West Bengal: મમતા બેનર્જીએ બાબુલ સુપ્રિયોને બીજેપી છોડવા બદલ ઇનામ આપ્યું, નવા મંત્રીમંડળમાં આ નેતાઓને સામેલ કરાયા
આ પહેલા બાબુલ સુપ્રિયો આસનસોલથી ભાજપના (BJP) સાંસદ હતા અને કેન્દ્રીય મંત્રી હતા, પરંતુ વિધાનસભા ચૂંટણી બાદ તેમને કેન્દ્રીય મંત્રી પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. જે બાદ બાબુલ સુપ્રિયોએ ભાજપમાંથી રાજીનામું આપી દીધું હતું.
પશ્ચિમ બંગાળમાં (West Bengal) શિક્ષક ભરતી કૌભાંડ બાદ પશ્ચિમ બંગાળના સીએમ મમતાની ભલામણ પર કેબિનેટમાં ફેરબદલ કરવામાં આવ્યો છે. બુધવારે રાજ્યપાલ એલ ગણેશને નવનિયુક્ત મંત્રીઓને શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે મમતા બેનર્જી (Mamata Banerjee) સહિત ટોચના મંત્રીમંડળના સભ્યો હાજર રહ્યા હતા. આ અવસરે પૂર્વ કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયો, જંગીપરાના ધારાસભ્ય સ્નેહાસીશ ચક્રવર્તી, પાર્થ ભૌમિક, ઉદયન ગુહા, પ્રદીપ મજુમદારને કેબીનેટ મંત્રીના શપથ લેવડાવ્યા હતા. સત્યજીત બર્મન અને તજમુલ હુસૈને રાજ્યમંત્રીના શપથ લેવડાવ્યા હતા. બિપ્લબ રોય ચૌધરી અને બીરવાહ હજદાને સ્વતંત્ર વિભાગના મંત્રીની જવાબદારી સોંપવામાં આવી હતી.
જણાવી દઈએ કે શિક્ષક ભરતી કૌભાંડમાં ધરપકડ બાદ પાર્થ ચેટરજીને હટાવવામાં આવ્યા હતા. સીએમ મમતા બેનર્જીએ જાહેરાત કરી હતી કે બુધવારે નવા મંત્રીઓ શપથ લેશે. પરેશ અધિકારી, સૌમેન મહાપાત્રા સહિત ચાર મંત્રીઓને રજા આપવામાં આવી છે. પરેશ અધિકારી પર શિક્ષક ભરતી કૌભાંડનો આરોપ હતો.
રાજ્યપાલે મંત્રીઓને શપથ લેવડાવ્યા હતા
West Bengal | Nine ministers are to be sworn into West Bengal cabinet after the reshuffle. Babul Supriyo, Partha Bhowmick, Snehasis Chakraborty, and others to be inducted into the state cabinet
— ANI (@ANI) August 3, 2022
રાજ્યપાલે બાબુલ સુપ્રિયો, જંગીપરાના ધારાસભ્ય સ્નેહાસીશ ચક્રવર્તી, પાર્થ ભૌમિક, ઉદયન ગુહા, પ્રદીપ મજુમદારને સંપૂર્ણ મંત્રી તરીકે શપથ લેવડાવ્યા હતા, જ્યારે સ્વતંત્ર મંત્રીઓ અને રાજ્ય મંત્રીઓને અલગ-અલગ શપથ લેવડાવ્યા હતા. બીરવાહ હસદાએ સંથાલી ભાષામાં શપથ લીધા. જણાવી દઈએ કે આ પહેલા બીરવાહ હસદા રાજ્યકક્ષાના મંત્રી હતા, પરંતુ આ વખતે તેમણે સ્વતંત્ર પ્રભાર મંત્રી તરીકે શપથ લીધા છે. આ પ્રસંગે 5 કેબિનેટ મંત્રીઓ અને 2 રાજ્યકક્ષાના મંત્રીઓ અને બે સ્વતંત્ર પ્રભારી મંત્રીઓએ શપથ લીધા હતા.
ટીએમસીમાં જોડાયા બાદ બાબુલ સુપ્રિયો પહેલીવાર મંત્રી બન્યા
જણાવી દઈએ કે આ પહેલા બાબુલ સુપ્રિયો આસનસોલથી ભાજપના સાંસદ હતા અને કેન્દ્રીય મંત્રી હતા, પરંતુ વિધાનસભા ચૂંટણી બાદ તેમને કેન્દ્રીય મંત્રી પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. જે બાદ બાબુલ સુપ્રિયોએ ભાજપમાંથી રાજીનામું આપી દીધું હતું. તે પછી બાલીગંજ વિધાનસભા કેન્દ્રથી ચૂંટણી લડ્યા અને જીત્યા. ત્યારથી એવી અટકળો ચાલી રહી હતી કે તેમને મંત્રી બનાવવામાં આવશે. હવે તેમને મમતા બેનર્જી કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા છે.