AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WHOએ કોરોના સંકટ વચ્ચે આપી રાહત, ગંભીર દર્દીઓ માટે બે દવાઓને આપી મંજૂરી

ય WHOએ મોનોક્લોનલ એન્ટીબોડી સોત્રોવિમેબને બિન-ગંભીર કોવિડ દર્દીઓ માટે મંજૂરી આપી છે.

WHOએ કોરોના સંકટ વચ્ચે આપી રાહત, ગંભીર દર્દીઓ માટે બે દવાઓને આપી મંજૂરી
File Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 14, 2022 | 8:29 AM
Share

દુનિયાભરમાં કોરોના (Covid-19) અને તેના નવા વેરિએન્ટ ઓમિક્રોને (Omicron)કહેર મચાવ્યો છે. તેનાથી બચવા અને સારવાર માટે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને (WHO) બે નવી દવાઓને મંજૂરી આપી છે. WHOના નિષ્ણાંતોએ બેરિસિટિનિબ દવાને ગંભીર કોરોના દર્દીઓ માટે ઉપયોગ કરવાની વાત કહી છે. આ દવા આર્થરાઈટિસની સારવારમાં ઉપયોગ થાય છે. તે સિવાય WHOએ મોનોક્લોનલ એન્ટીબોડી સોત્રોવિમેબને બિન-ગંભીર કોવિડ દર્દીઓ માટે મંજૂરી આપી છે. સાથે જ કહ્યું છે કે સોત્રોવિમેબ તે લોકોને આપવામાં આવવી જોઈએ, જેમને હોસ્પિટલમાં દાખલ થવાનું રિસ્ક વધારે છે.

નિષ્ણાતોએ સૂચવ્યું કે ગંભીર કોવિડ દર્દીઓમાં કોર્ટીકોસ્ટેરોઈડ્સ સાથે બેરીસીટીનિબનો ઉપયોગ જીવન ટકાવી રાખવાની ટકાવારીમાં સુધારો કરે છે અને વેન્ટિલેટરની જરૂરિયાત ઘટાડે છે. WHOના દિશા-નિર્દેશમાં કહેવામાં આવ્યું કે બેરિસિટિનિબના ઉપયોગથી ફાયદો થયો.

નિષ્ણાંતોએ સલાહ આપી કે બેરીસીટીનીબ અને IL-6 રીસેપ્ટર બ્લોકરની જેમ ટોસીલીઝુમાબ અને સેરીલુમાબની સમાન અસરો છે. તેથી તેનો ઉપયોગ તેની કિંમત અને ડોકટરોના અનુભવ પર આધારિત હોવો જોઈએ.

મોલ્નુપિરાવિરની માંગ વધી

જે રીતે ગયા વર્ષે બીજી લહેરમાં રેમડેસિવિરની માંગ થઈ હતી, તે રીતે આ વખતે મોલ્નુપિરાવિરની માંગ વધી છે. આ દવાને કોરોનાની દવા કહેવામાં આવી રહી છે. આ દવાનો કોર્સ 5 દિવસનો હોય છે અને કોરોના દર્દીઓને આપવામાં આવે છે. જણાવી દઈએ કે આ એક એન્ટીવાયરલ ડ્રગ્સ છે. આ દવાનો ફ્લૂ એટલે કે ઈન્ફલ્યુએન્ઝાની સારવાર માટે વિકસિત કરવામાં આવી હતી. આ એક ઓરલ ડ્રગ છે.

મોલ્નુપિરાવિર સંક્રમણ બાદ વાયરસની સંખ્યા વધારવાથી રોકે છે. જ્યારે વાયરસ શરીરમાં પહોંચે છે તો તે પોતાનું જીનોમ રેપ્લિકેટ કરે છે. તેની મદદથી તે પોતાની સંખ્યાને વધારે છે પણ ત્યારે તે કોરોનાથી સંક્રમિત કોષોને શોષી લે છે. દવાના કારણે ચેપગ્રસ્ત કોષોમાં એક પ્રકારની ખામી સર્જાય છે અને વાયરસ તેની સંખ્યા વધારવામાં અસમર્થ થઈ જાય છે. તેથી દવાની અસર આખા શરીરમાં થવા પર વાયરસ કંટ્રોલ થવા લાગે છે.

આ પણ વાંચો: ઓમિક્રોન સામેની લડતમાં N95 માસ્કને માનવામાં આવી રહ્યું છે સૌથી કારગર, એક અભ્યાસમાં થયો ખુલાસો

આ પણ વાંચો: IT Refund : આવકવેરા વિભાગે કરદાતાઓને 1.54 લાખ કરોડ રૂપિયા રિફંડ આપ્યું, જાણો તમારા રિફંડનું સ્ટેટ્સ અહેવાલની મદદથી

સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
ગોંડલના ગુનેગારોમાં ફફડાટ, અસામાજિકોને ડામવા ગાંધીનગરનુ ગ્રીન સિગ્નલ!
ગોંડલના ગુનેગારોમાં ફફડાટ, અસામાજિકોને ડામવા ગાંધીનગરનુ ગ્રીન સિગ્નલ!
મહેસાણામાં બટાટાના ભાવ ન મળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો
મહેસાણામાં બટાટાના ભાવ ન મળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો
g clip-path="url(#clip0_868_265)">