવામાં આવે. કેટલાક જમણેરી સંગઠનોએ ભૂતકાળમાં દાવો કર્યો છે કે મુગલ યુગની કબર હાલ જ્યા છે તે પહેલા ભગવાન શિવનું મંદિર હતું. અલ્હાબાદ હાઈકોર્ટના વકીલોએ, પ્રયાગરાજ અને લખનૌ બંનેમાં, સૂચિમાં વધુ પડતા સમયના વિરોધમાં મંગળવારે કામનો બહિષ્કાર કર્યો હતો.

તાજમહેલની જવાબદારી ASIની છે

અરજદારે કરેલી અરજીમાં માંગણી કરી છે કે તાજમહેલ સ્મારકના બંધ રૂમના 22 દરવાજા સત્ય જોવા માટે ખોલવામાં આવે, પછી ભલે તે સ્મારકને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા સુરક્ષિત અને ઐતિહાસિક સ્મારક જાહેર કરાયુ હોય. કારણ કે સ્મારકને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા સુરક્ષિત કરવામાં આવે છે. અરજીમાં પ્રાચીન અને ઐતિહાસિક સ્મારકો અને પુરાતત્વીય સ્થળો અને અવશેષો (રાષ્ટ્રીય મહત્વની ઘોષણા) અધિનિયમ, 1951, અને પ્રાચીન સ્મારકો અને પુરાતત્વીય સ્થળો અને અવશેષો અધિનિયમ 1958 ની કેટલીક જોગવાઈઓને બાજુ પર રાખવાની પણ માંગ કરવામાં આવી હતી, જેના હેઠળ તાજમહેલ, ફતેહપુર સિકરી, આગ્રાનો કિલ્લો, ઇતિમાદ-ઉદ-દૌલાની કબરને ઐતિહાસિક સ્મારક તરીકે જાહેર કરવામાં આવી છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">